SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૩૧ दमुच्येत । यदीतरं तर्हि धूमादावप्यसिद्धत्वानुषङ्गः । प्रामाणिकस्य तु नासिद्धत्वं, कार्यत्वस्य बुद्धिमत्कर्तृपूर्वकत्वेन प्रतिपन्नाविनाभावस्य क्षित्यादौ प्रसिद्धेः, पर्वतादौ धूमादिवत् । न च यावन्तः पदार्थाः कृतकाः तावन्तः कृतबुद्धिमात्मन्याविर्भावयन्तीति नियमोऽस्ति, खातप्रतिपूरितायां भुव्यक्रियादर्शिनः कृतबुद्ध्युत्पादाभावात् । 16. શંકા- બુદ્ધિમત્કર્વક જીર્ણકૂપ આદિ કાર્યોને ઉત્પન્ન થતાં આપણે જોયાં નથી પણ તેમની બાબતમાં “સુન્દર બનાવ્યું છે યા બરાબર બનાવ્યું નથી' એ જાતની કુતબુદ્ધિ આપણને થાય છે. પરંતુ બુદ્ધિમત્કર્વક પૃથ્વી આદિ કાર્યો કે જેમને આપણે ઉત્પન્ન થતાં જોયાં નથી તેમની બાબતમાં તે જ પ્રમાણે આપણને કુતબુદ્ધિ થતી નથી. તેથી જીર્ણકૂપ આદિ દષ્ટાન્તમાં જોયેલું કૃતબુદ્ધિને ઉત્પન્ન કરનારું કાર્ય પૃથ્વી આદિ ધર્મીમાં (પક્ષમાં) નથી, એટલે આપે આપેલો કાર્યત્વ હેતુ અસિદ્ધ છે. [જગતમાં ઘણાં કાર્યોને આપણે બનતાં જોયાં નથી, પરંતુ જ્યારે પણ આપણે તેમને જોઈએ છીએ ત્યારે “આ કેટલું મનોહર બનાવ્યું છે યા આ ઠીક નથી બનાવ્યું એ જાતની કૃતબુદ્ધિ ઉત્પન્ન થાય છે જ. કોઈ પ્રાચીન વાવ યા કોઈ પ્રાચીન મહેલના ખંડેરને જોઈને તેના રચનારની કુશળતા પર આપણે વારી જઈએ છીએ અને મુખમાંથી “ધન્ય' શબ્દ સરી પડે છે. પરંતુ પૃથ્વી, પર્વત, નદી યા ઝગમગતા તારાઓને જોઈને ક્યારેય પણ બહુ જ સરસ બનાવ્યાં છે' એવી કુતબુદ્ધિ આપણને થતી નથી. તેથી જીર્ણ કૂપ આદિ દષ્ટાન્તમાં જોયેલું કૃતબુદ્ધિને ઉત્પન્ન કરનારું કાર્ય–પૃથ્વી આદિધર્મીમાં જોવા મળતું નથી, એટલે આપે આપેલો કાર્યત્વ હેતુ અસિદ્ધ છે. પૃથ્વી આદિને જોઈને લાગતું નથી કે તેમને કોઈએ બનાવ્યાં છે.] સમાધાન આપે જે કહ્યું તે યોગ્ય નથી. તેનું કારણ નીચે મુજબ છે. આપે કહ્યું કે પૃથ્વી આદિની બાબતમાં કુતબુદ્ધિ ઉત્પન્ન થતી નથી, તો જણાવો કે આ કૃતબુદ્ધિ પ્રામાણિકને અર્થાત્ સમજદારને નથી થતી કે સામાન્ય વ્યક્તિને નથી થતી? જો સામાન્ય વ્યક્તિને કૃતબુદ્ધિ ન થવાના કારણે કાર્યવહેતુને અસિદ્ધ માનવામાં આવે તો મૂઢ વ્યક્તિ તો ધૂમ અને ધૂમસમાં પણ વિવેક કરી શકતી નથી એટલે તેની દષ્ટિએ વિચાર કરતાં તો બધાં જ હેતુ અસિદ્ધ બની જશે અને પરિણામે સમસ્ત અનુમાનોનો જ ઉચ્છેદ થઈ જશે. પ્રામાણિક અર્થાત્ સમજદાર વ્યક્તિએ તો કાર્યવહેતુનો બુદ્ધિમત્કર્તુત્વ સાધ્ય સાથે અવિનાભાવસંબંધ ગ્રહણ કરેલો જ છે અને તે એ પણ જાણે છે કે કાર્યવહેતુ પૃથ્વી આદિમાં છે જ જેમ ધૂમત્વહેતુ પર્વતમાં છે. [ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવનાર સમજદાર વ્યક્તિને તો પૃથ્વી આદિને જોઈને નિયમથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy