SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યમત ૧૮૯ यस्याः सा नित्यस्वरूपिकाविचलितस्वरूपेत्यर्थः । अत एव सानवयवा साधारण्यशब्दास्पर्शारसारूपागन्धाव्यया चोच्यते । मौलिक्यसांख्या ह्यात्मानमात्मानं प्रति पृथक् पृथक् प्रधानं वदन्ति, उत्तरे तु सांख्याः सर्वात्मस्वप्येकं नित्यं प्रधानमिति प्रतिपन्नाः ॥३६॥ 10. શ્લોકવ્યાખ્યા– આ સત્ત્વ આદિ ત્રણ ગુણોની સમ અર્થાત્ ન્યૂનાધિકતાથી રહિત એકસરખી સ્થિતિ જ પ્રકૃતિ છે. [જે અવસ્થામાં ત્રણે ગુણો સમબલ હોય તે અવસ્થાવાળા ગુણો જ પ્રકૃતિ છે.] ‘કિલ’ શબ્દ પહેલાં કહેલી વાત તરફ સંકેત કરે છે. જો કે દેવ આદિમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોમાંથી કોઈ એક ગુણની અધિકતા યા પ્રધાનતા દર્શાવી છે તેમ છતાં પ્રમાણની અપેક્ષાએ એ ત્રણે ગુણો પરસ્પર સમાન અવસ્થાને પામે છે ત્યારે તેમની તે સામ્યાવસ્થા જ પ્રકૃતિ કહેવાય છે. પ્રધાન અને અવ્યક્ત એ બે બીજાં નામે પણ પ્રકૃતિ વાચ્ય યા અભિધેય છે. અર્થાત્ પ્રધાન અને અવ્યક્ત શબ્દો પ્રકૃતિના પર્યાયવાચી છે. તેનું સ્વરૂપ નિત્ય છે અર્થાત્ કૂટસ્થંનિત્ય છે. ફૂટસ્થનિત્ય સ્વરૂપ એટલે જેના સ્વભાવનો નાશ થતા નથી, જેનો કોઈ નવો સ્વભાવ ઉત્પન્ન થતો નથી, જેનો સ્વભાવ સ્થિર અને એક જ છે તે સ્વરૂપ. આવું જેનું સ્વરૂપ છે તે નિત્યસ્વરૂપિકા અર્થાત્ અવિચલિતસ્વરૂપા. એટલે તેને નિરવયવ, સાધારણ, શબ્દ-સ્પર્શ-૨સ-ગન્ધ-રૂપથી રહિત અને અવ્યય વર્ણવવામાં આવી છે. મૂલ સાંખ્યો પ્રત્યેક આત્મા સાથે પૃથક્ પૃથક્ પ્રકૃતિ છે એમ કહે છે, અર્થાત્ તેમના મતે અનન્ત પુરુષોની જેમ પ્રકૃતિઓ પણ અનન્ત છે. પરંતુ ઉત્તરકાલીન સાંખ્યો બધા આત્માઓ સાથે સંબંધ ધરાવતી એક જ નિત્ય પ્રકૃતિ છે એમ માને છે.(૩૬) [ત્રણ ગુણો પ્રકૃતિનું સ્વરૂપ છે.પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. ત્રણ ગુણોની સામ્યાવસ્થાનો અર્થ છે ત્રણ ગુણોનું સદેશ પરિણમન. અર્થાત્ સત્ત્વ સત્ત્વરૂપે, રજસ્ રજરૂપે અને તમસ્ તમરૂપે પરિણામ પામ્યા કરે છે. આ સદશપરિણામ વખતે ગુણોમાં ગૌણમુખ્યભાવ હોતો નથી, ત્રણ ગુણો સમબલ હોય છે અને એટલે વિસદશપરિણામ યા તત્ત્વાન્ત૨પરિણામ થતો નથી.ગુણો સદા ચંચલ છે, પરિણમનશીલ છે. ગુણો સદા પરિણમનશીલ હોય તો પ્રકૃતિ પણ સદા પરિણમનશીલ જ હોય એ કહેવાની જરૂર નથી કેમ કે પ્રકૃતિનું સ્વરૂપ જ ત્રણ ગુણો છે, પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે, એટલે જ્યારે આચાર્ય હરિભદ્રે પ્રકૃતિને નિત્ય કહી છે ત્યારે ખરેખર તો તેનો અર્થ પરિણામિનિત્ય જ થાય, કૂટસ્થનિત્ય થાય જ નહિ. પ્રકૃતિની ઉત્પત્તિ નથી તેમ જ નાશ પણ નથી અને ત્રિગુણાત્મક સ્વરૂપમાંથી તે ચ્યુત પણ થતી નથી. એ અર્થમાં તે પરિણામી હોવા છતાં નિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy