SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ प्रतिज्ञायाः पुनर्वचनं निगमनमिति १३ । 128. (૧૩) પુનરુક્ત – અનુવાદને છોડીને શબ્દ અને અર્થની પુનરુક્તિ કરવી એ પુનરુક્ત નામનું નિગ્રહસ્થાન છે. એક જ શબ્દનો એકથી વધુ વાર પ્રયોગ કરવો (ઉચ્ચાર કરવો) એ શબ્દપુનરુક્ત છે. તેનું ઉદાહરણ ‘શબ્દ અનિત્ય છે, શબ્દ અનિત્ય છે.’ કોઈ અર્થને એક શબ્દ દ્વારા જણાવી તે જ અર્થને પર્યાયશબ્દથી ફરી જણાવવો એ અર્થપુનરુક્ત છે. તેનું ઉદાહરણ – પહેલાં કહેવું કે ‘શબ્દ અનિત્ય છે', પછી કહેવું કે ‘ધ્વનિ વિનાશી છે.' પરંતુ અનુવાદ કરવામાં પુનરુક્તિ દોષ નથી. તેનું ઉદાહરણ - હેતુને જણાવ્યા પછી પ્રતિજ્ઞાને ફરી કહેવી તે નિગમન છે. - તર્કરહસ્યદીપિકા 129. पर्षदा विदितस्य वादिना त्रिरभिहितस्यापि यदप्रत्युच्चारणं, तदननुभाषणं नाम प्रतिवादिनो निग्रहस्थानं भवति । अप्रत्युच्चारयन् किमाश्रयं दूषणमभिदधीत १४ । 129. (૧૪) અનનુભાષણ – વાદીના જે કથનને પરિષદ સમજી જાય અને વાદી તેને ત્રણ વાર ઉચ્ચારે તો પણ જો પ્રતિવાદી તેનું પ્રત્યુચ્ચારણ ન કરી શકે તો તે અનનુભાષણ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે. પ્રતિવાદી જો વાદીના વાક્યનું પ્રત્યુચ્ચારણ નથી કરી શકતો તો તે તેનું ખંડન કેવી રીતે કરી શકે ? 130. पर्षदा विज्ञातस्यापि वादिवाक्यार्थस्य प्रतिवादिनो यदज्ञानं तदज्ञानं नाम निग्रहस्थानं भवति, अविदितोत्तरविषयो हि किमुत्तरं ब्रूयात्, न चाननुभाषणमेवेदं ज्ञातेऽपि वस्तुन्यनुभाषणासामर्थ्यदर्शनात् १५ । 130. (૧૫) અજ્ઞાન વાદીએ રજૂ કરેલા વાક્યનો અર્થ પરિષદ સમજી જાય પરંતુ પ્રતિવાદીની સમજમાં ન આવે તો પ્રતિવાદી અજ્ઞાન નિગ્રહસ્થાનથી પરાજિત થયો ગણાય. જો પ્રતિવાદી વાદીના પ્રશ્નના અર્થને જ સમજી ન શકે તો તે ઉત્તર કેવી રીતે આપી શકે ? ન જ આપી શકે. આ નિગ્રહસ્થાનનો સમાવેશ અનનુભાષણ નિગ્રહસ્થાનમાં ન કરી શકાય કેમ કે અનુભાષણનું અસામર્થ્ય તો જ્ઞાત વસ્તુને વિશે પણ હોઈ શકે છે. અનનુભાષણમાં માત્ર પુનઃ શબ્દોચ્ચારણના અસામર્થ્યની વિવક્ષા છે જ્યારે અજ્ઞાન નિગ્રહસ્થાનમાં શબ્દના અર્થને સમજવાની અશક્તિની. 131. परपक्षे गृहीतेऽप्यनुभाषितेऽपि तस्मिन्नुत्तराप्रतिपत्तिरप्रतिभा नाम निग्रहस्थानं भवति १६ । Jain Education International 131, (૧૬) અપ્રતિભા - વાદીના પક્ષને સમજવા છતાં અને તેનું અનુભાષણ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy