SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૬૫ धर्मस्य नित्यत्वात्तस्य च निराश्रयस्यानुपपत्तेस्तदाश्रयभूतः शब्दोऽपि नित्य एव स्यात्, तस्यानित्यत्वे तद्धर्मस्य नित्यत्वायोगात् । इत्युभयथापि नित्यः शब्द इति २२ । 108. (૨૨) નિત્યસમા — ખુદ સાધ્યરૂપ ધર્મમાં (પ્રસ્તુત અનિત્યતામાં) નિત્યતા અને અનિત્યતાના વિકલ્પો કરીને શબ્દની નિત્યતાનું આપાદન કરવું તે નિત્યતસમા જાતિ છે. તેનું ઉદાહરણ – ‘શબ્દ અનિત્ય છે' એવી પ્રતિજ્ઞા રજૂ કરાતાં જાતિવાદી વિકલ્પ કરે છે, ‘આપ શબ્દની જે અનિત્યતા જણાવો છો તે અનિત્યતા ખુદ નિત્ય છે કે અનિત્ય ? જો કહો કે અનિત્ય છે તો તે અવશ્ય નાશ પામનારી છે અને તેનો નાશ થતાં શબ્દ નિત્ય બની જશે. જો કહો કે નિત્ય છે તો ધર્મ નિત્ય હોવાથી ધર્મી પણ નિત્ય જ હોવો જોઈએ કારણ કે ધર્મ ધર્મી વિના નિરાધાર રહી શકતો નથી, નિરાશ્રય ધર્મ ઘટતો નથી. જો શબ્દ અનિત્ય હોય તો તેનો ધર્મ (અનિત્યત્વ) નિત્ય ઘટી શકે નહિ. ધર્મ નિત્ય હોય તો તેનો આશ્રયભૂત ધર્મી નિત્ય જ હોય. આમ બન્ને રીતે શબ્દની નિત્યતા જ આવી પડે છે, ‘શબ્દ નિત્ય છે’ એ જ સિદ્ધ થાય છે. 109. एवं सर्वभावानामनित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमा जाति: । घटसाधर्म्यमनित्यत्वेन शब्दस्यास्तीति तस्यानित्यत्वं यदि प्रतिपाद्यते, तदा घटेन सर्वपदार्थानामस्त्येव किमपि साधर्म्यमिति तेषामप्यनित्यत्वं स्यात् । अथ पदार्थान्तराणां तथाभावेऽपि नानित्यत्वं तर्हि शब्दस्यापि तन्मा भूदिति, अनित्यत्वमात्रोपपादनपूर्वकविशेषोद्भावनादविशेषसमातो भिन्नेयं जातिः २३ । 109. (૨૩) અનિત્યસમા –સર્વ ભાવોની (વસ્તુઓની) અનિત્યતાનું આપાદન કરીને ખંડન કરવું એ અનિત્યસમા જાતિ છે. ઉદાહરણ – જો અનિત્ય ઘટ સાથે સમાનતા હોવાના કારણે શબ્દને અનિત્ય કહેતા હો તો કોઈ ને કોઈ અંશમાં બધા જ ભાવો (બધી જ વસ્તુઓ) ઘટ સાથે સમાનતા ધરાવે છે એટલે બધા જ ભાવો અનિત્ય બની જશે. અને જો સ્વીકારવામાં આવે કે અનિત્ય ઘટ સાથે સમાનતા હોવા છતાં કેટલાક ભાવો (આકાશ આદિ) અનિત્ય નથી, તો શબ્દ પણ અનિત્ય ન હો. પૂર્વોક્ત (૧૮મી) અવિશેષસમા જાતિમાં બધી વસ્તુઓમાં સામાન્યપણે સમાનતાનું આપાદન કરવામાં આવે છે જ્યારે અનિત્યસમા જાતિમાં બધી વસ્તુઓમાં અનિત્યતામાત્રનું આપાદન કરી બધી વસ્તુઓમાં તદાધારિત જ સમાનતા દર્શાવવામાં આવે છે. અવિશેષસમા જાતિથી અનિત્યસમા જાતિનો આ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy