SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪. તર્કરહસ્યદીપિકા ઉચ્ચારણરૂપ પ્રયત્નથી તો શબ્દની અભિવ્યક્તિ થાય છે. ઉચ્ચારણ પહેલાં પણ શબ્દ વિદ્યમાન હોય છે, આવરણના કારણે તેની ઉપલબ્ધિ નથી થતી.” પેલો અનુમાનવાદી કહે છે, “જો આવરણના કારણે ઉચ્ચારણ પહેલાં શબ્દની ઉપલબ્ધિ નથી થતી તો ઓછામાં ઓછું આવરણ તો અવશ્ય ઉપલબ્ધ થવું જોઈએ, જેમ કપડાથી ઢંકાયેલી વસ્તુ નથી દેખાતી ત્યારે પણ કપડું તો જરૂર દેખાય છે જ. અહીં તો શબ્દનું આવરણ પણ ઉપલબ્ધ નથી થતું અને શબ્દ પણ ઉપલબ્ધ નથી થતો. તેથી ઉચ્ચારણ પૂર્વે શબ્દ વિદ્યમાન છે જ નહિ અને એટલે જ ઉચ્ચારણથી શબ્દની ઉત્પત્તિ માનવી જોઈએ, અભિવ્યક્તિ નહિ.” આની સામે જાતિવાદી કહે છે, “આપ જેવી રીતે આવરણની અનુપલબ્ધિથી આવરણનો અભાવ સિદ્ધ કરો છો તેવી જ રીતે આવરણની અનુપલબ્ધિ પણ ક્યાં ઉપલબ્ધ થાય છે? અર્થાત્ તે આવરણની અનુપલબ્ધિની પણ અનુપલબ્ધિ છે. તેથી જેમ આવરણાનુપલબ્ધિથી આવરણનો અભાવ સિદ્ધ થાય તેમ આવરણાનુપલબ્ધિની અનુપલબ્ધિથી આવરણાનુપલબ્ધિનો અભાવ સિદ્ધ થાય અર્થાત્ આવરણોપલબ્ધિ સિદ્ધ થાય અને આવરણોપલબ્ધિ સિદ્ધ થતાં આવરણની વિદ્યમાનતા અર્થાત્ સદ્ભાવ સિદ્ધ થાય અને આવરણનો અભાવ સિદ્ધ થવાથી ઉચ્ચારણ પહેલાં શબ્દનો સભાવ સિદ્ધ થઈ જાય છે. અમે જે આવરણાનુપલબ્ધિની અનુપલબ્ધિ કહી રહ્યા છીએ અને આપ જે આવરણની અનુપલબ્ધિ કહી રહ્યા છો તે અનુપલબ્ધિઓ સ્વરૂપસત છે કે નહિ? જો છે તો જે રીતે આવરણવિષયક અનુપલબ્ધિ સ્વરૂપસતું હોવાથી આપ આવરણનો અભાવ સિદ્ધ કરો છો તેમ આવરણાનુ પલબ્ધિવિષયક અનુપલબ્ધિ પણ સ્વરૂપસતું હોવાથી આવરણાનુપલબ્ધિનો અભાવ સિદ્ધ કરશે. આ રીતે આવરણાનુપલબ્ધિનો અભાવ હોતાં આવરણોપલબ્ધિનો સદ્ભાવ જ બની જાય છે. તેથી જેમ માટીથી ઢંકાયેલાં મૂળ, ખીલા વગેરેની માટીરૂપ આવરણના કારણે અનુપલબ્ધિ છે તેમ ઉચ્ચારણ પહેલાં શબ્દની પણ આવરણના કારણે અનુપલબ્ધિ છે. જો અનુપલબ્ધિ સ્વરૂપસત નથી અર્થાત્ અનુપલબ્ધિ નથી તો આવરણની અનુપલબ્ધિ ન હોવાના કારણે આવરણની ઉપલબ્ધિ જ ફલિત થાય છે. આ રીતે પણ ઉચ્ચારણ પહેલાં શબ્દનું અસ્તિત્વ જ સિદ્ધ થાય છે. આમ બન્ને રીતે શબ્દ પ્રયત્નનું કાર્ય ઘટી શકતું નથી. તેથી શબ્દને નિત્ય જ માનવો જોઈએ. ___ 108. साध्यधर्मनित्यानित्यविकल्पेन शब्दस्य नित्यत्वापादनं नित्यसमा जातिः । अनित्यः शब्द इति प्रतिज्ञाते जातिवादी विकल्पयति । येयमनित्यता शब्दस्योच्यते सा किमनित्या नित्या वेति । यद्यनित्या तदियमवश्यमपायिनीत्यनित्यताया अपायान्नित्यः शब्दः । अथानित्यता नित्यैव तथापि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy