SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪૯ નૈયાયિકમત ~: ‘હિત' રૂતિ પૂર્વક્નોલ્લંઘનયમ્ 79. શ્લોકવ્યાખ્યા- જે કથા વિજયના અભિલાષી વાદી તથા પ્રતિવાદી દ્વાર શરૂ કરાય છે તથા જેમાં છલ જાતિ નિગ્રહસ્થાન – જેમનાં લક્ષણ આગળ કહેવામાં આવશે તે – જેવા અસદુપાયોથી પ્રતિપક્ષમાં દોષોનું ઉલ્કાવન કરવામાં આવે છે તે પ્રમાણગોષ્ઠી જલ્પ કહેવાય છે. આ શ્લોકમાં “ઉદાહત' ક્રિયાનું અનુવર્તન પૂર્વ શ્લોકમાંથી કરી લેવું જોઈએ. 80. ननु छलजात्यादिभिः परपक्षादेर्दूषणोत्पादनं सतां कर्तुं न युक्तमिति चेत्, न । सन्मार्गप्रतिपत्तिनिमित्तं तस्याभ्यनुज्ञातत्वात् । अनुज्ञातं हि स्वपक्षस्थापनेन सन्मार्गप्रतिपत्तिनिमित्ततया छलजात्याधुपन्यासैरपि परप्रयोगस्य दूषणोत्पादनम् । तथा चोक्तम् "दुःशिक्षितकुतांशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपमण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्गं तत्प्रतारितः ।। મદ્વિતિ છત્નાવનિ પ્રદ વાર્તા મુનિ રા" [ચાયમ પ્રમ૦ પૃ૦ ૨૨] इति । संकटे प्रस्तावे च सति छलादिभिरपि स्वपक्षस्थापनमनुमतम् । परविजये हि धर्मध्वंसादिदोषसंभवः, तस्माद्वरं छलादिभिरपि जयः। 80. શંકા- સભ્ય સત્પરુષો છલ, જાતિ તથા નિગ્રહસ્થાન જેવા અસદુપાયોથી પરપક્ષમાં દૂષણોનું ઉલ્કાવન કરે એ યોગ્ય લાગતું નથી. સમાધાન– [આપની વાત સાચી છે, પરંતુ સન્માર્ગની પ્રતિપત્તિ યા રક્ષા માટે છલ આદિનો પણ અપવાદરૂપે આશ્રય લેવો જ પડે છે,] તેનો આશ્રય લીધા વિના ન ચાલે. સ્વપક્ષની સ્થાપના દ્વારા સન્માર્ગની પ્રતિપત્તિ માટે છલ, જાતિ આદિ અસદુપાયોનો પ્રયોગ કરીને પણ પરપક્ષનું ખંડન કરવાની શાસ્ત્રકારોએ અનુજ્ઞા આપી છે. કહ્યું પણ છે કે “દુષ્ટ આશયથી શીખેલા નાના મોટા કુતર્કોના બળે જેઓ મુખથી વાચાળતાનું પ્રદર્શન કરે છે, અથવા દુઃશિક્ષિત હોવાના કારણે જેઓ થોડાક કુતર્કો વડે મુખથી વાચાળતાનું પ્રદર્શન કરે છે તથા જેઓ વિતંડા દ્વારા અર્થાત્ નિરર્થક વાજાળ દ્વારા મોટો આડંબર કરી ધૂર્તતાપૂર્વક પરપક્ષનું ખંડન કરવામાં કુશળ છે તેવાઓને શું અન્યથા (અર્થાત્ છલ, જાતિ આદિના પ્રયોગ વિના) જીતી શકાય? [કદાપિ જીતી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy