SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ તર્કરહસ્યદીપિકા शिष्यश्चोत्तरपक्षमुररीकृत्य पूर्वपक्षं खण्डयति । एवं पक्षप्रतिपक्षसंग्रहेण निग्राहकसभापतिजयपराजयच्छलजात्याद्यनपेक्षतयाभ्यासार्थं यत्र गुरुशिष्यौ गोष्ठीं कुरुतः, स वादो विज्ञेय ॥२९॥ 77. હવે પ્રસ્તુતના છૂટી ગયેલા તંતુને પાછો પકડીને પ્રકૃત શ્લોકનું વ્યાખ્યાન ફરી ચાલુ કરીએ છીએ. આચાર્ય એટલે અધ્યાપક ગુર. શિષ્ય એટલે અધ્યયન કરનાર વિનીત વિદ્યાર્થી. આ બન્ને જ્યારે પક્ષને અર્થાત પૂર્વપક્ષને – જેમાં પોતાના સિદ્ધાન્તને સ્થાપવાની પ્રતિજ્ઞા હોય છે તેને–અને પ્રતિપક્ષને અર્થાત પૂર્વપક્ષના વિરોધી એટલે કે પૂર્વપક્ષનું ખંડન કરનાર ઉત્તરપક્ષને સ્વીકારીને અભ્યાસ કરવા માટે જે કથા – પ્રામાણિક ચર્ચા કરે છે તે કથાને વાદ કહે છે. આચાર્ય કોઈ પૂર્વપક્ષને લઈને તેની સ્થાપના કરે છે, શિષ્ય ઉત્તરપક્ષ લઈને [પોતાની તર્કશક્તિ વધારવા માટે પોતાની સમજ પ્રમાણે) તેનું ખંડન કરે છે. આમ ગુરુ અને શિષ્ય પક્ષ અને પ્રતિપક્ષ લઈને અભ્યાસ કરવા માટે જે ગોષ્ઠી અર્થાત તત્ત્વચર્ચા કરે છે તે વાદ છે. આ તત્ત્વચર્ચામાં જય-પરાજયની ગુરુ-શિષ્ય બેમાંથી કોઈને અપેક્ષા નથી હોતી, તેથી જય-પરાજયનો નિર્ણય કરનાર કોઈ સભાપતિ પણ હોતા નથી તેમજ યેનકેન પ્રકારેણ જય-પરાજય મેળવવાના ઉપાયભૂત છલ જાતિ વગેરેના અસત્યયોગો કરવાની પણ બેમાંથી કોઈને અપેક્ષા હોતી નથી. આ વાદ તો ગુરુશિષ્યની અભ્યાસ માટે કરવામાં આવતી તત્ત્વજ્ઞાનગોષ્ઠી છે. આને વાદ જાણવો. (૨૯) 78. મથ ગાવિત વિવૃતિविजिगीषुकथा या तु छलजात्यादिदूषणा । स जल्पः सा वितण्डा तु या प्रतिपक्षवर्जिता ॥३०॥ 78. હવે આચાર્ય જલ્પ અને વિતંડાનું વ્યાખ્યાન કરે છે– જે વિજિગીષકથામાં પરપક્ષમાં છલ જાતિ વગેરે દ્વારા દોષ દેવામાં આવે છે તે વિજિગીષુકથા જલ્પ છે. જે જલ્પમાં વાદી પોતાનો પક્ષ સ્થાપતો જ નથી પણ પરપક્ષમાં દોષ જ દેખાડ્યા કરે છે તે જલ્પ જ વિતંડા કહેવાય છે.(૩૦) 79. વ્યા– તુ યા પુનર્વિનિપુથા વિઝથાપનાષિમ્યાં વારિप्रतिवादिभ्यां प्रारब्धा प्रमाणगोष्ठी, कथंभूता, छलानि जातयश्च वक्ष्यमाणलक्षणानि, आदिशब्दान्निग्रहस्थानादिपरिग्रहः, एतैः कृत्वा दूषणं परोपन्यस्तपक्षादेर्दोषोत्पादनं यस्यां सा छलजात्यादिदूषणा, स विजिगीषुकथारूपो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy