SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ નિયાયિકમત દ્રવ્યરૂપે સત્ પણ પર્યાયરૂપે અસત્ એવા સત-અસત્ ઉભયરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે. આવ તે તે શાસ્ત્રોના પોતપોતાના સિદ્ધાન્તો પ્રતિતત્ર સિદ્ધાન્તો છે. 68. यस्य सिद्धावन्यस्य प्रक्रियमाणस्य प्रतिज्ञार्थस्य प्रसङ्गेनाधिकस्य सिद्धिः, सोऽधिकरणसिद्धान्तः, यथा कार्यत्वादेः क्षित्यादौ बुद्धिमत्कारणसामान्यसिद्धावन्यस्य तत्कारणसमर्थस्य नित्यज्ञानेच्छाप्रयत्नाधारस्य तत्कारणस्य सिद्धिरिति । 68. જે એક સિદ્ધાન્તની સિદ્ધિ થતાં તત્સંબંધી અન્ય અર્થોની સિદ્ધિ થઈ જ જાયકેમ કે જો તે અન્ય અર્થો ન સ્વીકારો તો પેલા એક સિદ્ધાન્તને ક્ષતિ પહોંચે– તે અધિકરણ સિદ્ધાન્ત છે. અધિકરણ સિદ્ધાન્ત એટલે અન્ય સિદ્ધાન્તોની સિદ્ધિના આધારરૂપ સિદ્ધાન્ત. તેનું ઉદાહરણ આ છે – કાર્યત્વ હેતુ દ્વારા પૃથ્વી આદિ સામાન્યપણે ઈશ્વરકર્તક સિદ્ધ થતાં તે ઈશ્વરમાં નિત્યજ્ઞાન, નિત્ય ઇચ્છા તથા નિત્ય પ્રયત્નની સિદ્ધિ થવી એ અધિકરણ સિદ્ધાન્ત છે. ઈશ્વરમાં નિત્યજ્ઞાન આદિ માન્યા વિના પૃથ્વી આદિ કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય જ સિદ્ધ થઈ શકે નહિ. ઈશ્વરને પૃથ્વી આદિનો કર્તા માનો એટલે ઈશ્વરમાં નિત્ય જ્ઞાન છે, નિત્ય ઇચ્છા છે, નિત્ય પ્રયત્ન છે એ બધું સિદ્ધાન્ત તરીકે સ્વીકારવું જ પડે. તાત્પર્ય એ કે જે મૂલ સિદ્ધાન્ત સિદ્ધ થતાં તેના અવિનાભાવી અન્ય નાના-મોટા અનેક સિદ્ધાન્તો ફલિત થઈ જાય છેઆપોઆપ જ સિદ્ધ ઘોષિત થઈ જાય છે – તેને અધિકરણ સિદ્ધાન્ત કહે છે. 69. પ્રૌઢવામિક સ્વવૃદ્ધતિશરિરથાપવષય વિસ્વપરીक्षितमभ्युपगम्य विशेषः परीक्ष्यते, सोऽभ्युपगमसिद्धान्तः, यथास्तु द्रव्यं शब्दः, स तु किं नित्योऽनित्यो वेति शब्दस्य द्रव्यत्वमनिष्टमभ्युपगम्य नित्यानित्यत्वविशेषः परीक्ष्यते । एवं चतुर्विधः सिद्धान्तः ॥२६॥ 69. પ્રૌઢવાદી પોતાની બુદ્ધિનો અતિશય અર્થાત ચમત્કાર દેખાડવાની ઇચ્છાથી જે કોઈ અર્થને પરીક્ષા કર્યા વિના જ “તુષ્ય, દુર્જન' ન્યાયથી સ્વીકારીને પછી વિશેષાંશની પરીક્ષા કરે છે તેને અભ્યપગમ સિદ્ધાન્ત કહે છે. ઉદાહરણ– “ભલે શબ્દ દ્રવ્ય જ છે એ સ્વીકારી લીધું, પરંતુ તે નિત્ય છે કે અનિત્ય ?' આ રીતે શબ્દમાં દ્રવ્યત્વને, જે ઇષ્ટ નથી તેને, પરીક્ષા કર્યા વિના જ સ્વીકારીને પછી તે શબ્દના નિત્યત્વ અને અનિત્યત્વરૂપ વિશેષાંશોની પરીક્ષા કરવામાં લાગી જાય છે. આ રીતે સિદ્ધાન્તના ચાર પ્રકાર છે. (૨૬). 70. વયેવાવિતત્ત્વત્રયસ્વરૂપં પ્રરૂપતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy