SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ તર્કરહસ્યદીપિકા नापीन्द्रियाणां विषयाणां वा गुणा उपहतेष्वप्यनुस्मरणदर्शनात् । न चान्यस्य प्रसक्तिरस्ति, अतः परिशेषादात्मसिद्धिः । प्रयोगश्चात्र, योऽसौ पर: स आत्मशब्दवाच्यः, इच्छाद्याधारत्वात् । ये त्वात्मशब्दवाच्या न भवन्ति, त इच्छाद्याधारा अपि न भवन्ति, यथा शरीरादयः । अत्र प्रत्यक्षेणागृहीत्वान्वयं केवलव्यतिरेकबलादात्मनः प्रमा शेषवतः फलम् ।। 46. શેષવત અનુમાન એટલે પરિશેષ અનુમાન, પ્રસક્તનો નિષેધ કરતા કરતા અર્થાત્ જેમની અંદર પ્રકૃતિ પદાર્થને રહેવાની આશંકા થઈ શકતી હોય તે પદાર્થોનો નિષેધ કરતા કરતા, જયારે કોઈ અનિષ્ટ પદાર્થની સંભાવના રહે નહિ ત્યારે બાકી રહેલા ઇષ્ટ પદાર્થનું પ્રકૃત પદાર્થના આધાર યા આશ્રય તરીકે જ્ઞાન કરવું પરિશેષાનુમાન છે. ઉદાહરણ– ‘ગુણ હોવાથી' હેતુ દ્વારા ઇચ્છા આદિના પારતન્યની અર્થાત આશ્રિત હોવાની સિદ્ધિ થઈ જતાં શરીર, વિષય, ઇન્દ્રિયોમાં પણ ઇચ્છા આદિના આશ્રિત હોવાની અર્થાત્ રહેવાની સંભાવના બને છે – “ઇચ્છા આદિ શરીર આદિને આશ્રિત પણ હોઈ શકે', ત્યારે તે સંભવિત યા પ્રસક્ત પદાર્થોનો નિષેધ કરાતાં અનિષ્ટ અર્થની સંભાવના ન રહેવાથી પરિશેષરૂપે અર્થાત્ શેષ(બાકી) રહેલા ઇષ્ટ આત્મામાં જ ઈચ્છા આદિને આશ્રિત સિદ્ધ કરવા એ પરિશેપાનુમાનનું કાર્ય છે. પ્રસક્તનો પ્રતિષેધ આ પ્રમાણે કરવામાં આવે છે ઇચ્છા આદિ શરીરના વિશેષ ગુણો હોઈ શકે નહિ કેમ કે જે શરીરના વિશેષગુણો રૂપાદિ છે તે તો સ્વ અને પરસૌને પ્રત્યક્ષ થાય છે પરંતુ ઈચ્છા આદિ ગુણો તો જે આત્માના તે ગુણો છે તેને જ પ્રત્યક્ષ થાય છે, અન્ય આત્માને પ્રત્યક્ષ થતા નથી. ઈચ્છા આદિ ઇન્દ્રિય અને વિષયના પણ ગુણો હોઈ શકે નહિ, કેમ કે અમુક ઈન્દ્રિયોનો અને વિષયોનો નાશ થઈ જવા છતાં પણ સ્મરણ આદિ ગુણોનો ભાવ દેખાય છે. જો જ્ઞાન, ઇચ્છા વગેરે ઇન્દ્રિયો તથા વિષયોના ગુણો હોત તો ગુણીનો નાશ થતાં અનુસ્મરણ આદિ ગુણોની પ્રતીતિ કદી ન થાત. આ શરીર, ઇન્દ્રિય અને વિષય ત્રણથી અતિરિક્ત બીજા કોઈ અનિષ્ટ અર્થની સંભાવના નથી. તેથી પરિશેષ અર્થાત શેષ (બાકી) બચેલા ઈષ્ટ આત્માની જ ઈચ્છા આદિ ગુણોના આધાર તરીકે સિદ્ધિ થઈ જાય છે. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છેપરતત્રમાં જે પર છે તે આત્મશબ્દવાચ્ય આત્મા જ છે, કેમ કે તે જ ઈચ્છા આદિનો આધાર ઘટે છે. જે આત્મશબ્દવા આત્મા નથી તે ઇચ્છા આદિનો આધાર હોઈ શકે જ નહિ જેમ કે શરીર આદિ. આ અનુમાનમાં પ્રત્યક્ષથી અન્વયવ્યાપ્તિ ગૃહીત નથી, તેથી કેવલ વ્યતિરેકવ્યાપ્તિના બળે થતું આત્માનું જ્ઞાન શેષવત્ અનુમાનનું ફળ છે. 47. यत्र धर्मी साधनधर्मश्च प्रत्यक्षः साध्यधर्मश्च सर्वदाप्रत्यक्षः साध्यते Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy