SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ' નૈયાયિકમત "आधारभस्मकौपीनजटायज्ञोपवीतिनः । स्वस्वाचारादिभेदेन चतुर्धा स्युस्तपस्विनः ॥१॥ शैवाः पाशुपताश्चैव महाव्रतधरास्तथा । तुर्याः कालमुखा मुख्या भेदा एते तपस्विनाम् ॥२॥ " 4. નૈયાયિકમતમાં જેવાં લિંગ વેષ આદિ છે પ્રાયઃ તેવાં જ લિંગ વેષ આદિ વૈશેષિકમતમાં પણ જાણવાં. જો કે નૈયાયિકો અને વૈશેષિકોની પ્રમાણ અને તત્ત્વોની સંખ્યામાં ભેદ છે તેમ છતાં જ્યારે એકનાં તત્ત્વોનો બીજાનાં તત્ત્વોમાં અન્તર્ભાવ કરી લેવામાં આવે છે ત્યારે તેમનો મતભેદ પ્રાયઃ બહુ જ થોડો રહે છે. તેથી તેમના મતો પ્રાયઃ તુલ્ય છે. તે બન્નેને તપસ્વી કહેવામાં આવે છે. તેમના શૈવ આદિ ચાર ભેદ છે. કહ્યું પણ છે કે “રહેવાનાં સ્થાન, આસનં આદિ, ભસ્મ, લંગોટ, જટા તથા જનોઈને ધારણ કરનારા તે તપસ્વીઓ પોતપોતાના આચારના ભેદે ચાર પ્રકારના છે– (૧) શૈવ, (૨) પાશુપત, (૩) મહાવ્રતધર અને (૪) કાલમુખ. તપસ્વીઓના આ ચાર જ મુખ્ય ભેદ છે.’’ ૯૫ 5. तेषामन्तर्भेदा भरटभक्तलैङ्गिकतापसादयो भवन्ति । भरटादीनां व्रतग्रहणे ब्राह्मणादिवर्णनियमो नास्ति । यस्य तु शिवे भक्तिः स व्रती भरटादिर्भवेत् । परं शास्त्रेषु नैयायिकाः सदा शिवभक्तत्वाच्छैवा इत्युच्यन्ते, वैशेषिकास्तु पाशुपता इति । तेन नैयायिकशासनं शैवमाख्यायते, वैशेषिकदर्शनं च पाशुपनमिति । इदं मया यथाश्रुतं यथादृष्टं चात्राभिदधे । तत्तद्विशेषस्तु तद्ग्रन्थेभ्यो विज्ञेयः ॥ १२ ॥ 5. તેમના અવાન્તર ભેદો તો ભરટ, ભક્ત, લૈંગિક, તાપસ આદિ અનેક છે. આ ભરટ વગેરેનાં વ્રત-નિયમો ધારણ કરવા માટે બ્રાહ્મણ આદિ વર્ણના હોવું આવશ્યક નથી.જે કોઈને શિવમાં ભક્તિ હોય તે વ્રતો ધારણ કરીને ભરટ આદિ બની શકે છે. નૈયાયિક લોકો સદા શિવની ભક્તિ કરે છે, તેથી શાસ્ત્રોમાં તેમને શૈવ કહ્યા છે, અને વૈશેષિકોને પાશુપત કહ્યા છે. આ જ કારણે નૈયાયિકોના દર્શનને ‘શૈવદર્શન' કહેવામાં આવે છે અને વૈશેષિકોના દર્શનને ‘પાશુપતદર્શન’ કહેવામાં આવે છે. આ બધું વર્ણન જે કંઈ મેં જોયું તથા જે કંઈ મેં પરંપરાથી સાંભળ્યું તેના આધારે કર્યું છે. તેમનું વિશેષ વર્ણન તો તેમના ગ્રન્થોમાંથી જાણી લેવું જોઈએ. (૧૨) 6. अथ पूर्वप्रतिज्ञातं नैयायिकमतसंक्षेपमेवाह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy