SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૬૫ થતાં જ તદ્રુપ પ્રાપણશક્તિનો અને તગ્નિમિત્તક પ્રમાણતાનો પણ નિશ્ચય તેને થઈ જ જાય છે. જેવી રીતે સ્વલક્ષણનો અનુભવ કરવા માટે નિર્વિકલ્પક દર્શનરૂપ પ્રત્યક્ષને અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી તેવી જ રીતે તેને પોતાના પ્રામાણ્યનો નિશ્ચય કરવા માટે પણ અન્ય જ્ઞાનની અપેક્ષા નથી. તેથી અવિસંવાદકત્વ જ પ્રમાણનું નિર્દોષ લક્ષણ છે, એમ કહેવું યોગ્ય છે. (૮) 72. अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं प्रमाणसंख्यां नियमयन्नाह प्रमाणे द्वे च विज्ञेये तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानं च सम्यग्ज्ञानं द्विधा यतः ॥९॥ 72. હવે આચાર્ય પ્રમાણવિશેષોનાં લક્ષણોનું કથન કરતાં પહેલાં પ્રમાણની સંખ્યાનું નિર્ધારણ કરતાં કહે છે – તથા બૌદ્ધ દર્શનમાં બે જ પ્રમાણો છે – પ્રત્યક્ષ અને અનુમાન. સમ્યજ્ઞાન બે પ્રકારનાં છે એટલે પ્રમાણ પણ બે જ હોઈ શકે, વધુ નહિ. (૯) 73. ચાર–તથા શબ્દ પ્રાપુર્તત્ત્વાdયા સમુચ્ચયે, ચશબ્દોડવधारणे । ततोऽयमर्थ:- सौगतदर्शने द्वे एव प्रमाणे विज्ञेये, न पुनरेकं त्रीणि चत्वारि पञ्च षड् वा प्रमाणानि । एतेन चार्वाकसांख्यादिपरिकल्पितं प्रमाणसंख्यान्तरं बौद्धा न मन्यन्त इत्यावेदितं भवति । के ते द्वे प्रमाणे इत्याहप्रत्यक्षमनुमानं च । कुतो द्वे एव प्रमाणे इत्याह-सम्यगविपरीतं विसंवादरहितमिति यावज्ज्ञानं यतो हेतोद्विधा । सर्वं वाक्यं सावधारणमिति न्यायाद् द्विधैव न त्वेकधा त्रिधा वेति । 73. શ્લોકની વ્યાખ્યા– શ્લોકમાં ‘તથા” શબ્દ પહેલાં જણાવવામાં આવેલાં તત્ત્વો સાથે સમુચ્ચય કરવા માટે છે અને “' શબ્દ અવધારણાર્થક છે. તેથી આ અર્થ થયો કે બૌદ્ધદર્શનમાં બે જ પ્રમાણ છે, ન તો એક અને ન તો ત્રણ, ચાર, પાંચ કે છ. આના દ્વારા સૂચવાયું કે બૌદ્ધોને ચાર્વાક દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષરૂપ એક સંખ્યા, સાંખ્ય દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, અનુમાન અને આગમરૂપ ત્રણ સંખ્યા, નૈયાયિક દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાનરૂપ ચાર સંખ્યા, પ્રાભાકર મીમાંસા દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિરૂપ પાંચ સંખ્યા, અને ભટ્ટ મીમાંસા દ્વારા સ્વીકૃત પ્રમાણની પ્રત્યક્ષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy