SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૬૧ स्वाकारो ग्राह्यो न बाह्योऽर्थः प्राप्यस्तु बाह्यः स्वाकाराभेदेनाध्यवसित इति । तद्विषयमस्यापि प्रदर्शितार्थप्रापकत्वं प्रामाण्यम् । तदुक्तम्- "न ह्याभ्यामर्थं परिच्छिद्य प्रवर्तमानोऽर्थक्रियायां विसंवाद्यते " [ ] કૃતિ । 1 " 69. આ રીતે સૌત્રાન્તિક મત અનુસાર ચાર આર્યસત્યોનું અને સામાન્ય બૌદ્ધમતની દૃષ્ટિએ બાર આયતનરૂપ બાર તત્ત્વોનું નિરૂપણ કર્યું. હવે પ્રમાણના બે ભેદો પ્રત્યક્ષ અને અનુમાનનાં વિશેષલક્ષણો જણાવવાં જોઈએ. પરંતુ સામાન્ય લક્ષણ વિના વિશેષ લક્ષણ સંભવતું નથી. એટલે પ્રમાણનાં વિશેષ લક્ષણો ત્યારે કહી શકાય જ્યારે પહેલાં પ્રમાણનું લક્ષણ કહ્યું હોય. એટલે પહેલાં પ્રમાણનું સામાન્ય લક્ષણ કહેવામાં આવે છે. તે છે – “અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે.’” [પ્રમાણવાર્તિક, ૧.૩]. તેથી જે જ્ઞાન અવિસંવાદક છે તે જ્ઞાન જ પ્રમાણની કોટિમાં આવે છે. જે જ્ઞાન અર્થનું પ્રાપક હોય તે જ અવિસંવાદી કહેવાય છે. જે જ્ઞાન અર્થની પ્રાપ્તિ ન કરાવે તે જ્ઞાન અવિસંવાદી ન હોઈ શકે, જેમ કે કેશોચ્છુકનું જ્ઞાન. સ્વચ્છ આકાશમાં, તડકાને લીધે ચાલી ફરીને આવનારને વાળ જેવી કે મચ્છરો (ઉચ્છુક) જેવી કાળી રેખાઓ કે કાળાં ધાબાં દેખાય છે, તેને કેશોચ્છુકજ્ઞાન કહે છે. આ કેશોચ્છુકશાન કેશ અને ઉર્ણાંકનું દર્શન કરાવે છે પરંતુ કેશ અને ઉચ્છુકની પ્રાપ્તિ કરાવતું નથી, તેથી તે પ્રાપક ન હોવાથી અવિસંવાદી પણ નથી. આ રીતે અવિસંવાદિત્વનો અર્થપ્રાપકત્વ સાથે વ્યાપ્તિસંબંધ અર્થાત્ અવિનાભાવસંબંધ છે. વળી અર્થપ્રાપકત્વનો પ્રવર્તકત્વની સાથે વ્યાપ્તિસંબંધ અર્થાત્ અવિનાભાવસંબંધ છે, કેમ કે જે જ્ઞાન પ્રવર્તક જ નથી તે અર્થની પ્રાપ્તિ પણ કરાવતું નથી. આ રીતે પ્રવર્તકત્વનો પણ વિષયોપદર્શકત્વ સાથે વ્યાપ્તિસંબંધ યા અવિનાભાવસંબંધ છે. જે જ્ઞાન પોતાના વિષયનું યથાર્થ ઉપદર્શન કરાવે છે તે જ પ્રવૃત્તિમાં પ્રયોજક બનીને પ્રવર્તક બને છે અને તે જ અર્થપ્રાપક પણ કહેવાય. જ્ઞાન જ્ઞાતાનો હાથ પકડીને તો તેને પદાર્થ પાસે દોરી જતું નથી. હા, તે તો એટલું જ કરી શકે છે કે તે પદાર્થનું ઉપદર્શન કરાવી દે. જ્ઞાનમાં આ વિષયોપદર્શનરૂપ જ પ્રવર્તકતા અને પ્રાપકતા છે. પોતાના વિષયના ઉપદર્શન સિવાય બીજી કોઈ પણ જાતની પ્રવર્તકતા અને પ્રાપક્તા જ્ઞાનમાં ઘટી શકતી નથી. આ પ્રાપતા શક્તિરૂપ છે. કહ્યું પણ છે કે “પ્રાપણશક્તિને જ પ્રામાણ્ય કહે છે, અને યથાર્થ અર્થાત્ પ્રમાણરૂપ જ્ઞાનમાં આ શક્તિનું હોવું એ જ પ્રાપકત્વ છે.” [ ]. પ્રત્યક્ષ અને અનુમાન જ પોતાના વિષયના યથાર્થ ઉપદર્શક છે, બીજું કોઈ જ્ઞાન એવું નથી. તેથી પ્રત્યક્ષ અને અનુમાનનું જ લક્ષણ કહેવું જોઈએ. આ બન્નેનું સામાન્ય લક્ષણ અવિસંવાદકત્વ ા છે જ. પ્રત્યક્ષ તો અર્થક્રિયાની સાધક સ્વલક્ષણરૂપ વસ્તુને સાક્ષાત્ વિષય કરીને તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy