SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન બનેલું છે; કેટલાક વિસ્તારમાં તે પથરાળ છે; વળી અમુક વિસ્તારમાં તેમાં નવથી દસ હજાર ફૂટ ઊંચા, વનસ્પતિરહિત સૂકા પર્વતો આવેલા છે. જૂના વખતથી સહરાના રણમાં એક સ્થળેથી પાસેના બીજે સ્થળે જવાના નજીક નજીકના રસ્તાઓ થયેલા છે. રખડુ જાતિના લોકો ઊંટ ઉપર ઘરવખરી અને કુટુંબના સભ્યોને લઈ, જ્યાં પાણી અને ઝાડપાનને લીધે ઠંડક હોય એવા સ્થળે મુકામ કરે છે. એવાં સ્થળોને રણદ્વીપ (Oasis) કહે છે. એવી રીતે એક રણદ્વીપથી બીજા રણદ્વીપ સુધીની સફર કરી, મુકામ કરી, ફરી આગળ સફર વધારનાર વણઝારા જેવી જાતિના લોકો આફ્રિકાના સહરાના રણમાં હજુ પણ છે. અલબત્ત, રણમાં, એવા વિસ્તારો પણ છે કે જ્યાં પહોંચવું એટલે મોતને નોતરવા બરાબર ગણાય. દિવસે અતિશય ગરમી, રાત્રે અતિશય ઠંડી, ઘડીકમાં માણસને દાટી દે એવી ઊડતી રેતીનાં વાવાઝોડાં, વાટમાં ખોરાક-પાણી ખૂટી જવાં વગેરે પ્રકારનાં ભયંકર જોખમો ઓછાં નથી. હવે તો આખું સહરાનું રણ ખૂદાઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધ વખતે સહરાના રણમાં પણ યુદ્ધ ખેલાયું હતું. હેલિકૉપ્ટરની સગવડ પછી તો આવડા મોટા રણમાં પણ કોઈ જગ્યા વણશોધી, વણમાપી રહી નથી. પાંચ હજાર કિલોમીટર લાંબા સહરાના રણમાં અમારે તો ફક્ત બસો વીસ કિલોમીટરનું અંતર રણના એક ખૂણામાં એક છેડાથી બીજા છેડા સુધીનું કાપવાનું હતું. સહરાના રણમાંથી પસાર થવું એટલો અનુભવ પણ અમારા માટે રોમાંચક હતો. રસ્તો નાકની દાંડીએ સીધો ચાલ્યો જતો હતો. આવા નિર્જન રણવિસ્તારમાં રસ્તો કરવાનો હોય તો તેને વળાંક આપવાની જરૂર ઊભી ન થાય. એટલે બસ તો પાણીના રેલાની જેમ સીધી સડસડાટ ચાલી જતી હતી. રસ્તાની બંને બાજુ કરેલી વાડમાં રણપ્રદેશમાં ઊગી શકે એવી વનસ્પતિ વાવવામાં આવી હતી. થોર (Cactus)ના પ્રકારની વનસ્પતિને પાણી ખાસ ન જોઈએ. હવામાંથી જ તે ભેજ ગ્રહણ કરી લે અને સૂર્યપ્રકાશમાંથી પોષણ મેળવી લે. પાંદડાં વગરના માત્ર ડાંખળાવાળા નાના નાના છોડ પણ રસ્તાની બંને બાજુ વાવેલા હતા. કયાંક સાવ નાનાં નાનાં વૃક્ષો પણ હતાં. મોટાં ઘટાદાર વૃક્ષોનું તો રણમાં કયાંય નામનિશાન જોવા ન મળે. અમારી ગાઈડે કહ્યું કે “આ રણપ્રદેશને ખીલવવા અમારી સરકાર તરફથી એવી યોજના કરવામાં આવી છે કે જેને જમીન જોઈતી હોય તેને નજીવા ભાવે તે આપવામાં આવે. વળી દસ વર્ષના હસ્તે તે રકમ ભરવાની રહે. પણ શરત એટલી કે તે લેનારે જમીનમાં ખેતીવાડી કરવી જોઈએ. ખાસ તો દ્રાક્ષ, ખજૂર વગેરે રણમાં થાય તેવી વનસ્પતિ ઉગાડી શકાય. દર વર્ષે તેની પ્રગતિનું સરકારી વહીવટીતંત્ર નિરીક્ષણ કરે છે. નાઈલ નદીમાંથી નહેર દ્વારા અહીં પાણી લાવી શકાય છે. અથવા અમુક ફળદ્રુપ વિસ્તારમાં ટ્યૂબવેલ દ્વારા પણ પાણી મેળવી શકાય છે. તેમ છતાં તમે જોઈ શકશો કે બહુ ઓછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy