SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પણ થતો, એવી જ રીતે હીરા, માણેક, નીલમ, પુરવાળાં વગેરેની જેમ માતાની ભસ્મનો ઉપયોગ ઓષધાદિમાં થતો આવ્યો છે. ઠેઠ પ્રાચીન કાળથી મંગળમય ચીજવસ્તુઓમાં મોતીની ગણના પણ થયેલી છે. 'થાળ ભરી ભરી મોતીડે વધાવા જેવી કાવ્યપંક્તિઓ આ માંગલ્યનું સૂચન કરે છે. છીપલામાં મોતી બનાવનાર માછલી માટે મુક્તાશુક્તિ' જેવો શબ્દ પ્રચલિત હતો. - “હાથીના ગંડસ્થળમાંથી ઝરતો મદ ગંડસ્થળની અંદર જ જ્યારે સુકાઈને નક્કરનાના પથ્થર જેવો, થઈ જાય તો તેમાંથી ક્યારેક મોતી જેવી આકૃતિ નીકળે છે, અને ગજમૌક્તિક કહે છે. પ્રાચીન સમયમાં કીમતી રત્નોમાં ગમૌક્તિકની પણ ગણના થઈ છે. પરંતુ હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાંથી મદ કયારેક ઝરે છે અને મદ ઝરતા એવા ઘણા હાથીઓમાંથી કોઈકના જ ગંડસ્થળમાં મોતી થાય છે. એટલે જ કહેવાયું છે કે મૌક્તિક ન ગજે ગજે'. એટલે જ ગમૌક્તિક જેવી વિરલ દુર્લભ વસ્તુ પણ અત્યંત શુકનવંતી’ મનાઈ છે..... “મરજીવા હોય તે મોતી લઈ આવે એવી કહેવત અમસ્તી પ્રચલિત નહોતી.... એવા ડૂબકીમારોને “મરજીવા' કહેવામાં આવતા.” (પૃ. ૧૩૫) ‘મેવાસિંગનો બેટો'માં વફાદાર શ્વાન રામુની વાત હોય કે કચ્છપ, વહેલ કે પરવાળાની વાત હોય, સહરાનું રણ, નાઈલ નદી કે એસ્કિમોની વાત હોય કે પફીન ટાપુ - પક્ષીની વાત હોય, વાઈ નદીના પુલની વાત હોય કે ભૂરા તળાવની વાત હોય, પાષાણતોરણ (સ્ટોન હેન્જ)ની વાત હોય કે મળવિસર્જનની પ્રતિકૃતિની વાત હોય, એ સૌમાં એક ઉત્તમ વાર્તાકારની સર્જક્તાનો ઉન્મેષ દાખવતી પ્રવાસ-લેખકની શક્તિનું દર્શન થાય છે. સંક્ષેપમાં કહું તો પ્રજાજીવન હોય કે નગર-સ્થાન-વિશેષ હોય, પ્રાકૃતિક-સાંસ્કૃતિક પરિવેશ વગેરેની કેવળ માહિતી ન લાગે કિન્ત પ્રવાસકની સંવેદનશીલતાનો સંસ્પર્શ પામીને પોતાનું રાસાયણિક રૂપાન્તર અનુભવાય ને કશુંક પામ્યા-માણ્યાને પ્રસન્નકર અનુભવ ચેતવિસ્તાર કરી આપે - એવી ડૉ. શાહની અ-ક્ષરલીલાની બલિહારી છે. ફલશ્રુતિ ઉચ્ચારવાનો અધિકાર તો ગ્રંથકર્તાનો હોય છે, પણ એ બાબતમાં મારે અનધિકાર ચેષ્ટા કરવાની હોય તો પુરાણકારોની જૂની પરિપાટી પ્રમાણે હું પુત્રાર્થે સમત્તે પુત્રમ્ કે ધન તમ ઘનમ્ ન કહું પણ સાચા અંતરની પ્રતીતિપૂર્વક કહ્યું કે જે કોઈ આ ગ્રંથ વાંચશે તેની પ્રજ્ઞા સર્વાશ્લેષી નહિ તો બહુશ્લેષી તો બનશે અને એની બુદ્ધિ જ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં મુક્તવિહાર કરી શકશે અને નિર્ભેળ આનંદની પ્રામિ વળી લટકામાં. - વ્યક્તિ મટીને બનું વિશ્વ-માનવી ડૉ. શાહ કવિની આ પંક્તિને ચરિતાર્થ કરી બતાવી છે એ માટે એમને ધન્યવાદ અને એમનાથી વયમાં બારેક વર્ષ મોટો છું એ અધિકાર શુભાશિષ ને આશીર્વાદ. તા. ૪/૭/૯૮ - ડૉ. રણજિત એમ. પટેલ વડોદરા-૭ (અનામી) X.II Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy