SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મરુભૂમિ, કેટકેટલા અજાણ્યા જીવ, કેટકેટલાં અજાણ્યાં તરુ, અગોચર રહી ગયાં છે. વિશ્વનું આયોજન વિશાળ છે, મારું મન તેનો એક અતિ ક્ષુદ્ર ખૂણો રોકીને રહે છે. એ દુ:ખથી જેમાં પ્રવાસવર્ણન હોય એવા ગ્રંથો અક્ષય ઉત્સાહથી વાંચું છું. જ્યાંત્યાં ચિત્રમય વર્ણનની વાણી મળે છે તે ઉપાડી લાવું છું. પોતાના મનની આ જ્ઞાનની દીનતા ભીખથી મળેલાં દાન વડે બને એટલી પૂરી કરી લઉં છું.’ ટાગોરનું આ કાવ્ય તો ઠીક ઠીક લાંબું છે પણ ડૉ. શાહે ‘ભીખથી મળેલી પ્રવાસવર્ણન'ની–ચિત્રમય વર્ણનની વાણી’ મેળવી નથી, પણ બાદશાહી સગવડો- અગવડો વેઠીને, એક ખેલ-દિલ રમતવીર કે એન.સી.સી.ના મેજરની યુયુત્સા-તિતિક્ષાથી સવસ્થ-પ્રાજ્ઞપ્રવાસી તરીકે મેળવેલી નિજી સિદ્ધિ છે. ડૉ. શાહનાં આ બંને પુસ્તક વાંચતાં, મારા મનની સ્થિતિએ, કવિવર ટાગોરના મનોભાવનો જ પડઘો પાડ્યો. આપણી આપણા વિશ્વની જાણકારી કેટલી બધી મર્યાદિત છે ! ડૉ. શાહનું આ પુસ્તક વાંચી મારા જેવા સ્થવિરને તો કેટલો બધો ક્ષોભ થાય ! અને ધારો કે કંઇ જોઇ નાખવાની ચાનક ચઢે તોય જીવનને નવમે દાયકે શી ધાડ મારવાના ? ‘જીવ્યાથી જોયું ભલું’ એ તો સહી પણ જોયેલાનું સ્મરણ કરવું, એને વાગોળવું અને ડૉ. શાહ જેવી શક્તિ હોય તો એનું રમણીય આલેખન કરવું એ તો સર્વથી ઉત્તમ. ડૉ. શાહના આ ગ્રંથમાં માનવસ્વભાવનું વૈવિધ્ય અને વૈચિત્ર્ય ઠેર ઠેર જોવા મળે છે. એમાં ક્યાંક કારુણ્ય છે, તો ક્યાંક રમૂજ; ક્યાંક સ્વભાવની સંકુલતા છે, તો ક્યાંક નરી સરલતા ને સ્વાભાવિકતા. એમના વૈવિધ્ય-સભર આલેખનમાં એકંદર સંસ્પર્શ માનવકરુણાનો છે; અને એવું એક પણ પ્રકરણ નથી જેમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોનું રુદ્ર-રમ્ય-ભવ્ય આલેખન, અલંકારમંડિત રસળતી શૈલીમાં ન થયું હોય. ઘણા પ્રસંગોના આલેખનમાં એમની ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, ધાર્મિક-આધ્યાત્મિક, નૃવંશશાસ્ત્રીય, રાજકીય, ભૂસ્તરવિષયક, ભાષાકીય, ખગોળશાસ્ત્રીય કે પુરાતત્ત્વવિષયક અભિજ્ઞાનો સુપેરે પરિચય થાય છે. એમની ઐતિહાસિક અને તુલનાત્મક અધ્યાપકીય દષ્ટિને કારણે મોટા ભાગનાં આલેખન તાદશ, રોચક, પ્રભાવક અને હૃદયસ્પર્શી બન્યાં છે. એમની નિર્ઝરિણીસમી ભાષામાં કયાંય કશે કઠે કે કષ્ટ આપે તેવી કઠોરતા કે ક્લિષ્ટતા નથી, બલ્કે પ્રમોદ પમાડે તેવી પ્રવાહિતા ને પ્રાસાદિકતા છે. એમની વિચારણા ને એની દક્ષ અભિવ્યક્તિના નમૂનારૂપ એક અવતરણ જોઇએ : ‘‘જોતાં જ પ્રસન્નતા ઉપજાવે, વર્ષો સુધી ઘસાય નહિ કે મેલી ન થાય, દેહલાવણ્યમાં અને સુશોભનોમાં ઉમેરો કરે એવી મોતી (મુક્તાફળ) જેવી ચમકદાર વસ્તુની જાણ માનવજાતને ઠેઠ પ્રાચીન કાળથી હતી. સ્વાતિ નક્ષત્રમાં મેઘબિંદુ છીપમાં પડે તો તે મોતી થઇ જાય એવી લોકમાન્યતા પણ પ્રચલિત હતી. નવ રત્નમાં મોતીની પણ ગણના થતી. ન કહોવાય, ન કથળે, ન કાટ લાગે એવી કીમતી ધાતુ સુવર્ણનો ઉપયોગ અલંકારાદિમાં થતો તેમ ઔષધાદિમાં XII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy