SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સામાયિકને ચૌદ પૂર્વના સારરૂપ કહ્યું છે. જુઓ : सामाइयं संखेवो चौदसपूव्वत्थ पिंडो त्ति । નવકારમંત્રની જેમ સામાયિકને પણ ચૌદ પૂર્વના સાર તરીકે મહર્ષિઓએ ઓળખાવ્યું છે. એવી જ રીતે, ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપરની પોતાની ટીકામાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે સામાયિકને દ્વાદશાંગીના ઉપનિષદ તરીકે દર્શાવ્યું છે. જુઓ : सकल द्वादशाङ्गोपनिषद भूत सामायिक सूत्रवत् । બધા જ તીર્થંકર પરમાત્માઓ પૂર્વજન્મની એવી આરાધનાને કારણે સ્વયંસબુદ્ધ જ હોય છે. ગૃહસ્થવાસનો ત્યાગ કરી જ્યારે તેઓ દીક્ષિત થાય છે ત્યારે તેઓને કોઈ ગુરુમહારાજ પાસે દીક્ષા લેવાની હોતી નથી. તેઓને કોઈ ગુરુ હોતા નથી. તેઓ ગૃહસ્થ વેષનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચ કરી સ્વયંદીક્ષિત થાય છે. તેઓ સિદ્ધ ભગવંતોની સાક્ષીએ અને પોતાના આત્માની સાક્ષીએ સાવધયોગનાં પચ્ચક્ખાણ લઈ યાવજ્જીવન સામાયિક કરે છે. તેઓ ગૃહસ્થપણામાં મતિ, શ્રુત અને અવધિજ્ઞાન ધરાવતા હોય છે. સ્વયંદીક્ષિત થતાં જ તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતી વખતે સામાયિકની સાધનાની પ્રતિજ્ઞા લે છે. सव्वं मे अकरिणिज्जं पावकम्मं ति कट्टु सामाइयं चरितं पडिवज्जइ । વળી પ્રત્યેક તીર્થંક૨ પરમાત્મા કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી સૌથી પ્રથમ ઉપદેશ સામાયિક વ્રતનો આપતા હોય છે. આવશ્યક નિર્યુક્તિ'માં કહ્યું છે ઃ सामाइयाइया वा वयजीवाणिकाय भावणा पढमं । एसो धम्मोवाओ जिणेहिं सव्वेहिं उवइट्ठो ॥ ધર્મની આરાધના કરનાર જીવો માટે જૈન ધર્મમાં છ પ્રકારનાં આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે. પ્રત્યેક શ્રાવકે આ છ ‘આવશ્યક’ કર્તવ્ય રોજેરોજ કરવાં જોઈએ. એ આવશ્યક આ પ્રમાણે છે : (૧) સામાયિક, (૨) ચઉવિસો (ચતુર્વિંશતિસ્તવ–ચોવીસ તીર્થંકર પરમાત્માની સ્તુતિ), (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. આ ક્રિયાઓ અવશ્ય કરવાની હોવાથી એટલે કે તે આજ્ઞારૂપ હોવાથી તેને ‘આવશ્યક' કહેવામાં આવે છે. જૈન આગમગ્રંથોમાં આ છ આવશ્યક સૂત્રો ઉ૫૨ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એના ઉ૫૨ ગણધરોએ સૂત્રની રચના કરી છે. એ ‘આવશ્યક સૂત્ર' તરીકે ઓળખાય છે. આવશ્યક સૂત્ર સામાયિક ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy