SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ त्यक्तात रौद्रध्यानस्य त्यक्त सावध कर्मणः । मुहूर्त समता या तां विदुः सामायिकम् व्रतम् ॥ [આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરીને તથા સાવદ્ય કર્મનો ત્યાગ કરીને એક મુહૂત સુધી સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહેવામાં આવે છે.] सावध कर्ममुक्तस्य दुनिरहितस्य च । समभावो मुहूर्त तद - व्रतं सामायिकाहवम् ।. (ધર્મ ધ૦ રૂ૭) સાવદ્ય કર્મથી મુક્ત થઈને, આર્ત અને રૌદ્ર એવા દુધ્ધનથી રહિત થઈને મુહૂર્ત માટે સમભાવનું વ્રત લેવામાં આવે છે તેને સામાયિક કહેવામાં આવે છે.] આમ આ ત્રણે મહર્ષિઓએ સામાયિકનાં લક્ષણો જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે : (૧) સર્વ જીવો પ્રત્યે સમતાભાવ ધારણ કરવો. (૨) આર્ત અને રૌદ્ધ ધ્યાનનો ત્યાગ કરવો. (૩) શુભ ભાવના ભાવવી. (૪) સાવદ્ય યોગથી પાપમય પ્રવૃત્તિથી નિવૃત્ત થવું. (૫) સંયમ ધારણ કરવો. (૬) આ વ્રતની આરાધના ઓછામાં ઓછા એક મુહૂર્ત જેટલા સમય માટે બે ઘડી અથવા ૪૮ મિનિટ માટે) કરવી. સામાયિકનું સૌથી મહત્ત્વનું લક્ષણ તે સમભાવ અથતુ સમતાભાવની પ્રાપ્તિ છે. એ પ્રાપ્ત કરવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરવાની તથા શુભ ભાવ ભાવવાની જરૂર છે. એ માટે સંયમની આવશ્યકતા છે. સાવદ્ય કર્મનો એટલે પાપમય પ્રવૃત્તિઓનો અર્થાતુ મન, વચન અને કાયાના અશુભ યોગોનો જો ત્યાગ કરવામાં આવે તો અશુભ ધ્યાન ઓછાં થાય અને જીવ સંયમમાં આવે. એ માટે ગૃહસ્થ જો દ્રવ્ય-ક્રિયારૂપે એક મુહૂર્ત જેટલો સમય પચ્ચકખાણ લઈને એક આસને બેસે તો તેને “સામાયિક વ્રત’ કહેવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે જૈન ધર્મનો સાર શું? એનો ઉત્તર છે કે રાગદ્વેષથી મુક્તિ મેળવીને મોક્ષગતિ પ્રાપ્ત કરવી એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. રાગદ્વેષથી મુક્તિ કેવી રીતે મેળવાય ? એનો ઉત્તર છે “સમતાની સાધનાથી'. માટે “સમતા” એ જૈન ધર્મનો, જિનપ્રવચનનો સાર છે. સામાયિક એ સમતાની સાધનાનું સાધન છે. માટે જ કહેવાયું છે કે “સામાયિક' એ જિનપ્રવચનનો, ભગવાનની દેશનાનો, દ્વાદશાંગીનો, ચૌદ પૂર્વનો સાર છે. ૮ અ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy