SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ रयणं व धम्मरयणं बुद्धिमया हंदि वित्तव्यं ॥ જેમ દરિદ્ર માણસ રોહણાચલ પર પહોંચીને રત્ન મેળવે છે તેમ દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને બુદ્ધિમાન જીવોએ ધર્મરત્નને ગ્રહણ કરી લેવું જોઈએ શ્રી લક્ષ્મીસૂરિએ ઉપદેશપ્રાસાદમાં કહ્યું છે : यह प्राप्य मानुषं जन्मं दुर्लभं भवकोटिभिः । धर्मं शर्मकरं कुर्यात् सफलं तस्य जीवितम् ॥ [કરોડો ભવ કરવા છતાં પણ જે પામી નથી શકાતો એવો દુર્લભ મનુષ્યભવ પામીને જે જીવ કલ્યાણધર્મ આચરે છે તેનું જીવન સફળ થાય છે.) મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી મનુષ્યગતિની દુર્લભતા પોતાને સમજાય અને ધર્મતત્ત્વમાં શ્રદ્ધા બેસે અને મોક્ષગતિની દુર્લભતા સમજાય એ પણ અત્યંત દુર્લભ વાત છે. અંધશ્રદ્ધા કે ગતાનુગતિક શ્રદ્ધા ઘણી વ્યાપક હોય છે, પરંતુ તત્ત્વ-નિશ્ચયરૂપ સાચી શ્રદ્ધા ઘણી દુર્લભ છે એટલે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે સદ્ધ પરમ दुल्लहा । મનુષ્યજન્મની દુર્લભતા - ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy