SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તો અંતકાળ વીતી જાય અથવા અનંત પુદ્ગલ પરાવર્તન જેટલો કાળ પણ વીતી જાય. મનુષ્યજન્મની દુર્લભતા આ દૃષ્ટિએ સમજવાની છે. દસ દૃષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યજન્મ પ્રાપ્ત થયો એટલે બધું જ પામી ચૂક્યા એવું નથી. મનુષ્યજન્મ પ્રાપ્ત થવા છતાં સંસારમાં કેટલાયે જીવો તિર્યંચગતિના જીવો જેવું, ભાર વહન કરનાર બળદ કે ઘોડા જેવું કે બધેથી હડધૂત થનાર કૂતરા જેવું, આખું જીવન વિતાવે છે. મનુષ્યજન્મ મળવા છતાં કેટલાય જીવો જન્મથી અપંગપણાને લીધે, ગાંડપણને લીધે તિર્યંચ કે નરકગતિના જીવો જેવું દુઃખ વેઠે છે. એટલે દુર્લભ મનુષ્યજન્મની પ્રાપ્તિ થઈ હોય તો તેને સાર્થક કરી ધર્મનું આલંબન લઈ મોક્ષ માટેનો પુરુષાર્થ કરવામાં એ જન્મનો ઉપયોગ કરવો એ તો એથીય વધુ દુર્લભ છે. જયશેખરસૂરિએ ‘ઉપદેશચિંતામણિ'માં કહ્યું છે दशहिं उदाहरणोहिं दुलहं मणुयत्तणं जहा भणियम् । तह जाईकुलाईणिवि दस दिठ्ठतिर्हि दुलहाई ॥ [જેમ મનુષ્યભવ દસ દૃષ્ટાંતે દુર્લભ કહ્યો છે તેવી જ રીતે જાતિ, કુલ વગેરે પણ એ દસ દૃષ્ટાંત પ્રમાણે દુર્લભ જાણવાં.] આવો દુર્લભ મનુષ્યજન્મ મળ્યા પછી અનેક મનુષ્યો તેને વ્યર્થ ગુમાવી દે છે. ‘સિન્દ્પ્રકરણ’માં આવા અજ્ઞાની માણસોની સરસ અને સચોટ સરખામણી કરી છે. જુઓ : स्वर्णस्थाले क्षिपति स रजः पाद शौचं विधत्ते पीयूषेण प्रवरकरिणं वाहयत्येन्धभारम् । चिन्तारत्नं विकरति कराद् वायसोड्डायनार्थं । यो दुष्प्राप्यं गमयति मुधा मर्त्यजन्म प्रमत्तः ॥ [જે માણસ પ્રમાદને વશ થઈ દુષ્પ્રાપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી દે છે તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે, અમૃતથી પગ ધોઈ રહ્યો છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભારો ભરી રહ્યો છે અને ચિંતામણિરત્ન કાગડાને ઉડાડવા માટે ફેંકી રહ્યો છે.] માટે જ કહ્યું છે : Jain Education International दुर्लभं प्राप्य मानुष्यं, हारयध्वं मुधैव मा । [દુર્લભ મનુષ્યજન્મ મેળવીને એને વ્યર્થ ગુમાવી ન દેશો.] વળી કહેવાયું છે : दुल्लहं माणुस्सं जम्मं लद्धूण रोहणं व शेरेण । ૧૦ * જૈન આચારદર્શન For Private & Personal Use Only (પાર્શ્વરિત્ર) www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy