SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથો જ વધુ ઉપયોગી નીવડે. માટે પૂર્વાચાર્યોએ લોકભાષામાં પણ ગ્રંથો લખવાનો પ્રારંભ કરેલો. સુધર્મ એટલે જે આંતરિક કષાયોને મંદ કરે છે. જે રાગ-દ્વેષ, ક્રોધમાન-માયા-લોભને મંદ કરે અને ક્રમશઃ તેના ઉપર વિજય અપાવે તેવી કોઈપણ ક્રિયા તે સુધર્મ છે. આ ત્રણેયનું આચરણ જ જીવનને ધન્ય બનાવી શકે છે. આથી જ મોક્ષ પ્રાપ્ત કરાવી આપવા માટે સમર્થ આ ત્રણેય તત્ત્વને રત્નોની ઉપમા આપવામાં આવી છે. જૈનધર્મની ઈમારતના આ ત્રણ પાયા છે. તેનો વિસ્તાર તત્ત્વાર્થાધિગમ આદિ સૂત્રોમાં જોવા મળે છે. રત્નત્રયીનો વિસ્તાર ધર્મ અને દર્શનમાં થયો છે. સામાન્ય રીતે ભારતીય પરંપરામાં ધર્મ અને દર્શન એવા ભેદ પાડવામાં આવતા નથી પરંતુ વિદેશી પરંપરામાં તો ધર્મ અને દર્શન તદ્દન ભિન્ન મનાયા છે. ધર્મ એ આચાર સાથે જોડાયેલ છે અને દર્શન એ વિચાર સાથે સંકળાયેલ છે. આચારનો આધાર વિચાર છે અને વિચારને આચાર પુષ્ટ કરે છે. વિચાર ઊંચો હોય અને આચાર નીચો હોય તો કાર્ય સરે નહીં. તેવી જ રીતે આચાર ઉચ્ચ હોય અને વિચાર નીચા હોય તો પણ કાર્ય ન સરે. આથી જ આચાર અને વિચાર એ એક રથનાં બે પૈડાં જેવા છે. જેવી રીતે એક પૈડાથી રથ ન ચાલે તેવી જ રીતે જીવનરથનાં બને ચક્રો સાબૂત હોવાં જોઈએ. ઉપાધ્યાય યશોવિજયજી આ વાતને એક પક્ષીની બે પાંખ રૂપે વર્ણવે છે. પક્ષી એક પાંખથી ઊડી ન શકે, બન્ને પાંખો હયાત હોવી જોઈએ. તેવી જ રીતે ધર્મ પણ આચાર અને વિચાર રૂપી બે પાંખોથી જ ધન્ય બને છે. જૈનધર્મના આગમ ગ્રંથો અને ત્યાર બાદ રચાયેલ સમગ્ર સાહિત્યમાં આચાર અને વિચાર અર્થાત્ ધર્મ અને દર્શનની ઊંડી વિચારણા કરવામાં આવી છે. જિનેશ્વર ભગવાન કથિત આગમ ગ્રંથોમાં જે તત્ત્વોની વિચારણા કરવામાં આવી છે તે સૂત્રાત્મક શૈલીથી કરવામાં આવી છે. તેનો વિસ્તાર ટકા ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. તેમાં વર્ણવ્યા પ્રમાણે સમર્થ સાધક તો સમગ્ર વસ્તુઓનો ત્યાગ કરી સંયમના માર્ગે પ્રયાણ કરે છે તેને સાધુ કે શ્રમણ કહેવામાં આવે છે. બધામાં આવું સામર્થ્ય હોતું નથી. તેથી બીજો માર્ગ તે આંશિક ત્યાગનો માર્ગ છે. તેમાં સાધક યથાશક્ય ત્યાગ કરી ગૃહસ્થાવસ્થામાં જ સાધના કરે છે. તેને શ્રાવકધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ સાધકની ગતિ મંદ હોય છે પણ માર્ગ સુનિશ્ચિત હોવાથી અંતે તો મોક્ષ માર્ગે જ આગળ વધતા સર્વકર્મનો ક્ષય કરનાર બને છે. આ બન્નેય માર્ગની સાધના વ્રત, નિયમ, તપ, જપ અને ભક્તિ જેવાં તત્ત્વોનાં આચરણથી થાય છે. તેની સાથે સાથે સમજ પણ ભળવી જોઈએ. સમજ વગરની ક્રિયા તો યાંત્રિક બની જવાને કારણે વિશેષ લાભદાયી નીવડી ન શકે. જ્યારે સમજ ३२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy