SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ કરી સરળ, સુબોધ અને પ્રવાહી શૈલીમાં લેખો લખ્યા છે. કોઈ પણ પ્રકારના જિજ્ઞાસુને આ લેખ વાંચવા ગમે તેવી શૈલીમાં લેખો લખાયા છે. એ ઉપરાંત તેઓની વિશેષતા એ છે કે તેમણે લેખો મનસ્વી રીતે, આલોચનાત્મક રૂપે કે ચકાટીપ્પણરૂપે લખ્યા નથી પરંતુ તમામ લેખોમાં શાસ્ત્રીય આધારો ટાંક્યા છે તેથી તે લેખો સંગ્રહણીય બન્યા છે. આ લેખો તેમના શાસ્ત્રીયજ્ઞાનની વિશદતા તથા સંશોધકવૃત્તિના સાક્ષી છે. પ્રસ્તુત સંપાદનઃ ભારતીય સંસ્કૃતિ બે મુખ્ય ધારામાં પ્રવાહિત થઈને વહ્યા કરે છે – વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા. આ બે પ્રવાહોએ ભારતીય સંસ્કૃતિને હંમેશાં નવપલ્લવિત રાખી છે. વૈદિક પરંપરામાં મીમાંસા, વેદાન્ત આદિ દાર્શનિક પરંપરાઓનો ઉદય થયો જ્યારે જૈન અને બૌદ્ધધર્મ શ્રમણ પરંપરાની ધારામાં પ્રવાહિત ધર્મો છે. બન્ને ધર્મોના પોતાના અલગ સિદ્ધાન્તો અને આચારો છે. પણ બને વૈદિક પરંપરા માન્ય વેદને જ સર્વસ્વ ન માનતા હોઈ તે પરંપરાથી ભિન્ન પરંપરાગત ગણાય. જૈનધર્મના પ્રારંભ - આદિ વિશે ગઈ સદીમાં અનેક પ્રકારના વિવાદો ઊઠ્યા હતા. કેટલાક યુરોપીય વિદ્વાનોએ જૈનધર્મને બૌદ્ધધર્મનો ફાંટો છે એમ વર્ણવી જૈનધર્મની સ્વતંત્રતા વિશે જ પ્રશ્ન ઉઠાવ્યો હતો, જે નિરાધાર હતો. ત્યાર બાદ તો જૈનધર્મની મૌલિકતા અને ગહનતાને કારણે દેશવિદેશના અનેક વિદ્વાનો જૈન ધર્મનો અભ્યાસ કરવા માટે પ્રેરાયા હતા, જેમણે જૈનધર્મના અનેક ગ્રંથોનું સંપાદન કરી નવી દિશા ખોલી હતી. આ પરંપરા આજે પણ ચાલી રહી જૈનધર્મ નિવૃત્તિલક્ષી ધર્મ છે. મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રત્નત્રયીની પ્રરૂપણા કરવામાં આવી છે. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રને રત્નત્રયી કહેવામાં આવે છે. સાચી શ્રદ્ધા, સાચી સમજ અને સાચું આચરણ એ લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ છે. આને જ વાચક ઉમાસ્વાતિ મોક્ષમાર્ગ તરીકે ઓળખાવે છે. સાચી શ્રદ્ધા એટલે સુદેવ-સુગુરુ અને સુધર્મ ઉપરની સમ્યફ શ્રદ્ધા જેને સમ્યફદર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. વીતરાગ પરમાત્મા એ સુદેવ છે. પંચમહાવ્રતધારી સંયમી મહાત્માઓ સુગુરુ અને મોક્ષ માર્ગ પ્રરૂપક તે ધર્મ છે. આવાં તત્ત્વો ઉપરની શ્રદ્ધા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. સાથે અંદરના સત્ત્વને વધુ શક્તિવાન બનાવે છે. સાચી શ્રદ્ધા પછીનો પડાવ તે સાચી સમજ છે. સાચી સમજ શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોની ભાષા સંસ્કૃત અને પ્રાકૃત છે. તે સામાન્યજનને માટે કઠિન હોવાથી તેને તો સરળ અને પ્રવાહી શૈલીમાં લખાયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy