SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ आभ्यन्तरं दिगवधेरपार्थिकेभ्यः सपापयोगेभ्यः । विरमणमनर्थदण्डव्रतं विदुर्व्रतधराग्रण्यः ॥ દિશાઓની અવધિ-દિક્ષિરમાણ વ્રતની અંદર રહીને પ્રયોજન રહિત પાપોનાં કારણોથી વિરક્ત રહેવાના વ્રતને, વ્રત ધારણ કરનાર પુરુષોમાં અગ્રગણ્ય એવા પુરુષો, અનર્થદંડ વ્રત કહે છે.] ‘સવાર્થસિદ્ધમાં કહ્યું છે ઞસત્યુવવારે પાપવાનહેતુનર્થવવુઃ । અર્થાત્ જેમાં ઉપકાર ન થવાનો હોય અને પાપની પ્રાપ્તિ થવાની હોય એવી પ્રવૃત્તિ તે અનર્થદંડ છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં ‘ઉપદેશ પ્રાસાદ'માં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે ઃ शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया સ્થિતઃ । योऽनर्थदण्डस्तत्यागः तृतीयं तु गुणव्रतम् ॥ શરીર આદિ માટે થતું પાપ તે અર્થદંડ કહેવાય. તેનાથી પ્રતિપક્ષતાવાળું (એટલે વિપરીતતાવાળું) તે અનર્થદંડ છે. તેનો ત્યાગ એ તૃતીય ગુણવ્રત છે.] अद्वेण तं न बंधइ, जमणट्टेणं तु थेवबहुभावा । अट्ठे कालाईआ, नियामगा न तु अणट्ठाए ॥ [અનર્થદંડથી જેટલું પાપ બંધાય છે તેટલું અર્થદંડથી બંધાતું નથી. અર્થદંડમાં કાલાદિ (દ્રવ્ય, ક્ષેત્રાદિ) નિયમિત છે અને અનર્થદંડમાં નથી.] અર્થદંડ કરતાં અનર્થદંડમાં પાપ વધારે બંધાય છે, કારણ કે એમાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની કોઈ મર્યાદા હોતી નથી. અનર્થદંડના પ્રકાર માટે કહ્યું છે : सोऽपध्यानं पापकर्मोपदेशो हिंसकार्पणम् । प्रमादाचरणं चेति प्रोक्तोऽर्हद्भिश्चतुर्विधः ॥ અનર્થદંડના મુખ્ય ચાર પેટા પ્રકા૨ જિનેશ્વરદેવોએ કહ્યા છે : (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિંપ્રદાન અને (૪) પ્રમાદાચરણ. આવશ્યકસૂત્રમાં કહ્યું છે : अणत्थमादंडे चउव्विहे पण्णत्तो - तं जहा वज्झाणाचरिए, पमायाचरिए, हिंसप्पदाणे, पापकम्मोपवएसे अत्ति ॥ અનર્થદંડનો પહેલો મુખ્ય પ્રકાર છે : અપધ્યાન-આચરિત (અવજઝાણાચરિય). અપધ્યાન અથવા દુર્ધ્યાન એટલે અશુભ ચિંતન. અપધ્યાનના મુખ્ય બે પ્રકાર છે ઃ (૧) આર્ત્તધ્યાન અને (૨) રૌદ્રધ્યાન. આર્તધ્યાનના ચાર પેટા પ્રકાર છે : (૧) અનિષ્ટ વિયોગ (૨) ઇષ્ટ સંયોગ (૩) રોગચિન્તા અને (૪) અગ્રશૌચ અથવા નિદાન, અનિષ્ટ વિયોગ રૂપી આર્ત્તધ્યાન અનર્થદંડ-વિરમણ ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy