SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અનર્થદંડ એટલે અર્થ વગર, પ્રયોજન કે હેતુ વગર દંડાવું. અનર્થદંડ એટલે લેવાદેવા વગરનાં, મફતનાં લાગતાં પાપો, જેમ કે માણસ ચાલતાં ચાલતાં વૃક્ષછોડનાં પાંદડાં તોડે, પાણીમાં પથરો નાખે, હાથમાં સોટી હોય તો ગાય, ભેંસ, કૂતરાને વગર કારણે મારે, જરૂર વગર મોટરનું હોર્ન વગાડી વગાડ્યા કરે અથવા પોતાના મિત્રાદિને અડધી રાતે હોર્ન વગાડી બોલાવે કે જેથી બધાંની ઊંઘમાં ખલેલ પડે, સારો રસ્તો હોય છતાં લીલા ઘાસમાં ચાલે, ઘાસ કપાવે, અડધો પ્યાલો પાણી પી બાકીનું ઢોળી નાખે, ભાણામાં વધારે લઈ પછી એંઠું મૂકે. ઘી-દૂધ વગેરેનાં વાસણો ઉઘાડાં રાખે, નળ ખુલ્લો રાખીને કામ કરે, પંખો કે એ.સી. કોઈ ન હોય તોપણ ચાલ્યા કરે, ટી.વી. જોવામાં કલાકો વેડફી નાખે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં આ અનર્થદંડ-વિરમણ વ્રતનું પાલન કઠિન ગણાય છે અને તે સૂક્ષ્મ સમજ માગી લે છે, કારણ કે અર્થદડ અને અનર્થદંડ વચ્ચે ભેદરેખા બહુ સૂક્ષ્મ છે. એટલે જ કેટલાક આ વ્રત લેતાં અચકાય છે. અલબત્ત, વ્રત ન લેવાય તોપણ સમજ અને જાગૃતિપૂર્વક અનર્થદંડ નિવારવાનો યથાશક્ય પુરુષાર્થ કરવો જોઈએ. અર્થદંડમાં એકંદરે પાપ ઓછું લાગે છે. ગૃહસ્થજીવનમાં એવાં પાપ કરવાનું અનિવાર્ય બને છે, પરંતુ સાચો શ્રાવક તો તેમાં પણ તલ્લીન બનતો નથી. એ એને માટે સભાન હોય છે અને એ પાપમાંથી પણ છૂટવાની ભાવનાવાળો હોય છે. અર્થદંડ રૂપી કાર્યો કરવા છતાં તે પોતાનાં તેવાં કાર્યો અનુકંપાપૂર્વક, વિવેકપૂર્વક જયણાપૂર્વક કરે છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : शरीराधर्थविकलो यो दण्ड क्रियते जनः । सोऽनर्थदण्डस्तत्तयागस्तार्तीथीकं गुणव्रतम् ॥ શિરીર સેવાદિ પ્રયોજન વિના મનુષ્યો દ્વારા જે દંડ પાપ કાર્યો) કરાય છે તે નિષ્કારણ હોવાથી “અનર્થદંડ કહેવાય છે અને એનો ત્યાગ એ ત્રીજું ગુણવ્રત છે.] વળી કહ્યું છેઃ जं इंदियसयणाई पडुच्च पावं करेज्ज सो होई। अत्थे दंडो ति अनो उ अणत्यदंडो ति॥ [ઇન્દ્રિયો અને સ્વજનાદિ અંગે જે પાપ કરવામાં આવે તે અર્થદડ (સપ્રયોજનદંડ) છે અને તે સિવાયનાં અનર્થદંડ છે.] શ્રી સમન્તભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચારમાં કહ્યું છે : ૧૮૪ જ દેન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy