SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તે જો. [૬૫] પ્રાયે અશુભ ભાવ કરાવે આવતા નથી પણ જીવનો પુદ્ગલપરિચયથી એવો સંસ્કાર બન્યો છે. તેને દૂર કરવા શુભ ભાવની કથંચિત અપેક્ષા છે. તેને માટે તપ વ્રતાદિ ભલે થાય, પણ એ પાપ કે પુણ્ય મૂળમાં મારાં નથી તેવો દઢ સંકલ્પ કર અને પ્રથમ મિથ્યાભાવ ટાળવાની પ્રતિજ્ઞા લે, કે મારે હવે સ્વરૂપપ્રાપ્તિ સિવાય કંઈ જોઈતું નથી. વચમાં પૂર્વસંસ્કારો આવશે તેને જાણનારો થા. કર્તા ન થા, તેવી પ્રતિજ્ઞા કરતો જા. કે મને હવે શુદ્ધાત્મા જ ખપે છે. અન્ય નહિ. [૬૬] શુભાશુભ ભાવ આવશે, તે ભલે તને સ્વાધીન ન હોય પરંતુ રુચિ ફેરવવા તું સ્વાધીન છું. તારે પેલા ભાવોને દૂર કરવા પુરુષાર્થ નથી કરવાનો. પુરુષાર્થ સ્વભાવ પ્રત્યે વાળવાનો છે. એકાંતે શાંત ચિત્તે આ પ્રયોગ કર્યા વગર. અશુભ ભાવને ખોટા માની દ્વેષ ન કર કે શુભ ભાવને સારા માની આદર ન કર. બંને પરભાવ છે તેમ માની ઉપયોગને સ્વસ્થ રાખવો. કેવળ શાસ્ત્રાભ્યાસ, સ્વાધ્યાયથી કે અન્ય વ્રતાદિથી આત્માનું સ્વરૂપે પ્રગટ થતું નથી. તે અભ્યાસ માટે હોય તો પણ આખરે જીવે જ્ઞાનસ્વરૂપ આત્મામાં અંતર્મુખ થઈ વારંવાર અભ્યાસ કરવાથી રાગાદિના વિકલ્પ છૂટે છે. તે અજ્ઞાનભાવે આવે છે તેને દુઃખનું કારણ જાણી વિરક્ત થવું. જ્ઞાનસાર અખકનું પ્રથમ અષ્ટક પૂર્ણતા. અર્થાત્ જીવનું સ્વરૂપ જીવનનું ધ્યેય. જીવનનો આધ્યાત્મિક આવિર્ભાવ. આથી પૂર્ણતાના લક્ષે જ આધ્યાત્મિક જીવનનો પ્રારંભ તે જ વાસ્તવિક સાધના. પૂર્ણતા એટલે સાધ્ય રૂપ અતિ નિર્મળ શુદ્ધ અવસ્થા જ્યાં શાશ્વત સુખ અને શાંતિનું સ્થિરત્વ છે. [૬૯] જીવ માત્ર સવિશેષ બુદ્ધિમાન મનુષ્ય ચિરસ્થાયી શાંતિ અને અમૃતધારા ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy