SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ]િ અનંત શક્તિનો માલિક છે. પરંતુ અનાદિકાળથી આત્મા કર્મોથી આવૃત છે, પરિણામે આત્મામાં વૈભાવિક એવા રાગ-દ્વેષ, મોહ, અજ્ઞાન, જેવા અનંત દોષો રહેલા છે. છતાં ચેતનાની ઊર્ધ્વગમનની શક્તિ, સહજ ભવિતવ્યતાને યોગે, ભવ્યતાની પાત્રતાથી ચરમાવર્તકાળમાં પ્રવેશ કરે છે. એટલે આત્મા પર લાગેલો ગાઢ ભાવમળ, પુનઃ પુનઃ કર્મબંધ થવાની યોગ્યતા હતી) તે મોટા પ્રમાણમાં નાશ પામે છે. [] મિથ્યાત્વાદિ હેતુઓથી અર્થાત્ દર્શન મોહનીયના ઉદયથી જીવને મિથ્યાદર્શન હોય છે. તેથી જીવની વિવેકબુદ્ધિ નષ્ટ થવાથી જીવની પોતાની સ્વાધીન સ્વાનુભવની શક્તિ તિરોહિત થાય છે. કથંચિત કંઈ દાનાદિ ધર્મક્રિયાઓ કરે છે તેથી કંઈક પુણ્યબંધ થાય છે. પરંતુ મિથ્યાદર્શનને કારણે તેનો સંસાર વૃદ્ધિ પામે છે. [૬] - મિથ્યાદર્શનને કારણે અવિનાશી દેહાદિમાં જીવ સ્વાત્મબુદ્ધિ કરે છે. દ્રવ્યની સ્વતંત્રતાનો તેને બોધ નથી કે દરેક દ્રવ્ય સ્વસ્વરૂપે પરિણમે છે. કોઈ પદાર્થો પોતાનો સ્વભાવ ત્યાગી શકતા નથી. જેમકે આત્મા ચેતના કે જ્ઞાન સ્વભાવને ત્યજતો નથી. પુદ્ગલ સ્પશદિને ત્યજી દેતા નથી. બંનેનું સંયોગથી એક ક્ષેત્રે અવગાહન છે. છતાં બંને સ્વાધીન તત્ત્વ છે. [૭] યદ્યપિ પુદ્ગલ – દેહાદિ સાથે જીવનો અનાદિથી સંયોગ સંબંધ છે. એટલે નિમિત્તાધીન બંને પોતાના સ્વભાવથી શ્રુત થતા જણાય છે, અર્થાત્ વિકારી થાય છે. પરંતુ પોતાના મૂળ લક્ષણને ત્યજી દેતા નથી. જીવમાં રાગ દ્વેષરૂપ પરિણતિ ચારિત્રમોહનીયના કર્મના નિમિત્તથી થાય છે, તે અસંયમભાવ છે. સાધકે આત્મલક્ષ્ય સંયમાદિનું આરાધન કરવું જોઈએ. શારીરના નિભાવ માટે આહારાદિનું સેવન કરવું તે પરાધીનતા છે. જ્ઞાત કે અજ્ઞાત ભાવથી કે કોઈ પણ સંયોગમાં અન્ય પદાર્થના [૮] ૨ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy