SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ * + + મમમમ મમમ નવા નાવણી અમૃતધારા) T[ wAAM ૐ હ્રીં ણમો નાણસ્સ પૂ. યશોવિજયજી મહોપાધ્યાયજી રચિત શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રકાશ્ય છે કે મોહનીય કર્મના સામર્થ્યરહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રયી જે શુદ્ધક્રિયા પ્રવર્તે છે તેને શ્રી તીર્થકરો અધ્યાત્મ કહે છે. [૧] ગાઢ જંગલમાં ભૂલા પડેલાને ઝૂંપડી મળી જાય, જન્મના દરિદ્રીને અઢળક ધન મળી જાય, ભયંકર અંધકારમાં પ્રકાશ મળી જાય, સૂકી રણભૂમિમાં મીઠા પાણીનું પાત્ર મળી જાય આ સર્વે પુણ્યયોગે પ્રાપ્ત થાય પણ આ કળિયુગમાં અધ્યાત્મશાસ્ત્રની સંગત થવી દુર્લભ છે. મહા દુર્લભ છે.” [૨] અધ્યાત્મ: આત્માની સમીપ આત્માની જ અગ્રિમતાવાળું સારવર્જિત સંસારમાં મહાત્માઓએ અધ્યાત્મને આત્મશ્રેયના સારરૂપે પ્રગટ કરી ભવ્યજીવોને આત્મસન્મુખ કરવા કરુણા જ વરસાવી છે. સર્વતોમુખી આત્મશ્રેયનો ઉપાય દર્શાવનાર અધ્યાત્મમાં શું નથી? હા, તેમાં ભૌતિક જગતના કોઈ પ્રપંચો નથી. અધ્યાત્મયોગથી સાચા સુખનો પ્રારંભ થાય છે. આખરે તે સુખ સ્વયં પરિપૂર્ણ થાય છે. [૩] હારિભદ્રી યોગદર્શનમાં ગ્રંથકારે પ્રકાશ્ય છે કે : પ્રત્યેક આત્મા એના મૂળ સ્વરૂપે અનંતગુણોથી પરિપૂર્ણ છે. અમૃતધારા ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy