SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર જેને નિકટમાં નિકટ અને પ્રાણના પ્રાણ કહ્યો તેને બહાર– સ્વરૂપની બહાર પણ શોધવાની જરૂર નથી. પોતામાં પાતા દ્વારા જ એને પાસે લાવવાના છે અનુભવવાના છે. એક સાથે એ ક્રિયા કરવાની છે; પાસે લાવવાની અને અનુભવવાની. ૪૮ આને માટે સ્તવમાં ચાર નિક્ષેપ વડે અર્થ વ્યવસ્થા કરવામાં આવી છે. ધરણેન્દ્ર-પદ્માવતી સહિત શ્રીપાર્શ્વનાથના નામ-મંત્રનું રટણ કરવાનું દર્શાવી નામનિક્ષેપના પ્રયાગ કર્યા છે. તમને કરેલા પ્રણામ ’– એમ દર્શાવી શ્રીપાર્શ્વનાથના સ્થાપનાનિક્ષેપના પ્રચાગ કર્યાં છે. · જીવો સહેલાઈથી મુક્તિ પદને પામે છે’– એમ દર્શાવી શ્રીપાર્શ્વનાથનું દ્રવ્યસિદ્ધપણું દર્શાવ્યું છે. અહીં દ્રવ્યનિક્ષેપના પ્રયોગ કર્યો છે. ‘ભક્તિભાવથી ભરપૂર હૃદયવડે ’– એમ દર્શાવી ભક્તની ભક્તિ ભાવનિક્ષેપથી જણાવી છે. અ. 品 (૪૩) તા. ૧૮૧૭-૬૮ ‘ઉવસગ્ગહર” માટે વિચારણા ચાલે છે, તેમાં એવા ખ્યાલ આવે છે કે તેમાં ક્રિયા, ભક્તિ અને જ્ઞાનની ત્રિપુટી વાક્શક્તિની સહાયથી સિદ્ધ કરવામાં આવી છે. ન્હેં ધારે. તો લા મળુઓ’– ઉદ્ગાર, શબ્દોચ્ચાર એ વૈખરી અવસ્થામાં રહેલી વાશક્તિનું સ્થાન જે કંઠ ત્યાં પ્રગટ થાય છે અને તે ક્રિયારૂપ છે. *મત્તિમનિમત્તે દિયળ’-ભક્તિ એ મધ્યમા અવસ્થામાં રહેલી વાક્શક્તિનું સ્થાન જે હૃદય ત્યાં પ્રગટ થાય છે-એ હૃદયસ્થ મધ્યમા વાણીનુંકાય છે અને તે ભક્તિરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy