SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૨. ક્ષમાના પાંચ પ્રકાર ક્ષમા પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે – ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ધર્મ ક્ષમા. આ મારો ઉપકારી છે. જે હું એના દુર્વચનાદિને સહન નહિ કરું તે ઉપકારનો સંબંધ નહિ રહે. આમ વિચારીને ઉપકારીના દુર્વચનાદિને સહન કરે તે ઉપકાર ક્ષમા છે. જે વ્યક્તિથી પિતાને દુન્યવી ઉપકાર થતો હોય, અથવા ભવિષ્યમાં થવાનું હોય તેનાં કઠોર વચન વગેરેને શાંતિથી સહન કરવું તે ઉપકાર ક્ષમા છે. દા. ત. નોકર શેઠનાં કડવાં વચનને સહન કરે. હું ક્ષમા રાખીશ તે મારા પિતા પાસે જે સંપત્તિ છે તેમાંથી મને વધારે મળશે એવા આશયથી પિતાનાં કડવાં વચને વગેરેને સહન કરે. આ ક્ષમા લોભને ઘરની છે. - જે હું આના દુર્વચનાદિને સહન નહિ કરું તે એ મારો અપકારી બનશે –વધારે નુકશાન કરનાર બનશે આમ વિચારી દુર્વચનાદિને સહન કરે તે અપકાર ક્ષમા છે. અથવા બે ચાર માણસે બેઠા હોય ત્યારે અમુક વ્યક્તિ અયોગ્ય વચન કહે ત્યારે આ બધાની વચ્ચે હું એના ઉપર ગુસ્સે થઈશ તે હું હલકે દેખાઈશ એવા ભાવની ક્ષમા અપકાર ક્ષમા છે. આ ક્ષમા માનના ઘરની છે. આમ ઉપકાર ક્ષમા અને અપકાર ક્ષમા લાભ કે માનના ઘરની છે. આત્માના ઘરની નથી. પરલોકમાં મને નરકાદિનું દુઃખ થશે એવા આશયથી દુર્વચન વગેરેને સહન કરે તે વિપાક ક્ષમા છે. ક્ષમા ન રાખવાથી પરલેકમાં દુ:ખ મળશે, ક્ષમા રાખીશ તે પરલેકમાં સુખ મળશે આવા આશયથી થતી ક્ષમા વિપાક ક્ષમા છે. આમાં સહન કરવાનો હેતુ દુઃખભય કે સુખલાલસા છે. ભગવાને ક્ષમા રાખવાનું કહ્યું છે એમ જિનવચનને યાદ કરીને ક્ષમા રાખે તે વચન ક્ષમા. જેમ ચંદનમાં સ્વાભાવિક સુવાસ હોય છે, તેમ સ્વાભાવિકપણે થતી ક્ષમાં એ ધર્મક્ષમા. જેમ ચંદન પિતાને કાપનારને કે બાળનારને પણ સુવાસ આપીને ઉપકાર કરે છે, તેમ ધર્મ ક્ષમાયુક્ત મહાત્મા પોતાના ઉપર અપકાર કરનાર ઉપર પણ ગુસ્સો કરતા નથી. બલકે ભાવદયાચિતન આદિથી તેના ઉપર ઉપકાર કરે છે. જ્યારે આત્મામાં ઉત્કૃષ્ટ પ્રકારની ક્ષમા આવે છે ત્યારે જીવ કેઈપણ જાતના પ્રયત્ન વિના સ્વાભાવિક ક્ષમા ધારણ કરે છે. ગમે તેવા અનિષ્ટ પ્રસંગે માં પણ કશાય પ્રયત્ન વિના કુદરતી રીતે જ તેને જરાય ગુસ્સો આવતો નથી. એનો ક્ષમાનો સ્વભાવ જ થઈ જાય છે એના જીવનમાં ક્ષમા તાણાવાણાની જેમ વણ ઈ જાય છે. પાંચ પ્રકારની ક્ષમા માં પ્રથમની ત્રણ પ્રકારની ક્ષમા અશુભ છે. કારણ કે તેમાં અનિષ્ટ વિયેગ અને ઈષ્ટ સંગ રૂપ આતધ્યાન છે. છેલ્લી બે ક્ષમા ઉત્તમ છે. કારણ કે એ ક્ષમા આમાના લક્ષ્યવાળી હવાથી આંતરિક ક્ષમા છે. (છે. ૧૦ ગા. ૧૦) ક્ષમાની જેમ મૃદુતા વગેરે ધર્મો પણ આ રીતે પાંચ પ્રકારના છે. પાંચ પ્રકારના ક્ષમાદિ ધર્મોમાં મુનિઓને વચનક્ષમાદિ અને ધર્મક્ષમાદિ એ બે પ્રકારનો ક્ષમાદિ ધર્મ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy