SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ પણ ક્રિયાનું ફળ મળતુ નથી. આ ખ'ને રાગના ચેાગ્ય ઉપાયા ન કરવામાં આવે તે સર્વથા અનુષ્ઠાનાના નાશ થાય. જેમકે રોગપીડાથી ક'ટાળીને કે મગજની અસ્થિરતાથી સાધુ દીક્ષા છેાડી દે. ગૃહસ્થ પ્રતિક્રમણાદિ રાજ કરતા હોય તો પણ મૂકી દે. માટે મનને મજબુત બનાવીને પીડાને સહન કરવી જોઈએ, કે ચેાગ્ય ઉપાયેાથી દૂર કરવી જોઈ એ. (૮) આસ`ગ એટલે જે અનુષ્ઠાન કરાતુ હોય તેમાં આ જ અનુષ્ઠાન સારું છે એવા રાગ. આવા રાગ દોષ છે. કારણ કે અમુક જ અનુષ્ઠાન સુંદર છે એવું શાસ્ત્રમાં વિધાન નથી. બલ્કે દરેક અનુષ્ઠાન આસંગ વિના કરવાનું વિધાન છે. આથી આસગવાળું અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રાક્ત અનુષ્ઠાન પણ જે સંગ રહિત હાય તા તે પ્રધાન છે, અને તે અતિશય ઈષ્ટ ફળ આપનારું બને છે. આસંગવાળુ' અનુષ્ઠાન તે તે ગુણુસ્થાને જ રાકી રાખે છે, આગળ વધવા દેતુ નથી. જેમકે-સમ્યગ્દષ્ટિ જીવ જિનભક્તિ જ સુંદર છે એમ માને તે દેશિવરતિ આદિ પામી શકે નહિ. દેશવિરતિધારી જીવ શ્રાવકાનાં ત્રતા જ સુંદર છે એમ માને તા સવતિ ન પામી શકે. સવિરતિધારી પણ પાતે જે કક્ષામાં હોય તે જ કક્ષામાં સાષ માને તા આગળ ન વધી શકે. સાધકે અંતે તા સર્વથા અસંગ બનવાનું છે, એટલે પાતે જે કક્ષામાં હાય તેનાથી આગળ વધવાના પ્રયત્ન કરવા જોઇ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy