SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૩ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] પ્રથમઢારે વ્યવહારે પ્રપણા તે ત્રણમાં પ્રથમ વ્યવહારની પ્રરૂપણ કરે છે : (વ્યવહાર શબ્દની વ્યુત્પત્તિ:-) રચવાર શબ્દ વિવાપાર શબ્દથી બન્યો છે. વિદ્યાપાર શબ્દમાં વિ, વાઘ અને દુર એમ ત્રણ શબ્દો છે. વિ એટલે વિવિધ રીતે, અર્થાત્ તે તે જીવની યોગ્યતા પ્રમાણે અનેક રીતે, અથવા વિ એટલે વિધિથી, અર્થાત્ સર્વ કહ્યું છે તે પ્રમાણે. વાઘ એટલે વપન=વાવવું. અર્થાત્ તપ વગેરે અનુષ્ઠાન કરવાં. ફાર એટલે હરણ=દૂર કરવું. અર્થાત્ અતિચારો અને દોષને દૂર કરવા. આને સળંગ અર્થ આ પ્રમાણે થયે :- વિવિધ રીતે અથવા વિધિથી તપ વગેરે અનુષ્ઠાન કરવાં અને અતિચારોને દોષને દૂર કરવા તે વિવાપહાર. અથવા બે-ત્રણ વગેરે સાધુઓના કેઈ કાર્યમાં પ્રવૃત્તિ કરીને જે જેમાં હોય તેને તેમાં નાખવું અને બીજામાંથી (જેમાં ન હોય તેમાંથી) લઈ લેવું તે વિવાપહાર=વ્યવહાર, વ્યાકરણના નિયમ પ્રમાણે વ્યવહાર શબ્દ પૃષોદરાદિમાં હોવાથી ( g યઃ સિશ૦ ૩–૨–૧૫૫ એ સૂત્રથી) વિવાનો થર એ આદેશ થતાં વ્યવહાર શબ્દ બન્યો છે. માગનાર અને ન આપનાર=વાંધો ઉઠાવનાર એ બંનેમાં વિવાદ થતાં તેનો નિકાલ લાવવા ચુકાદો આપનાર (= જયુરી)ની પાસે જાય ત્યારે ચુકાદો આપનાર જેનું જે ન હોય તેની પાસેથી તે લઈને બીજાને આપે. અહીં ચુકાદો આપનારની પ્રવૃત્તિ તે વ્યવહાર કહેવાય. આ પ્રમાણે વ્યવહાર શબ્દને સર્વ સાધારણ અર્થ છે. વ્યવહારને આ શબ્દાર્થ સર્વ સામાન્ય કિયાની અપેક્ષાએ છે. પ્રસ્તુતમાં તે વ્યવહાર શબ્દની વ્યુત્પત્તિ કરણથી ત્રીજા કારકથી કરવી. તે આ પ્રમાણે - વિધિના વ્યતે દિવસે જ ચેન ન રચાર: =જેના વડે વિધિથી વવાય (કરાય) અને દૂર કરાય તે વ્યવહાર. વ્યવહાર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તે ચાર પ્રકારમાં નામ અને સ્થાપના વ્યવહાર સુગમ છે. દ્રવ્ય વ્યવહાર આગમથી અને આગમથી એમ બે પ્રકારે છે. વ્યવહારપદના અર્થને જ્ઞાતા અને તેમાં ઉપયોગ રહિત જાવ આગમથી દ્રવ્ય વ્યવહાર છે. નોઆગમથી દ્રવ્ય વ્યવહાર જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદુષ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બે પ્રતીત છે, અહીં આગમ એટલે તે તે શબ્દના અર્થનું જ્ઞાન. કારણમાં કાર્યના ઉપચારથી અર્થના કારણભૂત (અર્થના જ્ઞાનવાળા) આત્મા વગેરે પણ આગમ કહેવાય. એટલે વ્યવહાર પદાર્થને નાતા આતમાં આગમથી વ્યવહાર છે. પણ જે તે વ્યવહારપદના અર્થમાં ઉપયોગવાળા ન હોય તે આગમથી દ્રવ્ય વ્યવહાર છે. કારણ કે મનુvયો દ્રષ્ય=ઉપગને અભાવ એ દ્રવ્ય છે. ( ૪ જ્ઞશરીર એટલે વ્યવહાર પદાર્થના જ્ઞાતાનું જીવરહિત શરીર. અહીં ને એટલે સર્વથા અભાવ. નાનો સવથા અભાવ તે આ ગમ. અહીં દ્રવ્ય શબ્દ કારણુ અર્થમાં છે. જ્ઞશરીર ભૂતકાળમાં વ્યવહાર પદાર્થના ન નનું કારણ હતું. જ્ઞશરીરમાં વર્તમાનમાં વ્યવહાર પદાર્થના જ્ઞાનને સર્વથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy