SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ]. [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કરવામાં વિરોધ નથી, કારણ કે ઉત્સર્ગથી સંયમશ્રેણિમાં રહેલાને જ વંદન કરાય છે. (અર્થાત અપવાદથી જ શા માટે? અપવાદ વિના સામાન્યથી પાસસ્થાદિને અન્ય સાધુની જેમ વંદન કરવું જોઈએ.) ઉત્તર :- ગચ્છવ્યવહારના કારણે ઉત્સર્ગથી પાસત્યાદિને વંદન કરવાનો નિષેધ છે. સંયમી હવા સાથે એક સામાચારીવાળે હોય તેને જ સાધુઓએ વંદન કરવું એવી મર્યાદા છે. આમ ઉત્સર્ગથી પાસત્યાદિને વંદનને નિષેધ કરવામાં દોષ નથી. આથી જ સંયમશ્રેણિમાં રહેલાઓને પણ વંદનમાં ભજન છે. અર્થાત્ એક ગરછના સાધુઓમાં વંદન વ્યવહાર હોવા છતાં તે જ ગચ્છના પારિવારિકતપ કરનાર વગેરે સાધુઓને વંદન કરવામાં આવતું નથી. - જેમની સાથે વંદન વ્યવહાર નથી તેવા શુદ્ધ ચારિત્રી સાધુઓનું ચારિત્ર (સ્વરૂપે તે ફલ આપનારું છે જ, પણ વધારામાં) વિશિષ્ટ વિષયના પક્ષપાત દ્વારા પણ ફલ આપનારું છે. અર્થાત્ તેમાં વિશિષ્ટ પ્રકારના ચારિત્રને પક્ષપાત અનુરાગ હેવાથી પણ લાભ થાય છે. જે જ્યારે અતિજઘન્ય સંયમસ્થાનમાં રહેલા પાસત્યાદિમાં ચારિત્ર રહેલું હોવા છતાં તે ચારિત્ર અનિષ્ટને અનુબંધ કરાવનારું હોવાથી તેવું નથી. આથી જ પાપ શ્રમણીય અધ્યયન (ઉત્તરા. અ. ૧૭ ગા. ૨૦)માં કહ્યું છે કે “આવા પ્રકારને (પૂર્વ ગાથાઓમાં જેવું વર્ણન કર્યું છે તેવો), પાસસ્થાદિ પાંચ કુશીલની જેમ આશ્રવારોને બંધ ન કરનાર. માત્ર વેષધારી. ઉત્તમ મૂનિઓની નીચે રહેલે, અર્થાત અતિજઘન્ય સંયમસ્થાનમાં રહેલો હોવા અધમ, સાધુ લોકમાં વિષની જેમ તિરસ્કૃત બને છે. આથી જ તે આ લેકમાં નથી, અને પરલોકમાં પણ નથી. અર્થાત તેના બંને ભવ બગડે છે.” આ સ્થળે અતિજઘન્ય સંયમ સ્થાનમાં રહેલા હોવાથી અધમ બનેલા પાસત્યાદિ પાંચ પ્રકારના સાધુઓ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ બનેલા હોવાથી વિષની જેમ તિરસ્કૃત કહ્યા છે. આમ છતાં જે કાળમાં સમ્યગદર્શનાદિ ભાવે દુર્લભ હોય તે કાળમાં સ્વરૂપથી તે * જેમકે—જેઓ દોષોની શુદ્ધિ માટે ગચ્છથી અલગ રહીને પારિવારિક તપ કરી રહ્યા છે, તેમને ગચ્છમાં રહેલા સાધુઓ વંદન કરતા નથી. એમનું ચારિત્ર પાસસ્થાદિની જેમ અશુદ્ધ નથી. એમનું ચારિત્ર શુદ્ધ હોવાથી સ્વરૂપે લાભ કરનારું છે, તથા એમને મારા દોષોની શુદ્ધિ થાય, મને વિશેષ શુદ્ધિવાળું ચારિત્ર પ્રાપ્ત થાય તેવી ઈચ્છા હોવાથી પણ તેમને એ ચારિત્રથી લાભ થાય છે. એટલે તેમનું ચારિત્ર ઈષ્ટનો અનુબંધ કરાવનારું છે. જ્યારે અતિજન્ય સંયમ સ્થાનમાં રહેલા પાસસ્થા વગેરેમાં આ ભાવના હોતી નથી. આથી તેમનું ચારિત્ર અનિષ્ટને અનુબંધ કરાવનારું છે. આને સાર એ આવ્યો કે પારિવારિક તપવાળા વગેરે સાધુઓ અને અતિ જધન્ય સંયમ સ્થાનમાં રહેલા પાસસ્થાદિ સાધુઓમાં વર્તમાનકાળની દૃષ્ટિએ ચારિત્રમાં ભેદ છે જ, પણ ભવિષ્યની દૃષ્ટિએ પણ ચારિત્રમાં ભેદ છે. એકને ઈષ્ટનો અનુબંધ અને બીજાને અનિષ્ટને અનુબંધ એ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy