SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જૈન ધર્મ-દર્શન નિગમનાં ભેદ અને અભેદ બન્નેનું ગ્રહણ કરે છે તો તે સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ કરે છે એ સ્વતઃ સિદ્ધ છે. આ શંકા અયોગ્ય છે. તેનું કારણ એ છે કે સકલાદેશમાં ગૌણપ્રધાનભાવ નથી હોતો. બધા ધર્મોનું ગ્રહણ સકલાદેશ સમાનપણે કરે છે જ્યારે નૈગમનય વસ્તુના ધર્મોનું ગ્રહણ ગૌણ-પ્રધાનભાવે કરે છે. ધર્મ અને ધર્મીનું ગ્રહણ ગૌણ-પ્રધાનભાવે કરવું એ પણ નૈગમનાય છે. કોઈ વખત ધર્મની પ્રધાનભાવે વિવેક્ષા હોય છે અને ધર્મીની ગૌણભાવે. કોઈ વખતે ધર્મીની મુખ્ય વિવેક્ષા હોય છે અને ધર્મની ગૌણ. આ બન્ને પરિસ્થિતિઓમાં નૈગમન ની પ્રવૃત્તિ થાય છે. સુખ જીવગુણ છે' આ વાક્યમાં સુખ પ્રધાન છે કેમ કે તે વિશેષ્ય છે અને જીવ ગૌણ છે કેમ કે તે સુખનું વિશેષણ છે. અહીં ધર્મનું પ્રધાનભાવે ગ્રહણ કરવામાં આવ્યું છે અને ધર્માનું ગૌણભાવે. “જીવ સુખી છે' આ વાક્યમાં જીવ પ્રધાન છે કેમ કે તે વિશેષ્ય છે અને સુખ ગૌણ છે કેમ કે તે વિશેષણ છે. અહીં ધર્મીની પ્રધાનભાવે વિવક્ષા છે અને ધર્મની ગૌણભાવે.' કેટલાક લોકો નૈગમનયને સંકલ્પમાત્રગ્રાહી માને છે. જે કાર્ય કરવાનું છે તેનો સંકલ્પમાત્ર નૈગમનાય છે. ઉદાહરણ તરીકે, એક પુરુષ કુહાડી લઈને જંગલમાં જઈ રહ્યો છે. રસ્તામાં કોઈ વ્યક્તિ તેને મળે છે અને પૂછે છે, “તમે ક્યાં જઈ રહ્યા છો?” તે પુરુષ ઉત્તર દે છે, હું પ્રસ્થ લેવા જઈ રહ્યો છું.” અહીં પેલો પુરુષ ખરેખર તો લાકડું કાપવા જઈ રહ્યો છે. પ્રસ્થ તો પછી બનશે. પ્રસ્થના સંકલ્પને દૃષ્ટિમાં રાખીને તે પુરુષ ઉપર્યુક્ત રીતે ઉત્તર આપે છે. તેનો ઉત્તર નૈગમનયની દૃષ્ટિએ બરાબર છે. આવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ કોઈદુકાને કપડું લેવા જાય છે અને તેને કોઈ પૂછે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે તે ઉત્તર આપે છે કે કોટ સિવડાવવા જઈ રહ્યો છું. હકીકતમાં તે વ્યક્તિ કોટ માટે કાપડ લેવા જઈ રહી છે અને નહિ કે કોટ સિવડાવવા. કોટ તો પછી સિવડાવાશે, પરંતુ સંકલ્પને દૃષ્ટિમાં રાખીને તે કહે છે કે કોટ સિવડાવવા જઈ રહ્યો છું. સંગ્રહ–સામાન્ય યા અભેદનું ગ્રહણ કરનારી દષ્ટિ સંગ્રહનય છે. સ્વજાતિના વિરોધી સિવાય બાકી બધા પદાર્થોનો એકત્વમાં સંગ્રહ કરવો એ સંગ્રહનય કહેવાય १. यद्वा नैकगमो नैगमः, धर्मर्मिणोर्गुणप्रधानभावेन विषयीकरणात् । 'जीवगुणः सुखम्' इत्यत्र हि जीवस्याप्राधान्यम् विशेषणत्वात् । सुखस्य तु प्राधान्यम्, विशेष्यत्वात् । 'सुखी जीवः' इत्यादौ तु जीवस्य प्राधान्यम्, न सुखादेः, विपर्ययात् । – નયપ્રકાશસ્તવવૃત્તિ, પૃ. ૧૦. ૨. અર્થસં૫મત્રાદી તૈ: તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૩.૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy