SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૭૧ કરે છે. બીજી પરંપરા નયના છ ભેદોને માને છે. આ પરંપરા અનુસાર નૈગમ સ્વતંત્ર નય નથી. આચાર્ય સિદ્ધસેન દિવાકરે આ પરંપરાની સ્થાપના કરી છે. ત્રીજી પરંપરા તત્ત્વાર્થસૂત્ર અને તેના ભાષ્યની છે. આ પરંપરા અનુસાર મૂળરૂપમાં નયના પાંચ ભેદ છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ. તેમાંથી પ્રથમ અર્થાત્ નૈગમનયના દેશપરિક્ષેપી અને સર્વપરિક્ષેપી એમ બે ભેદો થાય છે; અત્તિમ શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એવા ત્રણ ભેદ છે. સાત ભેદોવાળી પરંપરા અધિક પ્રસિદ્ધ છે, તેથી નૈગમ આદિ સાત ભેદોના સ્વરૂપનું વિવેચન નીચે કરવામાં આવ્યું છે. નૈગમ –ગુણ અને ગુણી, અવયવ અને અવયવી જાતિ અને જાતિમાનું, ક્રિયા અને કારક આદિમાં ભેદ અને અભેદની વિવક્ષા કરવી એ નૈગમનાય છે. ગુણ અને ગુણી કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન્ન. તેવી જ રીતે અવયવ અને અવયવી, જાતિ અને જાતિમાનું, આદિમાં પણ કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ છે. કોઈ વખત આપણી વિવક્ષા ભેદની તરફ હોય છે અને કોઈ વખત અભેદની તરફ. જે વખતે આપણી વિવક્ષા ભેદ તરફ હોય છે ત્યારે અભેદ ગૌણ બની જાય છે અને જે વખતે આપણને અભેદનું પ્રયોજન હોય છે તે વખતે ભેદ ગૌણ થઈ જાય છે. ભેદ અને અભેદને પ્રધાન-ગૌણભાવે ગ્રહણ કરવા એ નૈગમનાય છે. બીજા શબ્દોમાં, ભેદનું ગ્રહણ કરતી વખતે અભેદને ગૌણ સમજવો અને ભેદને મુખ્ય સમજવો, અને અભેદનું ગ્રહણ કરતી વખતે ભેદને ગૌણ સમજવો અને અભેદને મુખ્ય સમજવો એ નૈગમનય છે. ઉદાહરણ તરીકે ગુણ અને ગુણીને લઈએ. જીવ ગુણી છે અને સુખ તેનો ગુણ છે. જીવ સુખી છે' આ કથનમાં કયારેક જીવ અને સુખના અભેદની પ્રધાનતા હોય છે અને ભેદની અપ્રધાનતા, ક્યારેક ભેદની પ્રધાનતા હોય છે અને અભેદની અપ્રધાનતા. બન્ને વિવક્ષાઓનું ગ્રહણ નૈગમનાય છે. ક્યારેક એક વિવક્ષા પ્રધાન હોય છે તો ક્યારેક બીજી, પરંતુ હોવું જોઈએ બન્નેનું ગ્રહણ. કેવળ એકનું ગ્રહણ હોતાં નૈગમય નથી બનતો. બન્નેનું ગ્રહણ હોવાથી આ સકલાદેશ બની જશે કેમ કે સકલાદેશમાં સંપૂર્ણ વસ્તુનું કથન હોય છે, અને વસ્તુ ભેદ અને અભેદ ઉભય રૂપથી જ સંપૂર્ણ છે. જો ૧. સ્થાનાંગ, ૭.૫૫૨; તત્ત્વાર્થરાજવાર્તિક, ૧.૩૩. ૨. સન્મતિતર્કમાં નયપ્રકરણ. ૩. ૧.૩૪-૩૫. ४. अन्योन्यगुणभूतैकभेदाभेदप्ररूपणात् । મૈમોડતત્વો¢ો નૈ માસ રૂ . લઘયસ્ત્રય, ૨.૫.૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy