SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ • મારું જીવનવૃત્ત કે જે આટલો લોભી છે તે કાંઈક મતલબસર જ આમ ધરમ કરમ કરતો હશે. એ સ્ત્રી સાથે તો ઘેર રહેતો જ નથી ઈત્યાદિ. જીજીભાઈ હનુમાનદાસને ગામમાં લાવ્યા, ધર્મશાળા બંધાવી સદાવ્રત શરૂ કર્યું અને બીજાં કેટલાંક ધર્મકાર્યો કર્યા ત્યારે પણ લોકો એમને વિષે સાશંક હતા. પરંતુ કોણ જાણે મારું મન એમના પ્રત્યે એ ઉંમરે પણ અકળ રીતે આકર્ષાતું ! કાશીથી પહેલવહેલો વિ. સં. ૧૯૬૩માં અને ત્યાર પછી જ્યારે ગામમાં પાછો આવતો ત્યારે જીજીભાઈને મળવાની તક સાંપડતી. મારી સ્થિતિ અને ઉંમર બદલાયાં હતાં. જીજીભાઈને મળવાની તક સાંપડતી. મારી સ્થિતિ અને ઉંમર બદલાયાં હતાં. જીજીભાઈ મને બહુ નિખાલસ ભાવે મળતા. એમની એ સાર્વજનિક ધર્મશાળામાં ખુશીથી હું જતો અને ત્યાં આવી. ઊતરેલા કોઈ યોગ્ય સાધુ-સંત હોય તો તેમને ભેટતો. જીજીભાઈ ગુજરી ગયા પછી ગામમાં ગયેલો ત્યારે આખા ગામમાં અને બહારના સમાજમાં એમની સુવાસ અજબ રીતે પ્રસરેલી સાંભળી. મારા અંગત મિત્રો જે પહેલાં એમની ટીકા કરતા તેઓએ જ મને કહ્યું કે ખરી રીતે જીજીભાઈને કોઈએ ઓળખ્યા જ ન હતા. તે ગૃહસ્થ છતાં સાધુ કરતાંય વધારે પવિત્ર અને સત્યવાદી હતા. જીજીભાઈના આ જીવનપરિવર્તનમાં બાલા હનુમાનદાસનો જ પ્રભાવ કારણભૂત હતો એમ મને, વિચાર કરતાં, લાગે છે. એ ગિરનારી હનુમાનદાસ છે સમભાવી અને પ્રભાવશાળી અવધૂત બાવાના ચહેરાનું દર્શન મારા જીવનમાં પહેલું અને છેલ્લું જ હતું. જોકે આગળ જતાં બીજા કેટલાય યોગી સંતોને ભેટ્યો છું પણ એ તો માત્ર ભેટ, નહિ કે સાક્ષાત્ ચક્ષુદર્શન. જૈન સાધુના આચાર જૈન સાધુ-સાધ્વીઓ ઉઘાડે પગે ચાલે, કેશનો લો, ફરે, પોતાનો ભાર પોતે ઊંચકે અને પગપાળા ચાલે. પોતાના માટે તૈયાર કરવામાં નથી આવેલ એવી ખાતરી થયા પછી જ અમુક મર્યાદાઓનું પાલન કરી ગૃહસ્થોને ત્યાંથી આહારપાણી લે. ગરમ પાણી ન મળે ત્યારે ચોખાનાં કે બીજાં તેવાં ધોવાણનાં પાણી તેમ જ કુંભારને ત્યાંથી માટી પલાળેલ ઘડામાંથી પાણી લાવી, તેને આકરવા દઈ, નિતારી શુદ્ધ કરી તે વાપરે. આ બધું એ ઉંમરે નજરે જોતો. તે ઉપરાંત ગૃહસ્થો અને સાધુઓ દ્વારા હસતે મોઢે આચરાતા અઠવાડિયા, પખવાડિયા અને માસના ઉપવાસો પણ જોયેલા. એક વાર તે બે મહિનાના લાગલગટ ઉપવાસ કરેલ એક મારવાડી સાધ્વીનાં દર્શન પણ ભાવભક્તિથી સાશ્ચર્યમને કરેલાં. એ જ ઉંમરે એક વાર ખરે બપોરે સખત ઉનાળામાં વઢવાણના ભોગાવાની આગ વરસતી રેતીમાં ઉઘાડે ડિલે આતાપના લેનાર એક મારવાડી સાધુનાં દર્શન કરેલાં. ત્યાં સાકરનું પાણી પીવા સાથે હજારો દર્શનાર્થીઓની ભીડ જોયેલી. આ બધી વસ્તુસ્થિતિને લીધે તે વખતે મારી ધર્મની સમજણ મુખ્યપણે ક્રિયાકાંડ, દેહદમન, તપશ્ચર્યા અને પરંપરાગત શાસ્ત્રશ્રવણમાં જ સમાઈ જતી. આથી વધારે ઊંડી અને સાચી સમજણ મેળવવાની તે વખતે ન હતી કોઈ સામગ્રી, કે ન હતી તેવી પરિસ્થિતિ. એટલે આટલી સમજણના વર્તુળમાં જ તે વખતનું જીવન ચક્કર મારતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy