SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક સંસ્કારો • ૨૯ ગિરનારી બાલા હનુમાનદાસજી આમ છતાં, હું તો આવનાર દરેક સાધુ-સાધ્વીને વહોરાવવા જુદે જુદે ઘરે લઈ જવાની અને બીજી જોઈતી ચીજો મેળવી આપવાની એકસરખી ભક્તિ કરતો. વિશેષ સહવાસ તો જૈન સાધુ-સાધ્વીઓનો જ હતો; છતાં ગામડું એટલે બીજા બાવા કે સંન્યાસીઓ આવે અને તે સારા છે એમ સંભળાય ત્યારે તેમની પાસે પણ તો. ઉંમર કાચી અને સંપ્રદાય પારકો એટલે સંકોચાતાં સંકોચાતાં જ તેમની પાસે જવાનું બનતું. આ જવરઅવરને પરિણામે મેં તે વખતે જે એક તેજસ્વી અને ગંભીર ચહેરાના બાવાને જોયેલા તેને હું કદી ભૂલી શક્યો નથી. ઘણું કરી વિ. સં. ૧૯૫૨માં જ એ પ્રસંગ આવેલો. ગામ બહાર પાકી ધર્મશાળાનો નવેસર પાયો નંખાયો ત્યારે એ ધર્મશાળા બંધાવનાર જીજીભાઈ, જે તે વખતે સાવ તરુણ હતા અને બહુ લોભી, પણ ભગત ગણાતા તે, જૂનાગઢથી હનુમાનદાસ નામના એક બાવાને લઈ આવેલા. હનુમાનદાસ જૂનાગઢ-ગિરનાર પહાડમાં રહે છે, યોગી છે, સમાધિ ચડાવે છે અને ચમત્કારી છે એવી વાતો સાંભળી એટલે ગામ બહાર તેઓ લોકોના ટોળા વચ્ચે બેઠા હતા ત્યાં હું પણ શરમાતા શરમાતાં પહોંચી ગયો. તેમના હાથે બધાની પેઠે મને પણ સાકરની પ્રસાદી મળી તેમણે લાંબી કફની પહેરેલી, ઊંચો ટોપ માથે નાખેલો, હાથમાં નાની માળા, શરીર ભરાવદાર અને પડછંદ, ચહેરો કાંઈક લાંબો તેમ જ શામળો છતાં તેજસ્વી અને મૌન છતાં કાંઈક ઓઈસ્પંદન ચાલે. હનુમાનદાસજીની ગામનાં ઘણાં ઘરોમાં ગાજતેગાજતે પધરામણી થયેલી. તેઓ ચાલીને જતા. આ દયની મન ઉપર જે છાપ તે વખતે પડેલી તે કરતાં ઊંડી છાપ તો એ બાબત જાણી પડેલી કે હનુમાનદાસજી ઢંઢવાડામાં પણ સમાનભાવે જાય છે અને ત્યાંથી પાછા ફરી નથી નહાતા કે નથી છાંટ લેતા. તે વખતે આ તત્ત્વ સમજવું મારે માટે તો શું, પણ ભલાભલા માટે અઘરું હતું, પરંતુ એના ઉપર પાછળથી જ્યારે જ્યારે વિચાર આવ્યો છે ત્યારે એમ જ લાગ્યું છે કે નાતજાતના અને ઊંચનીચના ભેદ વિના સમગ્ર માનવતામાં માનનાર સંતોમાંના એ એક હોવા જોઈએ. નહિ તો એ જમાનામાં અને એ રૂઢ સમાજમાં એવી નિર્ભય હિંમત બીજો કોણ કરે? જીજીભાઈના જીવનમાં પલટો લાવનાર પણ એ જ સંત. ચાર ભાઈમાં નાના જીજીભાઈ. હનુમાને સ્વપ્નમાં આવી સૂચવેલ જગ્યાથી ધન લઈ આવનાર જશાભાઈનો મુખ્ય વારસો એ નાના દીકરાને મળેલો. જીજીભાઈનાં મા અને પત્ની હયાત હતાં. તેમને તે વખતે સંતાન ન હતું. જીજીભાઈ વાણિયાશાઈ ધીરધારમાં પૈસા ફેરવે. કોણ જાણે કયાંથી એમને હનુમાનદાસજી ક્યાંક ભેટ્યા ! પછી તો જીજીભાઈ ગિરનાર ભાગી જાય, અને ત્યાં વિશેષ રહે. ગામમાં ઓછું આવે અને આવે ત્યારે પણ ગામ બહાર જ રહે. મહિને મહિને ગામના બધા છોકરાઓને ભાત, ગોળ અને ઘી ખવરાવે. રસ્તે જતા મુસાફર કે બાવા ભિખારીને મઢીમાં આશરો આપે અને ખાવાની પણ જોગવાઈ કરી આપે. ગામના લોકો તો તે વખતે પણ એમને ઢોંગી કહેતા અને માનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy