SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ મારું જીવનવૃત્ત કરાવવામાં આવતાં. એ નિમિત્તે કરાવવામાં આવેલા ઘરગથુ ઘીથી નીતરતા ચોખાની - કુલેરના લાડવા ઘણાં વર્ષો લગી ખાધાનું મને યાદ છે. વસવાટ લીમલીમાં અને પારણાં કે અતરવારણાં વઢવાણમાં ઉપવાસીઓને કરાવવામાં ધર્મ અને મોટપ માનતાં એ વાત ત્યારે મને નવાઈ ઉપજાવતી, પણ ઐતિહાસિક રહસ્ય સમજાતાં ભ્રમ ભાંગ્યો. મૂળે વઢવાણના નિવાસી એટલે ત્યાં કુટુંબના મોભા ખાતર આ ધર્મકાર્ય શરૂ કરવામાં આવ્યું હશે. એ જ રીતે માવજી મોનાના નામની ચારે ભાઈના મજિયારાની દુકાનો ધોલેરામાં, કાશી ભણવા ગયો ત્યાં લગી તો હતી જ અને ઘણું કરી છેવટે વિસ્તાર અને ભાગીદારો વધતાં દેખરેખને અભાવે જ તે ગઈ હશે. વઢવાણ કેમ્પનું થાણું આબાદ થતું ગયું અને વ્યાપાર વધતો ગયો તેમ તેમ ધોલેરા બંદર ભાંગતું ગયું. આટલા ઉપરથી લાગે છે કે માવજી સંઘવી કે તેમના પિતા વઢવાણથી લીમલી આવ્યા અને તેમનો ધોલેરાનો ધિંધો ગાંગજી સંઘવી વગેરે ચારે ભાઈઓએ ચાલુ રાખ્યો. માવજી સંઘવીના ચારે પુત્રોમાંથી ગાંગજી સંઘવીને ચાર દીકરા, તળશી સંઘવીને એક જ, અમરશી સંઘવીને બે અને મોતી સંઘવીને ત્રણ પુત્રો હતા. એમાંથી ગાંગજી, અમરશી અને મોતી સંઘવીના એક એક પુત્ર હજુ પણ હયાત છે. પાછળથી અમરશી અને મોતી સંઘવીએ લીમલીથી દક્ષિણે એકાદ ગાઉ દૂર ખોલડિયાદ ગામમાં અધવારું કર્યું અને ત્યાં જ તેઓ રહી ગયા. આ રીતે લીમલી અને ખોલડિયાદ વચ્ચે બબ્બે ભાઈઓ વહેંચાઈ ગયા છતાં ચારે ભાઈઓનો કૌટુંબિક ભાવ ઠેઠ સુધી એટલો સારો હતો અને આજે પણ છે કે નાના-મોટા સુખ-દુઃખના અને સારા-નરસા પ્રસંગે બધા ભાઈઓ કૌટુંબિક નાતે મળે જ. સંયુક્ત કુટુંબની પુરાણી પ્રથાનો બધો જ દેખાવટી કે વાસ્તવિક શિષ્ટાચાર હોવા છતાં ભાઈઓમાં સમજપૂર્વકનું પારસ્પરિક સૌમનસ્ય ભાગ્યે જ સચવાતું. તાણાતાણ અને વઢવાડ તો ચાલે જ, પણ પાછા લાકડી માર્યે કાંઈ પાણી જુદાં પડે' એ કહેવતને ચરિતાર્થ કરે. તળશી સંઘવીના એકમાત્ર પુત્ર સંઘજી. તે મારા પિતા. ગાંગજી સંઘવીના ચાર પુત્રોમાં સૌથી મોટા ત્રિભુવનદાસ, જેને અમારું આખું સંઘવી કુટુંબ બાપુ કહેતું. કુટુંબમાં ફક્ત બાપુ જ મારા પિતાથી મોટા. બાપુ જેટલા દેખાવડા તેટલા જ રૂઆબદાર અને તેટલા જ બુદ્ધિશાળી તેમજ વ્યાપારકુશળ. સામાન્ય રીતે સૌ એમની આણ માનતા. બાપુ અને મારા પિતા વગેરે ધૂળી નિશાળમાં જ ભણેલા. વ્યાપારમાં, હિસાબકિતાબ અને નામાઠામામાં, દસ્તાવેજ કરવા-કરાવવામાં, અભિમાની અને પાણીદાર ગરાસિયા રજપૂતોને પહોંચી વળવામાં તેમજ દીવાની-ફોજદારી કોર્ટના રાતદિવસના કાવાદાવામાં બધા ભાઈઓ પાવરધા હતા, પણ સૌમાં મોખરે આવે બાપુ. એમની ધાક અને નામના દૂર દૂર સુધી જાણીતી હતી. મારા પિતાજી બાપુને મોટાભાઈ કહેતા અને તેમને બહુ માનતા. બાપુ પણ એવા હોશિયાર કે મારા પિતાજીની આદરભક્તિનો ફાવે તેમ ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy