SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો પ્રજાસત્તાક દિવસ ઊજવવામાં આવે છે અને પ્રજાસત્તાક તંત્રને લક્ષી દેશના દરેક ભાગમાં વિચારવાના તંત્રીઓ પોતપોતાના છાપાના ખાસ અંક પ્રસિદ્ધ કરે છે. તેને વખતે પ્રજાસત્તાક કે લોકતંત્રનો મુખ્ય અને સાચો પાયો શો છે, તેમજ એ પાયો આપણા લોકતંત્રમાં કેટલે અંશે છે, એ જાણવું જરૂરી છે. લોકતંત્રના બીજા અનેક આધારો છે, પણ તેમાં જો કોઈ એક મુખ્ય અને મહત્ત્વનો આધાર દર્શાવવો હોય તો તે સરવાળે સમષ્ટિના હિત અને કલ્યાણને જ પોતાનું હિત અને કલ્યાણ લેખી પ્રત્યેક રાષ્ટ્રઘટક ઉંમરલાયક અને સમજદાર વ્યક્તિએ પોતાના લાભ અને સ્વાર્થને સમષ્ટિના હિત અને કલ્યાણમાં જતા કરવા તેમજ પોતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે. બુદ્ધ ને મહાવીરના સમયમાં ગણરાજ્યો હતાં. તેમાં લોકતંત્રનું જ તત્ત્વ હતું, પણ પ્રમાણમાં મોટા ભયો ઉપસ્થિત થતાં તે ગણતંત્રો જોઈતું સંગઠન અને બળ સાધી ન શક્યાં. એટલે ઉપસ્થિત થતા મોટા ભયો નિવારવાનું કામ અમુક શક્તિશાળી વ્યક્તિઓએ આગળ આવી કર્યું અને પરિણામે વ્યક્તિસત્તાક રાજ્યના પાયા વિસ્તરતા ગયા. સમષ્ટિહિતની જે દૃષ્ટિ પ્રથમ મુખ્યપણે કામ કરતી તે વ્યક્તિ-રાજતંત્રમાં ગૌણ બની અને વૈયક્તિક હિત તેમજ વૈયક્તિક ગૌરવનાં બીજો લતાંફાલતાં ગયાં. આ વાત રાજતંત્રપક્ષે થઈ. બીજી બાજુ ધર્મતંત્રપક્ષે પણ પલ્લું ધીરે ધીરે બદલાતું ગયું. વેતિ રતિ રતિ વરતો મારે એવી પ્રવૃત્તિપ્રધાન ભાવના ધર્મક્ષેત્રમાં કાંઈક ગૌણ થઈ. તેના સ્થાનમાં નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મની ભાવના ધીરે ધીરે પ્રધાન બનવા લાગી. વ્યક્તિતંત્ર-રાજ્યમાં દિવસે દિવસે સામૂહિક જવાબદારીનું તત્ત્વ પ્રજાસામાન્યમાં ઓસરતું ગયું અને નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મના પુરસ્કર્તા સંઘો અને સંપ્રદાયોના પ્રભાવને લીધે પ્રજાસામાન્યમાં નિવૃત્તિની સાચી સમજ અને તેના વિકાસને બદલે નિવૃત્તિનો આભાસ કરાવનારી, પણ વસ્તુતઃ સમષ્ટિના હિતને બેજવાબદાર એવી એક પ્રકારની નિષ્ક્રિય વૃત્તિ જન્મી અને તેણે ધર્મના વિવિધ સ્વાંગો પહેર્યા. આનું પરિણામ આખા ઇતિહાસકાળ દરમ્યાન એકંદર એ જ આવ્યું કે આપણો આવડો મોટો દેશ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy