SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? • ૧૨૩ કરવાનો પેલા શાસ્ત્રજીવી વર્ગે પોતાનાથી શક્ય હોય તેવો કોઈ વ્યવસ્થિત પ્રયત્ન વ્યાપક રીતે કરેલો નથી. શસ્ત્રજીવી વર્ગ પણ અંદરોઅંદરની અદેખાઈ, ભોગવિલાસ અને ક્લેશને પરિણામે પરરાષ્ટ્રના આક્રમણથી પોતાના દેશને બચાવી શક્યો અને છેવટે પોતે પણ ગુલામ થયો. વડવાઓએ હાથમાં શાસ્ત્ર કે શસ્ત્ર લેતી વખતે જે ધ્યેય રાખેલું તે ધ્યેયથી તેમની સંતતિ શ્રુત થતાં જ તેનું અનિષ્ટ પરિણામ એ સંતતિ અને એ સમાજ ઉપર આવ્યું. શાસ્ત્રજીવી વર્ગ એટલો બધો નબળો અને પેટભરુ થઈ ગયો કે તે પૈસા અને સત્તા માટે સત્ય વેચવા લાગ્યો. તે શસ્ત્રજીવી રાજા-મહારાજાઓની ખુશામત કરે અને મોટપ માને. શસજીવી વર્ગ પણ કર્તવ્યપાલનને બદલે દાન-દક્ષિણા આપીને જ પેલા ખુશામતી વર્ગ દ્વારા પોતાની ખ્યાતિ સાચવી રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આમ બંને વર્ગની બુદ્ધિ અને સત્તાના તેજમાં બીજા આશ્રિત લોકો ચગદાઈ ગયા અને છેવટે આખો સમાજ નિર્બળ થઈ ગયો. આપણે આજે પણ મોટે ભાગે જોઈએ છીએ કે કોઈ ઉપનિષદ અને ગીતાપાઠી તે શાસ્ત્રો વાંચો પાછળથી હિસાબ મૂકે છે કે દક્ષિણામાં કેટલું ઉત્પન્ન થયું. સપ્તાહમાં ભાગવત વાંચનાર બ્રાહ્મણની દૃષ્ટિ માત્ર દક્ષિણા તરફ હોય છે. અભ્યાસને બળે શ્લોકો ઉચ્ચાર્યે જાય છે અને આંખ કોણે દક્ષિણા મૂકી અને કોણે ન મૂકી એ જોવા તરફ ફર્યા કરે છે. દુર્ગાસપ્તશતીનો પાઠ કરનાર મોટે ભાગે દક્ષિણા આપનાર માટે કરે છે. ગાયત્રીના જપો પણ દક્ષિણા દેનાર માટે થાય છે. એક યજમાન પાસેથી દક્ષિણા મેળવવા શાસ્ત્રજીવી વર્ગની અને એક યજમાનને ત્યાંથી સીધું મેળવવા તે વર્ગની અંદરોઅંદર જે મારામારી થાય છે તેને રોટીના એક ટુકડા માટે લડતા બે શ્વાનો સાથે સરખાવી શકાય. જમીનના એક નજીવા ટુકડા માટે બે શસ્ત્રજીવીઓ હવે એ જ રીતે કોર્ટે લડે છે. વિશેષ શું? શાસ્ત્રજીવી વર્ગમાં જે સ્વાર્થ અને સંકુચિતપણાનો દોષ દાખલ થયો તેની અસર બૌદ્ધ અને જૈનના ત્યાગી ગણાતા ભિક્ષુકવર્ગ ઉપર પણ થઈ. આ બે વર્ગમાં અંદરોઅંદર કસંપ અને વિરોધ દાખલ થઈ ન અટકતાં તે તેના પેટાભેદોમાં પણ દાખલ થયો. દિગંબર જૈન ભિક્ષુ શ્વેતાંબર ભિક્ષને અને શ્વેતાંબર ભિક્ષુ દિગંબરને હલકી દૃષ્ટિથી જોવા લાગ્યો. ઉદારતાને બદલે બંનેમાં સંકુચિતતા વધવા અને પોષાવા લાગી. અંતે એક શ્વેતાંબર ભિક્ષુ વર્ગમાં પણ શાસ્ત્રને નામે ખૂબ વિરોધ અને તડ જન્મ્યા ને આધ્યાત્મિક ગણાતાં તેમજ આધ્યાત્મિક તરીકે પૂજાતાં શાસ્ત્રોનો ઉપયોગ એક-બીજી રીતે દ્રવ્ય ઉત્પન્ન કરવામાં, વિરોધ સાથે કડવાશ વધારવામાં અને પોતપોતાની અંગત દુકાનો ચલાવવામાં થવા લાગ્યો. આ રીતે શાસ્ત્ર શસ્ત્રનું સ્થાન લીધું, અને તે પણ ખરી રીતે તો શુદ્ધ શસ્ત્રનું નહિ પરંતુ ઝેરી શસ્ત્રનું સ્થાન લીધું. તેથી જ આજે જો ક્લેશ-કંકાશનાં બીજ વધારે દેખાતાં હોય અગર વધારે વ્યાપક રીતે ક્લેશ-કંકાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy