SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન પ્રભાવ પડવો શરૂ થઈ ગયો હતો. શ્રી અક્ષપાદ ગૌતમ ઉપર ગ્રીક વિચારસરણીની અસર જણાય છે. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં થઈ ગયેલ ઝીનોનું વિધાન છે ‘દર્શન એક ખેતર છે, જેની રક્ષા માટે તર્કની વાડ કરવી જરૂરી છે.' બીજી બાજુ શ્રી અક્ષપાદનું વિધાન છે જેમ બીજના અંકુરોની રક્ષાને માટે કાંટાવાળી ડાળીઓની જરૂર છે, તેવી રીતે તત્ત્વજ્ઞાનની રક્ષા માટે જલ્પ તેમજ વિતંડારૂપી વાડની જરૂર છે'. આ બે વિધાનોમાં કેટલું બધું વિચારસામ્ય છે! આ વિચારસામ્યને આધારે પંડિત રાહુલ સાંકૃત્યાયન એમ માને છે કે ગ્રીક તત્ત્વદર્શનની અસર ભારતના ન્યાય દર્શન ઉપર પડી હશે.૧ અલબત્ત એવું પણ હોઈ શકે કે ભારતીય દર્શનની અસર ગ્રીક વિચારણા ઉપર પડી હોય. (૩) સાહિત્ય - મહર્ષિ ગૌતમનું ‘ન્યાયસૂત્ર' એ ન્યાય દર્શનનો મૂળ ગ્રંથ છે. આ ‘ન્યાયસૂત્ર'ને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રત્યેક વિભાગ(અધ્યાય)માં બે આનિકો છે. આ ન્યાયસૂત્રોમાં નિ:શ્રેયસ(મોક્ષ)ની પ્રાપ્તિ માટે જેનું જ્ઞાન આવશ્યક છે એવા પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ આદિ ૧૬ વિષયો તથા આત્મા, દેહ, ઇન્દ્રિયો, મન વગેરે ૧૨ પ્રમેયો તથા જ્ઞાન, તેનું સ્વરૂપ, તેની યથાર્થતા, તેની મર્યાદા વગેરેની ચર્ચા કરવામાં આવી છે. તદુપરાંત બંધ, મોક્ષ વગેરેનાં સ્વરૂપની પણ તેમાં ચર્ચા કરવામાં આવી છે. મહર્ષિ ગૌતમના ન્યાયસૂત્ર’ ઉપર શ્રી વાત્સ્યાયને (ઈ.સ. ૪૦૦) ‘ન્યાયભાષ્ય' નામક પ્રસિદ્ધ ભાષ્ય લખ્યું છે. તેના ઉપર શ્રી ઉદ્યોતકરે (ઈ.સ. ૬૦૦) ‘ન્યાયવાર્તિકા' લખ્યું. શ્રી દિગ્નાગ નામક બૌદ્ધ વિદ્વાને કરેલી શ્રી વાસ્યાયનના ભાષ્ય ઉપરની ટીકાનો જવાબ એમાં છે. ‘ન્યાયવાર્તિકા’ ઉ૫૨ શ્રી વાચસ્પતિએ (ઈ.સ. ૯૦૦) ન્યાયવાર્તિકતાત્પર્ય ટીકા' લખી. તેના ઉપર શ્રી ઉદયને (ઈ.સ. ૧૦૦૦) ‘તાત્પર્ય-પરિશુદ્ધિ' તથા ‘કુસુમાંજલિ' નામક ટીકા લખી. શ્રી જયંતે (ઈ.સ. ૧૦૦0) ‘ન્યાયસૂત્ર’ ઉપર ‘ન્યાયમંજરી' નામક એક સ્વતંત્ર ટીકા લખી. આ બધા ન્યાય દર્શનના પ્રાચીન ગ્રંથો છે. શ્રી ગંગેશ ઉપાધ્યાય (ઈ.સ. ૧૨૦૦) નવ્યન્યાયના પ્રણેતા છે. તેમણે ‘તત્ત્વ૧- જુઓ : દર્શન-દિગ્દર્શન', પૃ.૬૩૭-૬૩૮ ૨- પ્રાચીન સમયના ન્યાયને પ્રાચીન ન્યાય' અને આધુનિક સમયના ન્યાયને ‘નવ્યન્યાય’ કહે છે. પ્રાચીન ન્યાયમાં મહર્ષિ ગૌતમનું ‘ન્યાયસૂત્ર', તેનાં ઉપરનાં ભાષ્યો, તેના ઉપર થયેલાં ખંડનમંડન વગેરેનો સમાવેશ થાય છે. નવ્યન્યાયમાં ન્યાય દર્શનના તર્કવિજ્ઞાન સંબંધી વિષયોનું જ વિશદ્ વિવરણ છે. નવ્યન્યાયના ઉત્થાન પછી પ્રાચીન ન્યાયનો પ્રચાર ઓછો થઈ ગયો તથા તેની પ્રવૃત્તિ પણ મંદ પડી ગઈ. તે બહુ લોકપ્રિય ન રહ્યું. નવ્યન્યાયના ઉત્થાન તથા પ્રચારના કારણે આગળ જતાં ન્યાય દર્શન તથા વૈશેષિક દર્શન બન્ને એક થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy