SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય દર્શન (I) પ્રાસ્તાવિક (૧) દર્શન પરિચય ‘ન્યાય' શબ્દ સામાન્ય રીતે યુક્તિ, દલીલ કે વાદના અર્થમાં વપરાય છે. જે વડે કોઈ પ્રતિપાદ્ય વિષય સિદ્ધ કરી શકાય અથવા તો જે વડે કોઈ નિશ્ચિત સિદ્ધાંત ઉપર પહોંચી શકાય તે ‘ન્યાય’. ન્યાયનો વ્યુત્પત્તિ અર્થ છે કોઈ પણ વિષયમાં પ્રવેશ ક૨વો. કોઈ પણ વિષયમાં વિશ્લેષણાત્મક સંશોધન એ ન્યાયનું ક્ષેત્ર છે. ન્યાય દર્શનમાં સત્યને જાણવા માટેનાં વિવિધ પ્રમાણોની ચર્ચા વિસ્તારથી કરવામાં આવી છે. Jain Education International ન્યાય દર્શન તર્કપ્રધાન વસ્તુવાદ (logical realism) છે. પ્રત્યેક જ્ઞાનને એક વિષય હોય છે એમ ન્યાય દર્શન માનતું હોવાથી તે વસ્તુવાદી છે. આ વિષય જ્ઞાનથી પૃથક્ હોય છે. ન્યાય દર્શનનો વસ્તુવાદ અનુભવ તથા તર્ક ઉપર આધારિત છે. તેના મત અનુસાર બાહ્ય વસ્તુઓનું અસ્તિત્વ જ્ઞાન ઉપર આધાર રાખતું નથી, અર્થાત્ વસ્તુઓનું અસ્તિત્વ જ્ઞાતાથી સ્વતંત્ર છે. મોક્ષની પ્રાપ્તિ તત્ત્વજ્ઞાન દ્વારા જ મળે છે, પરંતુ આ તત્ત્વજ્ઞાન શું છે તે સમજવા માટે પ્રથમ તો જ્ઞાનનું સ્વરૂપ, તેની પ્રાપ્તિ, તેને પ્રાપ્ત કરવાના ઉપાયો વગેરે જાણવાની જરૂર છે. આથી ન્યાય દર્શનને ‘તર્કપ્રધાન વસ્તુવાદ' કહેવું યોગ્ય છે. તર્ક એ ન્યાયનું એક વિશિષ્ટ અંગ છે, પણ ન્યાય એ માત્ર તર્કશાસ્ત્ર નથી, એ વિચારનું શાસ્ત્ર છે. સામાન્ય માન્યતા એવી છે કે ન્યાય તર્ક અથવા પ્રમાણને જ પોતાનું ક્ષેત્ર સમજે છે, પણ એવું નથી. તર્કશાસ્ત્ર એ તો માત્ર એનું એક અંગ જ છે. ન્યાયનો ખરો ઉદ્દેશ તો તર્કયુક્ત સિદ્ધાંતો દ્વારા જ્ઞાનના વિષયોનું પરીક્ષણ કરવાનો છે. આધ્યાત્મિક પ્રશ્નોને ન્યાય વિવેચનાત્મક દૃષ્ટિએ વિચારે છે. ન્યાય દર્શનમાં માનસશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર આદિની ચર્ચા છે. (૨) ઉત્પત્તિ : સમય અને પ્રવર્તક ન્યાય દર્શનના પ્રવર્તક મહર્ષિ ગૌતમ હતા. મહર્ષિ ગૌતમ અક્ષપાદ' એવા નામથી પણ ઓળખાતા હતા. અક્ષપાદનો અર્થ છે જેના પગ પણ આંખ જેવું કામ આપે છે તે.' ન્યાય દર્શનને ‘અક્ષપાદ દર્શન' પણ કહેવામાં આવે છે. મહર્ષિ ગૌતમ ક્યારે થઈ ગયા તે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનોના મત અનુસાર મહર્ષિ ગૌતમનો સમય ઈ.સ. પૂર્વે ૫૦૦ માનવામાં આવેલ છે. કેટલાક વિદ્વાનો તેમને ઈ.સ.ની ત્રીજી કે ચોથી સદીમાં મૂકે છે. પંડિત રાહુલ સાંકૃત્યાયનના મત અનુસાર ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં સિકંદર વિજયી નીવડ્યો ત્યારથી ભારત ઉપર ગ્રીક પ્રજાનો - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy