SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૬ ] આપણુ પણ પાઠશાળાએ પહેલા તે મુંબઇમાં, પછી અમદાવાદમાં અને પછી મેસાણ વગેરેમાં શરૂ થયેલ છે. કેમકે તે વખતની ધર્મચુસ્ત પ્રજાના માનસમાં પરિવર્તન લાવવાને એ જ પ્રાથમિક ઉપાય હતો. અને તે વખતનાં ધામિકેમાંના પણ જે કઈ કાંઈક સુધારક વિચારના હતા, તેઓ એ કામમાં આગળ પડતા થતા હતા. તેને બહારથી આડકતરે સરકારી કે પણ હતો. જો કે તે વખતના પરંપરાગત ધર્મતત્રના સંચાલકો અને આગેવાનોને રેષઃ વિરોધઃ પૂરત હોવાના પ્રમાણે મળે છે. કેવું કેવું પરિણામ આવશે?” તેની સ્પષ્ટ કલ્પના તે વિરોધ કરનારાઓને જે કે નહેાતી જ, પરંતુ * કાંઈક વિપરીત અને અનિષ્ટતા તરફ જવાય છે.” એવા મોઘમ ખ્યાલથી તેઓને સખ્ત અને પ્રામાણિક વિરાધ હતો જ. [ 8 ] નિશાળમાં નૈતિક અને ધાર્મિક શિક્ષણ હમણાં હમણાં નિતિક અને ધાર્મિક શિક્ષણ સ્કુલમાં આપવાની નીતિ નક્કી કરવા માટે સરકારે એક સમિતિ નીમી હતી. તેનું નિવેદન બહાર પડી ગયેલ છે. તેને ઉંડાણથી અભ્યાસ કરનારને સ્પષ્ટ રીતે સમજાય છે, કે-જે તેને અમલ થશે તે તેથી સાચી નીતિ અને ધાર્મિક જીવન જોખમમાં મુકાઈ જશે જ. - જે કે સીધી રીતે વાંચતાં “નીતિ અને ધર્મને ઉત્તેજન આપવાનું જ તેમાં જણાઈ આવે છે. અને ભારતના જુદા જુદા ધર્મોની સમજ અને સમન્વયને લાભ દેખાઈ આવે છે. તેમજ નીતિ અને ધાર્મિક શિક્ષણ વિના ભાવિ પ્રજાના જીવન વિષે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી છે. તેમજ ભારતની પરંપરાઓ તરફ કશોયે કટાક્ષ કરવામાં આવેલ નથી પરંતુ ગર્ભિત રીતે સહાનુભૂતિ બતાવતી હોય તેવી રચનાત્મક અને પ્રોત્સાહક ભાષા રાખવામાં આવેલી છે.” એમ જણાશે. પરંતુ ભારતના મહાત્માઓની આ બાબતમાં કેવી સુંદર રચના ચાલી આવે છે? અને તેની સચોટતા કેટલી હિતકારક છે? તેની સાથે બરાબર ઉંડાણથી તુલના કરી જેતા તે નિવેદનની પોકળતા બરાબર તરી આવે તેમ છે. ૧. દ્વારકા શારદાપીઠના શ્રી શંકરાચાર્ય મહારાજના જણાવ્યા પ્રમાણે “ધમ વિના નીતિ કયાંથી હેય?” એ વાત સાચી છે. નીતિ ધર્મમાંથી જન્મેલી છે. તેમાંથી જન્મે છે. તેનું મૌલિક ઉદ્ભવસ્થાન તે છે. ત્યારે આજે ધર્મરહિત માત્ર વ્યવસ્થા પૂરતી કાયદાની નીતિને સ્થાન આપવા માટે નીતિનું શિક્ષણ આપવાની સરકારી નીતિ છે. નહીંતર, નૈતિક અને ધાર્મિક શિક્ષણ એ શબ્દમાં નૈતિક શબ્દને જુદે પાડવાની જરૂર જ નહોતી. જો કે તેના સમાધાનમાં કેટલાક ધાર્મિકેની અનીતિમત્તાને આગળ કરીને દલીલ કરી શકે તેમ છે, પરંતુ એ દલીલે વાસ્તવિક નથી હોતી. કેમકે ધામિકોને કૃત્રિમ રીતે અનીતિમાન બનાવવાના પ્રયાસો થતા હોય છે. પરંતુ લંબાણના ભયથી તેની ચર્ચા અહીં કરશું નહિ. ૨ ધાર્મિક શિક્ષણમાં પ્રચલિત ધન-ધર્મસંસ્થાઓને લુપ્ત કરવાના આંતરરાષ્ટ્રીય ઉદ્દેશની સફળતા કરવાના ધોરણે શિક્ષણ આપવાની નીતિને એવી ખુબીથી સ્થાન આપવામાં આવેલું છે, કેજેથી કરીને ધાર્મિક શિક્ષણ લેતી જાય તેમ તેમ ભાવિ પેઢી પિત-પોતાના પરંપરાગત ધર્મોથી અને તેની સંસ્થાઓથી દૂર દૂર જ થતી જાય. જે કે શરૂઆતમાં આ દરેક ધર્મને માન્ય સિદ્ધાંત, આચારોનું જ્ઞાન આપવાની ગોઠવણ એક જાતના પાથપુસ્તકમાં રહેશે. મા તથા દરેક મહાપુરુષોના જીવનચરિત્રો શિખવાને પણ સ્થાન રહેશે. પરંતુ તે એવી રીતે હશે કે જેનું જ્ઞાનમાત્ર થશે. પરંતુ જીવનમાં પ્રબળ પ્રેરકરૂપે બનશે નહીં. ને તે જ્ઞાન જીવનમાં અમલી બનશે નહીં. એટલે તે વિના પરંપરાગત ધર્મો પોતાની જીવાદોરી ટકાવી શકે જ નહીં. અને મહાપુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy