SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૦] (૨૨) “ઇસ્વી સનની પહેલાં ષભદેવના અસંખ્ય ઉપાસક હતા. એ વાતને સાબીત કરનારા અનેક પ્રમાણે મળી શકે છે. ખાસ યજુર્વેદમાં પણ તીર્થકરોની માન્યતા દેવામાં આવેલી છે, ભાગવત પુરાણમાં તેની પુષ્ટિ મળે છે. અગણિત અથવા યુગાનુયુગથી જૈનધમ ચાલ્યો આવે છે.” છે. રાધાકૃષ્ણન ઉપ-રાષ્ટ્રપ્રમુખ ભારતસંઘ, (૨૩) “વેદાંત (વૈદિક) દર્શનથી પહેલાં જ જૈનધર્મ પ્રચારમાં હતા. એ બાબતમાં મારા મનમાં જરા પણ શંકા નથી. સૃષ્ટિના આરંભથી જૈનધર્મ પ્રચારમાં છે. જૈનધર્મ અને સૃષ્ટિઃ એની શરૂઆત એક સાથે જ થઈ. ડાસતીશચંદ્ર પ્રીન્સીપાલ, સંસ્કૃત કેલેજ, કલકત્તા (૨૪) “મનુષ્યની ઉન્નતિ માટે જૈનધર્મનું ચારિત્ર બહુ લાભકારી છે. આ ધમ બહુ જ અસલી, સ્વતંત્ર, સાદો બહુ કિંમતી તથા બ્રાહ્મણોના મતોથી જુદે છે.” છે. એ, ગિરનાટ પિરિસ (૨૫) “જૈનધર્મ પૂરી રીતે સ્વતંત્ર ધર્મ છે. આ ધમે કઈ ધર્મનું અનુકરણ કે નક્કી કરી નથી.” " 3. હમન થાકેબી એમ. એ. પી. એચ. ડી. (જર્મની) (૨૬) “હું મારા દેશવાસીઓને બતાવીશ કે—કેવા ઉંચા નિયમ અને ઉંચા વિચારે જૈનધર્મ અને જૈનમાર્ગમાં છે? જૈનેનું સાહિત્ય બૌદ્ધો કરતાં ઘણું ચડિયાતું છે.” છે. જેન્સ હર્ટલ જર્મની. ઉપર જણાવેલા વિદ્વાનોના અભિપ્રાય માંથી અમોએ પૂ. પં મા શ્રી સુશીલવિજયજી ગણિ કત જૈનધર્મ સૌ ૩ પ્રાચીન ” એ પુસ્તકમાંથી હિંદી ઉપરથી ગુજરાતી ભાષાંતર કરીને જરૂર પૂરતા જ કેટલાક વાક્યો લીધા છે. અહીં ( ) આવા કૌંસમાં લખાયેલા શબ્દો અમારા પિતાના સમજવો. • હવે આપણે વૈદિક સાહિત્યના થોડાક જ એવા પ્રમાણે આપીશું કે-જેથી વૈદિક ધર્મ કરતાં પહેલાને જૈનધર્મ હોવાનો વાચકોને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. એ પુસ્તકમાં વૈદિક ધર્મગ્રંથેના ૨૬ અવતરણો આપેલા છે, જેમાં અદ, યજુર્વેદ, સામવેદ, તથા બૃહદારણ્યક, મનુસ્મૃતિ, શિવપ્રભાસ-સ્કન્દ-નાગ-અગ્નિ વગેરે પુરાણ, યોગવાશિષ્ટ વગેરેના અવતરણેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, પદ્મ-પુરાણ વગેરેમાં પણ જૈનધર્મને લગતા ઘણુ અવતરણે છે. આવેદમાં-વૃષભ અને ઋષભ નામ વારંવાર આવે છે. ઉપરાંત અહંન: અહઃ અતઃ શબ્દો પણ વારંવાર આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy