SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૮ વધીને ઉત્પાદ-વ્યય-સ્થિતિ અને તેથી પણ આગળ વધીને સર્વસામાન્ય મહાસત્તા સુધીની વિશ્વસ્થિતિ સમજાવી છે. આ બધું જ્ઞાન માનવજાતને મળી શકે તેવી સગવડ ચાલી આવે છે. છતાં આજના વૈજ્ઞાનિકે ફિફા મારે છે. અને ધનઃ શક્તિઃ તથા સમયને શોધખોળાને નામે મહા દુવ્યય કરે છે, ને માનવજાતને હેરાન કરે છે, હિંસામાં વધારો કરે છે. [ ૧૯ ] આત્મા હોવાની અમૂક પ્રતીતિઓઃ ૧ ગમે તેવું નાસ્તિકમાં નાસ્તિક માનસ ધરાવતી વ્યક્તિને વેગાનુભવ-આત્માના આધ્યાત્મિક વિકાસને અનુભવ-આત્મા પદાર્થનું અસ્તિત્વ કબુલ કરાવ્યા વિના રહે તેમ નથી જ. “શરીરમાં આત્મા નામના સ્વતંત્ર પદાર્થના અસ્તિત્વ વિના આધ્યાત્મિક હાસ-વિકાસઃ પ્રેમઃ રને પરોપકારક રાગ દ્વેષઃ રાગ-દ્વેષાભાવઃ સતષ: સહન કરવાની વૃત્તિઃ ત્યાગઃ તપઃ ચિંતનઃ મનનઃ દુન્યવી વાર્થોથી નિરપેક્ષતાઃ વગેરેઃ કે૫ણ રીતે સંભવિત નથી જ.” આ નિશ્ચિત સત્ય છે. આત્માને ન માનનારા બાહ્ય સમજથી જ વિશિષ્ટ અનુભવ કર્યા વિના જ આત્માના અસ્તિત્વનો ઇન્કાર કરતા હોય છે. બહારથી જ “ તે ન હોવાના” ગુલબાંગ ઉડાડતા હોય છે. ઘણું અજ્ઞાન છે તેઓની જાળમાં ફસાઈ પણ જાય છે. કારણ કે આત્માઓ પણ કર્મોની યાંત્રિક જેવી જાળમાં ગુંથાયેલા હેવાથી જ્ઞાન અને અજ્ઞાન અવસ્થામાં પસાર થતાં હોય છે. તેથી અજ્ઞાન અવસ્થાની છાયા ખોટી વાતને પણ સાચી મનાવી દેવા તરફ તેઓને લલચાવી જાય છે, ને ફસાવી દે છે. ૨ આત્માને સ્વતંત્ર પદાર્થરૂપે દરેક આત્મવાદી દશએ માનેલાં છે. શિવાય કે બૌદ્ધદર્શન આત્મવાદી છતાં, તેણે આત્માને પાંચ રકમય સાંગિક પદાર્થ માન્યો છે. સર્વ આત્માઓને સ્થાને એક પરમ બ્રહ્મની માન્યતા ધરાવનારા વેદાંતિઓને અલગ અલગ જીવનવ્યવસ્થા ધટાવવા પાછા ભેદે તો કલ્પવા પડે જ છે. સંખ્યાદિક ૨૫ (પચ્ચીશ) તો માને છે. તેમાં પુરુષ અને પ્રકૃતિ વિષે ઘણી ઉલટી-સુલટી કલ્પનાઓ કરવી પડે છે, ને અસંગતિઓની ખીણમાં ઉતરી પડે છે. જેમકે–તેમણે માનેલા પાંચ ભૂતેમાં (૧) પૃથ્વી, (૨) પાણી, (૩) તેજે, (૪) વાયુ, (૫) આકાશ માંના પહેલા ચાર તો એના પુદગલદ્રવ્યના જ શરીરરૂપે જુદા-જુદા પરિણામો છે. મૂળ દ્રવ્ય તરીકે જુદા જુદા નથી. આકાશ સ્વતંત્ર વિશ્વના આધારભૂત પદાર્થ છે. ૩ “અનુક્રમે ગતિસહાયકઃ અને સ્થિતિ સહાયકઃ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયઃ એ બે લેક વ્યવસ્થાના હેતુભૂત છે.” જૈન શાસ્ત્રકારોએ બીજા સર્વ દર્શને કરતાં વધારાના પદાર્થો માનેલા છે. શિવાય જુદા જુદા દર્શનકારોએ કે તત્ત્વચિંતકેએ માનેલા તમામ પદાર્થોના આત્મ-દ્રવ્ય અને પુદગલ દ્રવ્યના વિવિધ સ્વતંત્ર કે સાંયોગિક સ્વરૂપમાં સમાવેશ પામી જાય છે. ૪ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય માટે ઇતર વૈજ્ઞાનિકો નીચે પ્રમાણે સમ્મત થાય છે. "594 Parmenides Zeno aditz trifa sh 37491 Principl of motion aler नहीं करते थे। परतु इसके बाद न्तूटन जैसे विद्वानोने गतितत्त्वका सिद्धांत स्थापित किया । *प्रीसके + ગ્રીસના સોક્રેટીસ વગેરે તત્ત્વજ્ઞાની ગણાતા વિદ્વાને આરકિમતા વિદ્વાને ગણાય છે ભારતના જેન વેપારીઓના પરિચયથી સંબવ છે કે તેઓ આહતદર્શનનું તત્ત્વજ્ઞાન જાણી શક્યા હેય, આઈતિકનું જ આરફિન શાબ્દિક રૂપાંતર કેમ ન હોય ? છેલ્લા તિર્થંકર ભગવાન મહાવીર વર્ધમાનસ્વામી પછી થોડાક જ દશકા બાદ ગ્રીક તત્વજ્ઞાની સોક્રેટીસ થવાને ઇતિહાસ છે. સમભાવ અને આત્મભાગમાં આનંદ પામવાનું ઉંડુ શિક્ષણ મળ્યા વિના ઝેરને હાલે પી જ એ સહેલું કામ Jain Education International For private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy