SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૪] કેટલીક હવે પછી પ્રવેશવાની છે. તે દિવસે ને દિવસે નવી પ્રવેશતી જાય છે. () બહારની પ્રજાઓના સંતાને વધતા જાય. અને (બ) સ્થાનિક પ્રજાના સંતાનોને પોતાના જ આ દેશમાં રહેવું ભારે પડતું જાય. સાંસ્કૃતિક જીવન જીવવું ભારે પડતું જાય, અને છેવટે વિનાશ તરફ ધકેલાતી જ જાય-ધકેલાતી જ જાય. (૯૧) માત્ર કૃત્રિમ લાલચોથી અને બહારથી અપાતા દયા-દાનથી કે સાધનોથી પ્રજા પિતાને જીવંત અને સુખી માનતી રહે, ને વાસ્તવિક રીતેઃ પરાશ્રિત થતી જાય. “નંખાતા કરોથી પ્રજાના જીવનમાં કેટલી ભયંકર અસર થશે.” તેનો ખ્યાલ આવવા છતાં, તે દૂર ન કરતાં તેના ઉપાય તરીકે સાથે જ “ગરીબ પ્રજા માટે સસ્તી ચીજો મળે, તેવી દુકાને સરકારે બોલવાની” ભલામણો સ્પષ્ટ શબ્દોમાં થતી રહે છે. તે ઉપરથી ગરીબો તરફ ધારાસભ્યોની સહાનુભૂતિ દેખાઈ આવે. પરંતુ તેમાં એક દેવ મોટામાં મોટો એ દાખલ થતા હોય છે, કે પ્રજા આશ્રય ખાતાઓ ઉપર જીવતા એક માનવસમૂહ જેવી બનતી જાય છે-બનાવાતી જવાય છે. પિતાના જાતમહેનતના ધંધા ઉપર પ્રજા સુકો રટલે ખાય તે પણ તેનું ખમીર ટકી શકે છે. પરંતુ જેમ જેમ આશ્રયો ઉપર જીવન જીવતી થાય, તેમ તેમ તેનો નાશ હેલે જ થાય. એટલે કે પ્રજાને એક તરફથી નિર્બળ બનાવીને બીજી તરફથી સહાય આપીને આશ્રયે જીવતી રાખવાની તે પરદશીઓની મૂળભૂત નીતિ છે જ. તેને ધારાસભ્યો કે આપતા હોય છે. એ પ્રજાના અહિતમાં જતું હોય છે. બહારથી ભલે પ્રજા તરફ દયા અને સહાનુભૂતિ દેખાતા હોય. એનાથી. બીજી કઈ ઘટના ભયંકર હોઈ શકે? જુદા જુદા નિમિત્તો આગળ કરીને ઠામ ઠામ સરકારી અંકુશે; દરેક બાબતમાં નિયંત્રણ અને બીજી તરફથી વિશાળ પાયા ઉપર આશ્રયખાતાઓના ઉદ્દઘાટને; આ પ્રક્રિયા જ પ્રજાના ખમીરના નાશની સ્પષ્ટ રીતે જ નિશાની કેમ ન ગણી શકાય? દુનિયાભરનું નાણુકેન્દ્ર હોવાથી ભારતમાં પ્રાચીન કાળમાં પ્રજા પાસે ધન ઘણું દેખાતું નહોતું, પરંતુ દરેક પિતાના રળેલા રોટલા ઉપવ કુટુંબના જીવનને પાયે ટકાવતા હતા. કેઈન એશીયાળા રહેવાનું પસંદ કરતાં જ નહીં. એટલે પ્રજાનું જીવન સાદું સંયમી: છતાં સ્વાશ્રયી હતું. આજે તે તત્વ તુટતું જાય છે. (૯૨) બેડગેઃ લેટ હેપ્પીટાલેઃ આશ્રમઃ અનાથાશ્રમે હોસ્ટેલેઃ સસ્તા અનાજની દુકાને સ્ત્રીઓના આશ્રમો વગેરે રૂપે આશ્રયસ્થાને વધતા જ જાય છે, વધતા જ જાય છે. એ એક સ્વતંત્ર ને શક્તિશાળી પ્રજાની અવનતિના સચોટ પૂરાવા છે. કવચિત્ એવા સાધને હેય, તે જુદી વાત છે. પરંતુ તેમાં વધારે થતું જાય એ મહાદેષ વધતા જવાનો સચોટ પૂરાવે છે. (૯૩) ભારતની સ્થાનિક પ્રજા ધંધા દેશમાં ન મળવાથી બહાર તેને જવું પડે જ. અને બહારનાઓને કારખાના કરવાની–ધંધા કરવાની–મૂડી રોકવાની-નિષ્ણુતતા તાવવાની સગવડ અહીં વધતી જાય છે. ને કાઈ કાઈ અહીંના વતની બનતા જાય છે. બહાર ખેંચાઈ વાતી આંતરરાષ્ટ્રીય યોજનાના બીજરૂપે અમેરિકાએ પ્રથમ ૧૦૦) સો ભારતીયોને વસવાનો નિયમ રાખ્યો હતો. હવે એ આઈકે તે સંખ્યામાં વધારો કરવાની પ્રવૃત્તિ શરૂ કરી છે. એ ભારતની આર્ય પ્રજાને વેરવિખેર કરવાની યોજનાના બીજે છે. (૯૪) વળી આશ્રમ શબદ ભારે ગોટાળો ઉભો કર્યો છે. આશ્રમ શબ્દ પ્રાચીન ઋષિઓના આશ્રમનોઃ અથવા જીવનની ચાર ક્રમિક આધ્યાત્મિક વિકાસની કક્ષાઓને પણ-બ્રહ્મચર્યાશ્રમઃ ગૃહસ્થાશ્રમઃ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ નો સૂચક છે. તે શબ્દ આજના આશ્રયસ્થાનની સંસ્થાઓને લાગુ પાડીને તેની પ્રતિષ્ઠા ઉભી કરવામાં આવી છે. (૯૫) મુંબઈ: કલકત્તા: કરાંચીઃ અને મદ્રાસ આ ચાર પશ્ચિમની પ્રજાની પ્રગતિના તથા ધંધાના કેન્દ્ર શહેરોએ દેશના ગામડા અને બીજા શહેરોના સંગઠિત સાંસ્કૃતિક જીવનને કચ્ચરઘાણ કાઢી નાંખ્યો છે. અને બીજા નવા મોટા શહેર રચવાની ગોઠવણ ચાલુ થઈ ગઈ છે. ગામડા નવેસરથી વસાવી ત્યાં પણ પાશ્ચાત્ય પ્રગતિ લઇ જવા માટે આધુનિક પ્રાગતિક આદર્શને ગ્રામ્યાધારની વાત કરવામાં આવે છે. (૬૯) પ્રથમની મહાજન સંસ્થાની ગ્રામ્ય પંચાયતને ઉત્તેજન આપવાને બહાને તેને સ્થાને કહેવાતા લેકશાસનની ખરી રીતે સરકારી કાયદા મુજબની પંચાયત સ્થાપી દીધી છે, ને તેઓ મારફત આધુનિક પ્રગતિને આગળ વધારવા સત્તાઓ અને સગવડ આપવામાં આવેલ છે. ને તેમાં વધારો કરાતે જશે. જેથી ગામડાJain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy