SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૩] પાયા ઉપરના વિદેશીયર બુદ્ધિ: ધનઃ સંચાલકે નિષ્ણાતોને આધારે બહારનાઓની સલાહ અને જનાઓ થી પરિણામે તેઓના જ મુખ્ય હિત માટે જ સ્થાપિત કરી દેવા. (૭૩) ભારતના આર્યો પિતાનું બીજું પ્રસિદ્ધ નામ “હિંદુ” શબ્દ પણ ન વાપરી શકે, તેવા ઉપદેશને પ્રાથમિક પ્રચાર જેથી એક વિશિષ્ટ પ્રજા પિતાનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ ભવિષ્યમાં ટકાવી ન શકે. (૭૪) પ્રજાકીય ઇતિહાસની વ્યવસ્થાની મૂળભૂમિકારૂપ વહીવંચાની જાતિઓઃ અને તેના ચોપડા રહેવા ન પામે. તેની તે જાતિઓના કાર્યને નિષ્ફળ બનાવી દેવામાં આવેલ છે. (૭૫) એકંદર આત્મવાદ ઉપરની જીવનસંસ્કૃતિઃ (૭૬) સ્વતંત્ર પ્રજા તરીકેનું અસ્તિત્વ વગેરે ઉપર અસાધારણ માઠી અસર ઉત્પન્ન કરનારા અને (૭૭) બહારની પ્રજાને ભવિષ્યમાં આ દેશના વતની તરીકે સ્થાયિ વસવાટ મળે, તેને માટે સેંકડો પ્રાગતિક દૃષ્ટિથી રચનાત્મક અને સાંસ્કૃતિક દૃષ્ટિથી ખંડનાત્મક બાબતે શરુ કરવામાં આવેલી છે. (૮) અણવિકસિત દેશ કહીને સંતતિ નિયમન મારફત ભવિષ્યમાં એક સંસ્કારી પ્રજાને ક્રમે ક્રમે ઉચ્છિન્ન કરવાની કરાયેલી ગોઠવણ ધીમે ધીમે આગળ વધતી જાય છે. (૭૯) અને વિકસિત દેશોને મોટી સંખ્યામાં પ્રજા ઉત્પન્ન કરવાને હક્ક હવાને માની લઈને તેના સંતાનોને, બીજા દેશના વિકાસમાં આર્થિક વગેરે મદદ કરવાને બહાને વિકસિત કરી ત્યાં ત્યાં (૮૦) બીજા નિમિત્તોથી મોકલી: વસાવીઃ (૮૧) સ્થાયી નાગરિક તરીકે-કાયમ વસવા માટેના (૮૨) સ્થાનિક કાયદાઓ કરાવી લેવરાવવામાં આવ્યા છે. (૮૩) એકપત્નીપણાનો કાયદો વગેરેથી પરંપરાગત જીવનમાં સંયમ: વગેરે ઉપર કાપ ઉપન્ન કરીને, વસતિ વધવાને માગ ખુલે કરી આપીને (૮૪) તેના ઉપર પછી કાયદાથી અંકુશ મૂકવાની અને (૮૫) સ્ત્રીપુના જનન અવયવોને કપાવી નાંખવાની ગોઠવણને વેગ આપવામાં આવે છે. (૮૬) જન્મ થાય તેના ઉપર કર કે ફી કે દંડ નાંખવાની ગોઠવણના પ્રયાસો (૮૭) પરિણામે સ્વતંત્ર અને વિશિષ્ટ વ્યક્તિત્વવાળી એક પ્રાચીન પ્રજાને વિનાશ તરફ ધકેલવાની ગોઠવણને વેગ અપાઈ રહ્યો છે. જે આ જાતના મહાપરિણામ તરફ પ્રજાને ન ધકેલવી હોય, તે પ્રજાહિતને કોઇપણ જરૂરી કાયદે થાય, તેમાં વાંધો લેવાને કારણ હતું નથી. (૮૮) પ્રજાને મોટે ભાગ-સાધુ-સંત ત્યાગી બનતો હતો. તેની આજીવિકા ઘપિ બીજા ઉત્પાદકો ઉપર નિર્ભર છે.” એમ કહી, તેની સંખ્યા પર કાપ મૂકવામાં આવે છે. પરંતુ તે વગમાંના લાખો ત્યાગી સ્ત્રી-પુરુષોના સંતાનો ૫૦ વર્ષમાં કરોડોની સંખ્યામાં આવી જાય અને તેને બોજે બીજાના ધંધાઓ ઉપરના કામમાં ભાગ પડાવવામાં કે પ્રજા ઉપર બીજી રીતે આવે તેને ધ્યાનમાં લીધા વિના તે વગને ઘટાડવાના પ્રયાસો થાય અથવા તેમાં લેકે દાખલ ન થાય. તેવા પ્રયાસો થાય પરિણામે-વસતિના વિશેષ વધારાને એક તરફથી મદદ આપો, અને પછી બીજી તરફથી વસતિ વધારા ઉપર નિયમને યોગ્યાયેગ્ય રતે મૂકવામાં આવે. (૮૯) સ્ત્રી જાતિના જન્મના સ્વાભાવિક વધારાને લીધે એક પુરુષને અનેક સ્ત્રીઓ હોવાથી પણ વસતિના વધારા ઉપર અંકુશ રહી શકતો હતો. કારણ કે-સંયમનું તત્ત્વ મુખ્ય હતું. દશ સ્ત્રીઓ જુદા જુદા પુરુષ પતિઓ મારફત-૫ ને હિસાબે અંદાજ ૫૦ સંતાનને જન્મ આપી શકે. ત્યારે એક પુરુષ પાસેની ૧૦ સ્ત્રીઓ ૧૦ થી ૧૫ સંતાનને કે થોડાઘણું વધારેને કદાચ જન્મ આપી શકે. ૫૦ ને જન્મ ન આપી શકે એમ સંયમદ્વારા પણ સંતતિ નિયમન ભારતમાં જળવાતું હતું. વિધવા વિધવ્ય પાળતી હતી, જેથી સંતતિ નિયમન રહેતું હતું. તે દરેકને ક્ટ આપીને સંતતિ વધે, તે ભાગ ખુલ્લે કરીને હવે તેના ઉપર અંકુશઃ ખાનપાનની તંગીનું નિમિત્ત આગળ કરીને, ઓપરેશનની સગવડ કરી આપીને વિકૃત સંજોગો ઉભા કરવામાં આવે છે. જેમ બને તેમ સ્ત્રીજાતિને છુટ આપીને, સંતતિ વધવાના માર્ગો ખુલ્લા કરવામાં આવે છે. ને સંયમને તોડવામાં આવે છે. (૯૦) ને પછી તોડાતું આરોગ્ય અને જીવનમાં આર્થિક મુશ્કેલીઓ વધારીને પરિણામે પછી પ્રજા જ ધીમે ધીમે ઘટી જાય, તેવો પ્રબંધ શરૂ કરવામાં આવ્યા છે. આવી આવી નાની-મોટી બન્ને તરફની (સાંસ્કૃતિક તને અદશ્ય કરવા અને પ્રાગતિકને વિકસાવવા) હજારો બાબત છે. પ્રથમ પ્રવેશેલી નવી બાબતે આજે પરાકાષ્ઠાએ પહોંચતી જાય છે. કેટલીક મધ્યમ હદે પહોંચી છે. કેટલીક શરૂ થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy