SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૨ . દિશાકુમારીએાએ કરેલ સૂતિકાકર્મ. ૨૪૧ જય પામ અને ચિરંજી, તમારા દર્શનથી આજે અમારે સારું મહત્ત થયું છે, રત્નાકર રત્નશૈલ અને રત્નગર્ભા એ સર્વ ફેગટ નામધારી છે; પણ રત્નભૂમિ તો તમે એક જ છે કે જેમણે આવા પુત્રરત્નને જન્મ આપે છે. અમે ચકદ્વીપની મધ્યમાં રહેનારી દિકકુમારીએ છીએ. અહંતના જન્મકૃત્ય કરવાને અમે અહીં આવેલી છીએ, માટે તમારે અમારાથી જરા પણ ભય રાખવો નહિ.” એમ કહી પ્રભુનું નાભિનાળ ચાર આંગળ રાખી બાકી છેદી નાખ્યું. પછી તે નાળને ભૂમિમાં ખાડો ખોદીને નિધિની પેઠે સ્થાપન કર્યું અને રત્ન તથા હીરાથી ખાડાને પૂરી દીધો. તત્કાળ ઉત્પન્ન થયેલી દૂર્વાથી તે ખાડા ઉપર પીઠિકા બાંધી લીધી. દેવતાના પ્રભાવથી ઉદ્યાન પણ તત્કાળ ઉત્પન્ન થાય છે. પછી તેમણે સૂતિકા ગૃહની ત્રણ દિશામાં ક્ષણવારમાં લક્ષ્મીના ગૃહરૂપ ત્રણ કદલીગૃહે તૈયાર કર્યા. તે દરેકની મધ્યમાં ચતુઃશાલ કરી તેની વચમાં એકેકું મોટું રત્નસિંહાસન રચ્યું. પછી તે કુમારિકાઓ પોતાના કરમાં પ્રભુને અને ભુજા ઉપર માતાને રાખી દક્ષિણ કદલીગૃહમાં ગઈ ત્યાં ચતુશાલની અંદર ઉત્તમ રત્નસિંહાસન ઉપર સ્વામી ને અને માતાને સુખેથી બેસાર્યા અને પિતે જાતે સંવાહિકા થઈને સુખે કરન્યાસ કરી શતપાકાદિ તેલથી તે બંનેને અત્યંગન કર્યું, સુગંધી દ્રવ્ય અને સૂક્ષ્મ પીઠીથી ક્ષણવારમાં રદર્પણની પેઠે તે બંનેને ઉદ્વત્તન કર્યું; પછી ત્યાંથી પૂર્વવત્ તેમને પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ ગઈ. ત્યાં ચતુઃશાલમાં રત્નના ઉત્તમ સિંહાસન ઉપર પ્રભુને અને માતાને સુખે બેસારી ગંદક, પુષ્પોદક અને શુદ્ધોદકથી જાણે જન્મથી શિક્ષિત થયેલી હોય તેમ તેઓએ સ્નાન કરાવ્યું. ચિરકાળે ઉપગમાં આવેલી પિતાની શક્તિથી કૃતાર્થતાને માનતી એમણે તેમને વિચિત્ર રત્નનાં અલંકાર પહેરાવ્યાં. પછી પૂર્વની પેઠે તેમને લઈ ઉત્તર દિશાના મનહર કદલીગૃહમાં તેઓ આવી. ત્યાં તેમને ચતુશાલમાં સિંહાસન ઉપર બેસાર્યા, તે સમયે તે બંને પર્વત ઉપર બેઠેલ સિંહણ અને તેના પુત્રની શેભાને ધારણ કરતા હતા. ત્યાં તેમણે ક્ષણવારમાં આભિગિક દેવતાઓ પાસે મુદ્રહિમાચલ ઉપરથી ગશીર્ષ ચંદનના કાછો મંગાવ્યાં. પછી અરણીના કાષ્ઠને મથીને અગ્નિ ઉત્પન્ન કર્યો. ચંદનના કાષ્ટને ઘસવાથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ચોતરફથી ગશીર્ષચંદના સમિધ કરીને તે દેવીઓએ આહિતાગ્નિની પેઠે તે અગ્નિને પ્રજવલિત કર્યો. તે અગ્નિના હોમથી ભૂહિકમ કરીને ભક્તિથી ઉન્નત થયેલી તે દેવીઓએ માતાને અને જિતેંદ્રને રક્ષાગ્રંથિ બાંધી અને ભગવંતના કર્ણમાં “તમે પર્વતની જેવા આયુષ્ય વાળ થાઓ' એમ કહી તેઓએ પરસ્પર રત્નપાષાણુના બે ગળાઓને આસ્ફાલન કર્યા. પછી પ્રભુને કરતલમાં અને વિજયાદેવીને ભુજા ઉપર ગ્રહણ કરીને સૂતિકા ગૃહi લઈ ગઈ અને તેમને શય્યા ઉપર આરૂઢ કર્યા. પછી સ્વામી અને તેમની માતાના ઉજ્વલ ગુણોને સારી રીતે ગાયન કરતી તેઓ થોડે દૂર ઊભી રહી. તે સમયે સૌધર્મ દેવલોકમાં વૈભવવાળો, કેટી દેવતાઓ તથા કેટી અસરાઓએ પરવરેલા, જેના પરાક્રમની કોટિ ચારણએ સ્તુતિ કરેલી છે, જેના ગુણસમૂહને ઘણી રીતે ગંધર્વોએ ગાયેલા છે, વારાંગનાઓ જેની બંને તરફ ચામર ઢોળે છે, મસ્તક ઉપર રહેલા અતિ મનોહર ત છત્રથી જે શોભી રહ્યો છે અને સુધર્મા સભામાં જેનું સુખ A - 31. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy