SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ હું પર્વ ૧લું. àઓને પરાજય. પવન હોય તે તે એક ક્ષણમાં સે એજનને ઉલ્લંઘન કરવાનું પરાક્રમ બતાવનાર હિતે. કર્દમ, જળ, પાષાણુ, કાંકરા અને ખાડાથી વિષમ એવા મહાસ્થલી તથા ગિરિગુફા વિગેરે દુર્ગમ સ્થળે ઉતારવામાં તે સમર્થ હતો. ચાલતી વખતે તેના ચરણ પૃથ્વીને સહજ અડતા હતા તેથી જાણે તે આકાશમાં ચાલતું હોય તેમ જણાતું હતું. તે બુદ્ધિવાન અને નમ્ર હત, પાંચ પ્રકારની ગતિથી તેણે શ્રમને જીત્યો હતો અને કમળના જે તેને શ્વાસ સુગંધી હતે. એવા ઘોડા ઉપર બેસીને સેનાપતિએ યમરાજની જેમ જાણે શત્રુઓનું પાનું હોય તેવું ખરત્ન ગ્રહણ કર્યું. તે પણ પચાસ આગળ લાંબું હતું. સેળ આંગળ વિસ્તારમાં હતું. અદ્ધ આંગળ જાડું હતું અને સુવર્ણ તથા રત્નમય તેનું મ્યાન હતું. મ્યાનમાંથી તેને બહાર કાઢેલું હતું તેથી કાંચળીથી મુક્ત થયેલા સર્પ જેવું તે જણાત હતું. તીક્ષ્ણ ધારવાળું, જાણે બીજુ વજ હોય તેવું, દૃઢ અને વિચિત્ર કમળોની શ્રેણી જેવા સ્પષ્ટ વર્ણથી તે શોભતું હતું. એ ખડગ ધારણ કરવાથી જાણે પાંખેવાળે ગરૂડ હોય અથવા કવચધારી કેશરી સિંહ હેય એ તે સેનાપતિ જણાવા લાગ્યું. અકાશમાં થતી વીજળી જેવી ચપલતાથી પગને ફેરવતા તેણે રણભૂમિમાં અશ્વને હંકાર્યો. જાલકાંત મણિ જેમ જળને ફાડે (વિભાગ કરે)તેમ રિપુદળને ફાડ (તેમાં ભંગાણ પાડતે) સેનાપતિ ઘડાની સાથે રણાંગણમાં દાખલ થયે. સુષેણે મારે ચલાવવાથી કેટલાએક શત્રુઓ મૃગની પેઠે ત્રાસ પામી ગયા, કેટલાએક પૃથ્વી ઉપર પડેલા સસલાની પેઠે આંખો મીંચીને બેસી રહ્યા, કેટલાએક રોહિત જાતનાં પશુની જેમ ખેદ પામી ત્યાં જ ઊભા રહ્યા અને કેટલાએક વાંદરાની પેઠે વિષમ સ્થળે ચડી ગયા, વૃક્ષના પત્રની પેઠે કેઈનાં અસ્ત્રો પડી ગયાં, યશની પેઠે કેઇનાં છત્ર પતિત થયાં, મંત્રથી સ્તબ્ધ કરેલા સર્વેની પેઠે કોઈના અશ્વો સ્થિર થઈ ગયા અને જાણે અપરિચિત માણસ હોય તેમ કેઈ પિતાના માણસની પણ વાટ જેવા રહ્યા નહીં. સવ સ્વેચ્છે પિતાના પ્રાણ લઈને દશે દિશામાં નાસી ગયા. જળના પૂરથી જેમ વૃક્ષ તણાઈ જાય તમ સુષેણુરૂપી જળના પૂરથી નિર્બળ થઈ તેઓ ઘણા એજન સુધી તણાઈને ચાલ્યા ગયા. પછી કાગડાની પેઠે તેઓ એકઠા થઈ ક્ષણવાર વિચારી, આતુર બાળકે જેમ માતા પાસે જાય તેમ મહાનદી સિંધુ સમીપે આવ્યા અને જાણે મૃત્યસ્નાન કરવાને ઉધત થયા હોય તેમ તેને કિનારે વેલમાં સંથારા કરીને તેઓ બેઠા. ત્યાં તેઓએ નગ્ન અને ઉત્તાન થઈને મેઘમુખ વિગેરે નાગકુમાર નિકાયના પિતાના કુળદેવતાને મનમાં ધારણ કરી અષ્ઠમ તપ કર્યો. અષ્ઠમ તપની પ્રાંતે જાણે ચકીના તેજથી ભય લાગ્યો હોય તેમ નાગ કુમાર દેવતાનાં આસન કંપાયમાન થયાં. અવધિજ્ઞાન વડે પ્લેચ્છ લોકોને તેવી રીતે આ થયેલા જોઈ પીડાથી દુખ પામતા પિતાની જેમ તેમની આગળ આવીને તેઓ પ્રગટ થયા. આકાશમાં રહી તેઓએ કિરાત કોને કહ્યું--તમને મન ઈચ્છિત કયા અર્થની ઈચ્છા છે. તે કહે. આકાશમાં રહેલા તે મેઘમુખ નાગકુમારને જોઈ જાણે ઘણા રૂષિત હોય તેમ તેઓએ મસ્તક ઉપર અંજલિ જોડીને કહ્યું-“પૂર્વે કેઈએ પણ આકાંત નહી કરેલા અમારા દેશમાં હમણાં આ કેઈ આવે છે તે પાછો ચાલ્યા જાય તેમ કરે.” દેએ કહ્યું – કિરાતો ! આ ભરત નામે ચક્રવતી રાજા છે, ઈદ્રની પેઠે તે દેવ, અસર અને મનુષ્યથી પણ અજેય છે. ટાંકણાથી ગિરિના પાષાણ જેમ અભેદ્ય હેાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy