SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ વનવીરનો રાજ્યાભિષેક વનવીર એમ માનતો હતો કે હવે તે હું નિષ્કટક છું તેથી તે સિંહાસન પર બેસીને સરદાર પર અનેક પ્રકારના અત્યાચારો કર્યા કરતો હતો, અને તેને રાજમદ એટલે બધે વધી ગયું હતું કે મેવાડના શુદ્ધ રાજાએ જેટલું સન્માન બળાત્કારે પ્રજા તરફથી મેળવતા હતા. એક વખત ચંદ્રના એક તેજવી વંશ જે તેનું “ના” ગ્રહણ ન કર્યું, જેથી વનવીરે તેનું ઘર અપમાન કર્યું હતુંરાજાના ઉચ્છિષ્ટ પ્રસાદને “દુના” (પ્રસાદીને પડીઓ) કહે છે. એક વખતે મારા માનસિંહે વીરશ્રેષ્ઠ રાણા પ્રતાપસિંહનું ના” નહિ સ્વીકારવાથી મેવાડમાં અનર્થ થયો હતે. તેનેજ મેવાડની શોચનીય દશાનું કારણ માનવામાં આવે છે. “શિતલસેની” નામની એક દાસીના ઉદરે વનવીરનો જન્મ થયો હતો. તેથી તેને મેવાડની પ્રજા પંચમ-પુત્ર” કહેતા હતા. સરદારે મહાસંકટમાં આવી ગયા હતા. તેથી જ મેવાડની ગાદી વનવીરને આપી હતી, પરંતુ તેથી શું તેઓ આ “દુના” ગ્રહણ કરે? એવો કોણ છે કે જે પિતાની કુળમર્યાદાને તિલાજલી આપી દાસી પુત્રનું “ના” ખાશે ? જ્યારે વનવારે ચંદ્રાવત સરદારને “દુના આપ્યું ત્યારે તેણે પાછું ફેરવીને કહ્યું કે “ બાપા રાવલના શુદ્ધ વંશજના હાથથી આ “દુના” મળતા તે આ પ્રસાદને ગૌરવને વિષય માનવામાં આવત. પરંતુ શિતલસેની દાસીના પુત્રના હાથથી તેને ગ્રહણ કરવું એ મહાઘોર અપમાન સિવાય બીજું શું હોઈ શકે ? ખરી રીતે તે સરદારો તેનાથી કંટાળ્યા હતા. તેથી ઉદયસિંહને રાજ્યાભિષેક કરવા માટે ઉદયસિંહને શોધવા કમલમેર દુર્ગ તરફ ચાલ્યા, ત્યાં સામેથી કરછ દેશથી પાંચસે ઘોડાએ, દશ હજાર બળદો અને એક હજાર રાજપુત રક્ષકને જોયા, તેઓને ગુપ્ત રીતે પૂછતાં માલુમ પડયું કે તેઓ વનવીરની પુત્રી ની પહેરામણીમાં આ મૂલ્યવાન વસ્તુઓ આપવા જતા હતા, જેથી સરદારોએ તેમના ઉપર આક્રમણ કરી મૂલ્યવાન કિંમતી વસ્તુઓ લઈ લીધી. અને ઉદયસિંહની પાસે આવ્યા ઉદયસિંહનો વિવાહ ઝાલેર પ્રદેશમાં “બહિ” નામનું સ્થાન છે ત્યાં થયો હતો, તે પ્રસંગે બે સામંતો સિવાય બધા રાજસ્થાન ના સામંત હાજર હતા, જે બે સરદાર આવ્યા ન હતા, તેમાના એકનું નામ “ માજી” હતું, અને બીજે સોલંકી કુળમાં જન્મ્યો હતો. તેનું નામ કે જગ્યાએ લખ્યું નથી, આ બે સરદાર કેમ નથી આવ્યા? તેમાં કાંઈ ભેદ હશે જેથી ઉદયસિંહે તેમના ઉપર આક્રમણ કરવા માંડયું. તેથી તેઓ પોતાના રક્ષણ માટે વનવીર પાસે ગયા, વનવીરે સરદારની રક્ષા કરવા માટે સેના તૈયાર કરી અને લડે, પણ તે અભાગી સરદારેની રક્ષા કરી શક્યો નહીં. તેથી માલોજી મર્યો ગયે, અને સોલંકી ઉદયસિંહને તાબે થયે જેથી વનવીરનું બળ ઘટતું ગયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy