SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા સંગ્રામસિંહને રાજ્યાભિષેક રાણી તો એટલી બધી આગળ વધી હતી કે બાબર બાદશાહની સાથે મળી ગઈ, અને તેની અભિલાષા પુરી કરવાને રણથંભોરને લેિ અને રાજભંડારમાં પડેલો માલવરાજનો તાજ પણ બાબરને અર્પણ કર્યો હતેા. મહારાણીશ્રીને બાબર માતાની દષ્ટિથી જેતે હતું, અને રાણાજીને માટે બાબરને સંપૂર્ણ માન હતું. રાણાજીને ત્રણ પુત્રો હતા, તેમાં બે પુત્રે જે મોટા હતા તે તે બાલ્યાવસ્થામાંજ સ્વર્ગવાસ થયા હતા. રાણાજીને દરેક ધર્મ ઉપર શ્રદ્ધા હતી, તેમાં વળી જૈન ધર્મ પર તો સંપૂર્ણ શ્રદ્ધા હતી. રાણાજી ન્યાયી, સત્ય અને સંયમમાં ઘણું મજબુત હતા. તેથી તે તેમણે પોતાની ઉમ્મરમાં પ્રજાની, સમાજની તેમજ પોતાની માતૃભુમીની પ્રાણના ભાગે સેવા કરી પિતાનું નામ અવનીના તક્તા ઉપર રોશન કર્યું હતું. પરંતુ અફસોસ તે એજ થાય છે કે તેઓશ્રીનું મત્યુ અકાળે અને દગાથી થયું હતું. પિતાને ના પુત્ર કે જેનું નામ રત્નસિંહ હતું, અને રત્નસિંહને જ ઉત્તરાધિકારી બનાવ્યા હતા. છપે રાણાશ્રી સંગ્રામ, સદા ગંભીરતા ધરતા, નીજ ભાઈ ભાઈના કલેશ થકી, વન વન રખડતા. ધરતા પિતે ધીર, કદિ ન કાયર બનતા, ધરી ધર્મની ઢાળ, સદાએ ગુપ્ત જ રહેતા. સમયને વિતાવવા. ભરવાડ ઘેર કરી નેકરી, કહે ભેગી ધન્યવિધાતા, ભાવી નમિસ્યા થાય જરી. દેહરો. શુરવીર જનતે કષ્ટથી, પ્રાણુતે પણ ડરતા નથી, પુષર્થને સાધવા, પાછા કદિ પડતા નથી. આવી મલ્યા કરમચંદને, સાથી લુંટારો શેાધીઓ, મેવાડને એ ભાગ્ય વિધાતા, બહારવટુ ખેડી રહ્યો. થાકને ઉતારવા, જંગલમાં નીંદ લઈ રહ્યો, કહે ભેગી આ મણીધર, છત્ર તેને ધરી રહ્યો. દેહરે. જેતે જંગલનો માનવી, કેાઈ વીર આ સમજાય છે, થશે ભવિષ્યમાં રાજવી, શુભ શુકન દેખાય છે. આવી મળે કરમચંદને, વાત સઘળી સો કરી, ગુપ્ત રાખી વાત ને, નીજ બેટીની સાદી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy