SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા સંગ્રામસિંહને રાજ્યાભિષેક ચિત્તોડ રાણા વીર સંગ્રામસિંહનું બળ રોકવા માટે બાબર આગ્રા છોડી શીકરી" તરફ ભાગી ગયો. આ તરફ સીદીઆના કુળભુષણ મહારાણાશ્રી પિતાનું લશ્કર લઈ બાબરની સામે આવ્યા. આ વખતે સંવત ૧૫૮૪ (ઈ. સ. ૧૫૨૮) ના કાર્તિક વદ ૫ના દિવસસે સર્વ રાજા મહારાજાઓ મહારાણાશ્રીને સહાય કરવા માટે એકત્ર થયા હતા. રાણાએ આ સઘળા સિનીકોને સંહાર કર્યો જે બે ચાર મુસલમાન બચ્યા હતા તેમને બાબરની સેનાને વર્તમાન સમાચાર પહોંચાડયા. આ સમાચાર સાંભળી બાબરને માણસે ઉત્સાહહીન થઈ ગયા, અને પોતાની છાવણની ચારે બાજુ ખાઈ ખેદી પિતાને કાળ પસાર કરવા લાગ્યા. આ વખતે બાબરની બીજી સેના આવી પણ રાણાની સેનાને રોકવા અસમર્થ નીવડી, વિજયી રાજપુતેએ નાસતા સૈનિકેને પકડી મારી નાંખ્યા, બાબર ઘર સંકટમાં પડ છતાં પિતે ઉત્સાહીન ન બને. શુરવીરતાની વાતમાં, ગંભીરતા તજતો નથી, દુઃખમાં બાબર કદિ, પાછે જુઓ પડતું નથી, આશાવાદી રહે સદા, નહીં પ્રયત્નને છોડતે, દુઃખમાં એ સુખ માની, પુર્વાર્થને સાધતે. આ પ્રમાણે ચિંતામાંને ચિંતામાં પંદર દિવસ થયા. બાબરે મનથી ઘણું વિચારે કરી જયા પણ જ્યારે એક રસ્તો સુ નહીં ત્યારે માનને ત્યાગ કરી ઈશ્વર પ્રાર્થનામાં રોકાયો. છેવટે બાબરે જે પરિણામ ધાર્યું હતું તેનાથી ઉલટું જ પરિણામ આવ્યું, અને પોતે શરાબને ત્યાગ કરી સર્વત્ર શરાબને ત્યાગ કરાવ્યો, તેથી તેના સિન્યમાં થોડો ઘણે ઉત્સાહ હતો તે પણ નાશ પામ્યા. આખરે પોતાની બુદ્ધિથી સન્યને સમજાવી ઉત્સાહી બનાવી પોતાની છાવણી ઉપાડી, અને ચાલવા માંડયાં પણ એક કષ ચાલતાં તે રાજપુતના ઝુંડના ઝુંડ યવને પર તુટી પડયા અને સિન્યને નાશ કર્યો. આખરે બાબર હતાશ થયે, અને રાણુનું સન્ય આગળ વધવા લાગ્યું અને ત્યાં તે પ્રચંડ તોપના ગોળાથી કાન ફાડી નાંખે તેવા અવાજેથી રાણુના સૈન્યને નાશ થશે. આ અંધકારમય ભેદી તોપોથી હજારે રાજપુતેને નાશ થયે, તો પણ રાણા પોતે આગળ વધતાજ ગયા અને દુશ્મને પર હલ્લો કરતાજ ગયા. તેમને વિશ્વાસુ તુવારવંશના શિલાદિત્ય પર તેને વિશ્વાસ હતો કે તે જરૂર યવનપર આક્રમણ કરશે, પણ તે નરાધમ કુલકલકે રાણુ સાથે દગે કરી. શત્રુના દળમાં ભળી ગયે, આ વખતે રાણાને ૧૪ ૨૫. હાલમાં એને ફતેપુર સીકરી કહે છે, એ નગર આગ્રાથી દસ ગાઉના અંતર પર આવેલું છે. એની પાસેના કેકનવા નામના સ્થાન પર રાણાસંગ્રામસિંહની સાથે બાબરે ઘેર સંગ્રામ કર્યો હતો, આ સમયને ફતેપુર સીકરીના યુદ્ધના નામથી ઓળખવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy